RRRની બનશે સિક્વલ, લેખકે સ્ટોરીને લઈને કર્યો મોટો ખુલાસો

ફિલ્મ આરઆરઆરના (RRR) લેખક કેવી વિજયેન્દ્ર પ્રસાદે આ ફિલ્મ વિશે ઘણી બધી વાત કહી છે. રિપોર્ટ મુજબ કેવી વિજયેન્દ્ર પ્રસાદે કહ્યું છે કે - 'હું આ વર્ષની સુપરહિટ ફિલ્મ આરઆરઆરની સ્ટોરી પર કામ કરી રહ્યો છું. હું વાર્તાઓ લખતો નથી, હું ચોરી કરું છું.

RRRની બનશે સિક્વલ, લેખકે સ્ટોરીને લઈને કર્યો મોટો ખુલાસો
RRR
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2022 | 7:39 PM

એસએસ રાજામૌલીની વર્ષ 2022માં રિલીઝ થયેલી મેગા બજેટ ફિલ્મ આરઆરઆર એ બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી અને રેકોર્ડબ્રેક ઓપનિંગ કરી હતી. 10 મહિના પછી પણ જુનિયર એનટીઆર અને રામ ચરણની આ ફિલ્મ હજુ પણ લોકપ્રિય ફિલ્મોમાંની એક છે. હવે આ ફિલ્મની સિક્વલને લઈને નિર્દેશક એસએસ રાજામૌલીએ મોટી જાહેરાત કરી છે. રાજામૌલીએ હાલમાં જણાવ્યું હતું કે તે હવે આરઆરઆરના બીજા ભાગ પર કામ કરી રહ્યો છે. તેની વાર્તાને લઈને રિસર્ચ કરવામાં આવી રહ્યું છે. ફિલ્મ આરઆરઆરના લેખક અને એસએસ રાજામૌલીના પિતા કેવી વિજયેન્દ્ર પ્રસાદે પાર્ટ 2ને લઈને એક મોટું અપડેટ આપ્યું છે.

ફિલ્મ આરઆરઆરના લેખક કેવી વિજયેન્દ્ર પ્રસાદે કહ્યું

53માં ભારતીય ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન, ફિલ્મ આરઆરઆરના લેખક કેવી વિજયેન્દ્ર પ્રસાદે ફિલ્મ વિશે ઘણું બધું કહ્યું છે. રિપોર્ટ મુજબ કેવી વિજયેન્દ્ર પ્રસાદે કહ્યું છે કે- ‘હું આ વર્ષની સુપરહિટ ફિલ્મ આરઆરઆરની સ્ટોરી પર કામ કરી રહ્યો છું. હું વાર્તાઓ લખતો નથી, હું ચોરી કરું છું. વાસ્તવમાં આપણી પાસે રામાયણ અને મહાભારત જેવા ઘણા મહાકાવ્ય છે, જે આપણને પ્રેરણા આપવા માટે વાર્તાઓ આપે છે.

મીડિયા પોર્ટલ સાથે વાત કરતાં તેમને આગળ કહ્યું- ‘આની સાથે જ આપણા જીવનમાં કેટલીક એવી અનોખી ઘટનાઓ છે, જેને આપણે વાર્તાનું સ્વરૂપ આપી શકીએ છીએ. અત્યાર સુધી હું ટ્રિપલ આરની સિક્વલના આધારને સંપૂર્ણપણે સમજી ગયો છું અને હું તેના પર કામ કરી રહ્યો છું.” આ પહેલા ડાયરેક્ટર એસએસ રાજામૌલીએ પોતે પણ પુષ્ટિ કરી છે કે તેમના પિતા કેવી વિજયેન્દ્ર પ્રસાદ ‘આરઆરઆર’ પાર્ટ 2 ની વાર્તા પર ફોકસ કરી રહ્યા છે.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

તમને જણાવી દઈએ કે સાઉથ સુપરસ્ટાર રામ ચરણ અને જુનિયર એનટીઆર એસએસ રાજામૌલીની ફિલ્મ આરઆરઆરમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને અજય દેવગન પણ મહત્વના રોલમાં હતા. આ ફિલ્મમાં ક્રાંતિકારીઓ અલ્લુરી સીતા રામા રાજુ અને કોમારામ ભીમની કાલ્પનિક વાર્તા દર્શાવવામાં આવી છે. ટ્રિપલ આર એ તેના શાનદાર પ્રદર્શનના આધારે વિશ્વભરમાં 1000 કરોડથી વધુની કમાણી કરી હતી. આ ફિલ્મની ઈન્ટરનેશનલ લેવલ પર પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">