AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jaya Bachchan Controversy: જયા બચ્ચન પાપારાઝી પર કેમ ગુસ્સે થાય છે? એકવાર અમિતાભે માંગવી પડી હતી માફી

જયા બચ્ચનનો (Jaya Bachchan) આજે 75મો જન્મદિવસ છે. ફિલ્મો સિવાય જયા બચ્ચન તેના ગુસ્સાભર્યા વર્તન માટે પણ ચર્ચામાં રહે છે. એક્ટ્રેસ ઘણીવાર પાપારાઝી પર પ્રહાર કરતી જોવા મળે છે. આવા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

Jaya Bachchan Controversy: જયા બચ્ચન પાપારાઝી પર કેમ ગુસ્સે થાય છે? એકવાર અમિતાભે માંગવી પડી હતી માફી
Jaya Bachchan
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 09, 2023 | 6:02 PM
Share

Jaya Bachchan Controversy: બોલિવુડની દિગ્ગજ એક્ટ્રેસ અને સાંસદ જયા બચ્ચનનો આજે 75મો જન્મદિવસ છે. એક્ટ્રેસ ટૂંક સમયમાં કરણ જોહરની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં જોવા મળશે. પરંતુ ફિલ્મો સિવાય જયા બચ્ચન તેના ગુસ્સાભર્યા વર્તન માટે પણ ચર્ચામાં રહે છે. એક્ટ્રેસ ઘણીવાર પાપારાઝી પર પ્રહાર કરતી જોવા મળે છે. જયા બચ્ચનના આવા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ વર્તનને કારણે એક્ટ્રેસને ટ્રોલનો પણ સામનો કરવો પડ્યો છે. પરંતુ એક ચેટ શોમાં જયા બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચને તેની માતાના ગુસ્સાનું કારણ જણાવ્યું હતું.

પાપારાઝીને ઠપકો આપે છે એક્ટ્રેસ

જયા બચ્ચન તેની એક્ટિંગની સાથે તેના ગ્રેસફુલ લુક અને સ્પષ્ટ વક્તવ્યને કારણે પણ ચર્ચામાં રહે છે. પરંતુ દિગ્ગજ એક્ટ્રેસને પાપારાઝી કલ્ચર પસંદ નથી. ઘણી ઈવેન્ટ્સમાં જયા બચ્ચન કેમેરામેન સામે ગુસ્સો કરતી જોવા મળી છે. ઘણીવાર જયા તેમને જોઈને પાપારાઝીને ઠપકો આપવા લાગે છે.

આવા ઘણા વીડિયો વાયરલ થયા છે જ્યારે જયા ઐશ્વર્યા રાય બચ્ચન સાથે પણ કેમેરામેન પર ગુસ્સો કરતી જોવા મળી હતી. તેણે ગુસ્સાથી પૂછ્યું કે આ એશ એશ શું છે..? અને તાજેતરમાં જ્યારે એક્ટ્રેસ પુત્ર અભિષેક બચ્ચન સાથે એરપોર્ટ પર જોવા મળી, ત્યારે તે સેલ્ફી લેનારા ફેન્સ પર ગુસ્સે થઈ ગઈ હતી.

View this post on Instagram

A post shared by @varindertchawla

કેમ ગુસ્સામાં જોવા મળે છે જયા બચ્ચન

જયા બચ્ચન પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. એક્ટ્રેસ બીમારીના કારણે આવું કરે છે. તેના આ વર્તન પર તેની પુત્રી શ્વેતા બચ્ચને વર્ષ 2019માં ચેટ શો ‘કોફી વિથ કરણ’માં ખુલાસો કર્યો હતો કે જયાને ક્લોસ્ટ્રોફોબિયા નામની બીમારી છે. આ એક એવી બીમારી છે, જેમાં વ્યક્તિ ભીડ જોઈને પરેશાન થઈ જાય છે અને પોતાનું સંતુલન ગુમાવી બેસે છે. આ કારણથી જયા બચ્ચન પોતાની આસપાસ ઘણા બધા કેમેરા અને ભીડ જોઈને ગભરાઈ જાય છે.

માતા સાથે ચાલતા પણ ડરે છે અભિષેક અને શ્વેતા

ચેટ શોમાં અભિષેકે એમ પણ કહ્યું હતું કે જ્યારે તે માતા જયા બચ્ચન સાથે ઘરની બહાર જાય છે ત્યારે તે પ્રાર્થના કરે છે કે રસ્તામાં કોઈ કેમેરામેન કે પાપારાઝી ન મળે. તેણે એમ પણ કહ્યું હતું કે જયાને એ પસંદ નથી કે કોઈ પૂછ્યા વગર તેની તસવીર ક્લિક કરે.

આ પણ વાંચો : Jaya Bachchan Birthday : માત્ર બોલિવૂડમાં જ નહીં પરંતુ આ ભોજપુરી ફિલ્મમાં પણ કામ કર્યું છે જયા બચ્ચને, શું તમે તેને જોઈ છે?

View this post on Instagram

A post shared by @varindertchawla

જયા ક્લોસ્ટ્રોફોબિયા નામની બીમારીમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહી છે. તાજેતરની એક ઈવેન્ટમાં, અભિનેત્રી પાપારાઝી માટે ખુશીથી પોઝ આપતી જોવા મળી હતી. કેમેરામેન પણ એક્ટ્રેસનું આ વલણ જોઈને હેરાન થઈ ગયા હતા.

જયાએ ભૂલ કરી, અમિતાભે માફી માંગી

જયાના ગુસ્સાનો એક કિસ્સો આજે પણ બોલિવુડમાં ચર્ચામાં છે. તે વર્ષ 2008 ની વાત છે. તે ફિલ્મ ‘દ્રોણ’ના પ્રમોશન દરમિયાન પ્રિયંકા હિન્દીમાં વાત કરી રહી હતી. આવી સ્થિતિમાં જયાએ તેમને પ્રોત્સાહિત કરતા કહ્યું કે, અમે ઉત્તર પ્રદેશના લોકો છીએ, એટલા માટે હિન્દીમાં વાત કરવી જોઈએ. મહારાષ્ટ્રના લોકો માફ કરશો. આ નિવેદનથી રાજ ઠાકરે ગુસ્સે થયા હતા. રાજ ઠાકરેએ કહ્યું હતું કે જો જયા માફી નહીં માંગે તો અમિતાભની તમામ ફિલ્મો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવશે. જ્યારે અમિતાભની ફિલ્મ ધ લાસ્ટ લીયરની રિલીઝ બાદ થિયેટરમાં તોડફોડ કરવામાં આવી હતી, ત્યારે બિગ બીએ જયાને બદલે માફી માંગી હતી.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">