Jaya Bachchan Controversy: જયા બચ્ચન પાપારાઝી પર કેમ ગુસ્સે થાય છે? એકવાર અમિતાભે માંગવી પડી હતી માફી

જયા બચ્ચનનો (Jaya Bachchan) આજે 75મો જન્મદિવસ છે. ફિલ્મો સિવાય જયા બચ્ચન તેના ગુસ્સાભર્યા વર્તન માટે પણ ચર્ચામાં રહે છે. એક્ટ્રેસ ઘણીવાર પાપારાઝી પર પ્રહાર કરતી જોવા મળે છે. આવા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

Jaya Bachchan Controversy: જયા બચ્ચન પાપારાઝી પર કેમ ગુસ્સે થાય છે? એકવાર અમિતાભે માંગવી પડી હતી માફી
Jaya Bachchan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 09, 2023 | 6:02 PM

Jaya Bachchan Controversy: બોલિવુડની દિગ્ગજ એક્ટ્રેસ અને સાંસદ જયા બચ્ચનનો આજે 75મો જન્મદિવસ છે. એક્ટ્રેસ ટૂંક સમયમાં કરણ જોહરની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં જોવા મળશે. પરંતુ ફિલ્મો સિવાય જયા બચ્ચન તેના ગુસ્સાભર્યા વર્તન માટે પણ ચર્ચામાં રહે છે. એક્ટ્રેસ ઘણીવાર પાપારાઝી પર પ્રહાર કરતી જોવા મળે છે. જયા બચ્ચનના આવા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ વર્તનને કારણે એક્ટ્રેસને ટ્રોલનો પણ સામનો કરવો પડ્યો છે. પરંતુ એક ચેટ શોમાં જયા બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચને તેની માતાના ગુસ્સાનું કારણ જણાવ્યું હતું.

પાપારાઝીને ઠપકો આપે છે એક્ટ્રેસ

જયા બચ્ચન તેની એક્ટિંગની સાથે તેના ગ્રેસફુલ લુક અને સ્પષ્ટ વક્તવ્યને કારણે પણ ચર્ચામાં રહે છે. પરંતુ દિગ્ગજ એક્ટ્રેસને પાપારાઝી કલ્ચર પસંદ નથી. ઘણી ઈવેન્ટ્સમાં જયા બચ્ચન કેમેરામેન સામે ગુસ્સો કરતી જોવા મળી છે. ઘણીવાર જયા તેમને જોઈને પાપારાઝીને ઠપકો આપવા લાગે છે.

51 વર્ષ બાદ અમિતાભ-જયાના લગ્નનું કાર્ડ થયું વાયરલ, આમિર ખાને ફેન્સને ચોંકાવ્યા
જાયફળનું સેવન કરવાથી થાય છે જબરદસ્ત ફાયદા
ગુજરાતી સિંગર જયકર ભોજક ગરબાનો બાદશાહ છે
ભાગવતમાં જણાવ્યું છે, બાળક ગર્ભમાં હોય ત્યારે માતાએ આ 5 કામ અવશ્ય કરવા
શરીરમાં લોહીના ટકા ઓછા હોય તો શું કરવું? ડૉક્ટર પાસેથી જાણો
Green Methi Leaves : શિયાળાની સિઝનમાં લીલી મેથીની લઈ લો મજા! વિટામીનથી ભરપૂર

આવા ઘણા વીડિયો વાયરલ થયા છે જ્યારે જયા ઐશ્વર્યા રાય બચ્ચન સાથે પણ કેમેરામેન પર ગુસ્સો કરતી જોવા મળી હતી. તેણે ગુસ્સાથી પૂછ્યું કે આ એશ એશ શું છે..? અને તાજેતરમાં જ્યારે એક્ટ્રેસ પુત્ર અભિષેક બચ્ચન સાથે એરપોર્ટ પર જોવા મળી, ત્યારે તે સેલ્ફી લેનારા ફેન્સ પર ગુસ્સે થઈ ગઈ હતી.

View this post on Instagram

A post shared by @varindertchawla

કેમ ગુસ્સામાં જોવા મળે છે જયા બચ્ચન

જયા બચ્ચન પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. એક્ટ્રેસ બીમારીના કારણે આવું કરે છે. તેના આ વર્તન પર તેની પુત્રી શ્વેતા બચ્ચને વર્ષ 2019માં ચેટ શો ‘કોફી વિથ કરણ’માં ખુલાસો કર્યો હતો કે જયાને ક્લોસ્ટ્રોફોબિયા નામની બીમારી છે. આ એક એવી બીમારી છે, જેમાં વ્યક્તિ ભીડ જોઈને પરેશાન થઈ જાય છે અને પોતાનું સંતુલન ગુમાવી બેસે છે. આ કારણથી જયા બચ્ચન પોતાની આસપાસ ઘણા બધા કેમેરા અને ભીડ જોઈને ગભરાઈ જાય છે.

માતા સાથે ચાલતા પણ ડરે છે અભિષેક અને શ્વેતા

ચેટ શોમાં અભિષેકે એમ પણ કહ્યું હતું કે જ્યારે તે માતા જયા બચ્ચન સાથે ઘરની બહાર જાય છે ત્યારે તે પ્રાર્થના કરે છે કે રસ્તામાં કોઈ કેમેરામેન કે પાપારાઝી ન મળે. તેણે એમ પણ કહ્યું હતું કે જયાને એ પસંદ નથી કે કોઈ પૂછ્યા વગર તેની તસવીર ક્લિક કરે.

આ પણ વાંચો : Jaya Bachchan Birthday : માત્ર બોલિવૂડમાં જ નહીં પરંતુ આ ભોજપુરી ફિલ્મમાં પણ કામ કર્યું છે જયા બચ્ચને, શું તમે તેને જોઈ છે?

View this post on Instagram

A post shared by @varindertchawla

જયા ક્લોસ્ટ્રોફોબિયા નામની બીમારીમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહી છે. તાજેતરની એક ઈવેન્ટમાં, અભિનેત્રી પાપારાઝી માટે ખુશીથી પોઝ આપતી જોવા મળી હતી. કેમેરામેન પણ એક્ટ્રેસનું આ વલણ જોઈને હેરાન થઈ ગયા હતા.

જયાએ ભૂલ કરી, અમિતાભે માફી માંગી

જયાના ગુસ્સાનો એક કિસ્સો આજે પણ બોલિવુડમાં ચર્ચામાં છે. તે વર્ષ 2008 ની વાત છે. તે ફિલ્મ ‘દ્રોણ’ના પ્રમોશન દરમિયાન પ્રિયંકા હિન્દીમાં વાત કરી રહી હતી. આવી સ્થિતિમાં જયાએ તેમને પ્રોત્સાહિત કરતા કહ્યું કે, અમે ઉત્તર પ્રદેશના લોકો છીએ, એટલા માટે હિન્દીમાં વાત કરવી જોઈએ. મહારાષ્ટ્રના લોકો માફ કરશો. આ નિવેદનથી રાજ ઠાકરે ગુસ્સે થયા હતા. રાજ ઠાકરેએ કહ્યું હતું કે જો જયા માફી નહીં માંગે તો અમિતાભની તમામ ફિલ્મો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવશે. જ્યારે અમિતાભની ફિલ્મ ધ લાસ્ટ લીયરની રિલીઝ બાદ થિયેટરમાં તોડફોડ કરવામાં આવી હતી, ત્યારે બિગ બીએ જયાને બદલે માફી માંગી હતી.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

કેબિનેટ બેઠક બાદ સરકારની જાહેરાત, દર વર્ષે કરાશે વિકાસ સપ્તાહની ઉજવણી
કેબિનેટ બેઠક બાદ સરકારની જાહેરાત, દર વર્ષે કરાશે વિકાસ સપ્તાહની ઉજવણી
સગીરા પર 3 નરાધમોએ આચર્યું હતું દુષ્કર્મ, તપાસમાં થયો ખુલાસો
સગીરા પર 3 નરાધમોએ આચર્યું હતું દુષ્કર્મ, તપાસમાં થયો ખુલાસો
આ છે જીવન શક્ય બને એવો પૃથ્વી જેવો બીજો ગ્રહ !
આ છે જીવન શક્ય બને એવો પૃથ્વી જેવો બીજો ગ્રહ !
જામનગરના કડિયા પ્લોટમાં યુવાનોએ સળગતા અંગારા પર ખુલ્લા પગે રમો રાસ
જામનગરના કડિયા પ્લોટમાં યુવાનોએ સળગતા અંગારા પર ખુલ્લા પગે રમો રાસ
ખંભાળિયામાં આવેલો કેનેડી બ્રિજ બંધ હોવાથી સ્થાનિકોને મુશ્કેલી
ખંભાળિયામાં આવેલો કેનેડી બ્રિજ બંધ હોવાથી સ્થાનિકોને મુશ્કેલી
રાજ્યના સરકારી કર્મચારીઓને દિવાળીની ભેટ મળવાની શક્યતા,આજે મળશે કેબિનેટ
રાજ્યના સરકારી કર્મચારીઓને દિવાળીની ભેટ મળવાની શક્યતા,આજે મળશે કેબિનેટ
ગુજરાતમાં અકસ્માતની વણઝાર, 4થી વધુ લોકોના ઘટના સ્થળે મોત
ગુજરાતમાં અકસ્માતની વણઝાર, 4થી વધુ લોકોના ઘટના સ્થળે મોત
વડોદરા ગેંગરેપની વાત કરતા હર્ષ સંઘવી થયા ભાવુક
વડોદરા ગેંગરેપની વાત કરતા હર્ષ સંઘવી થયા ભાવુક
પાંડેસરામાં BRTS ચાલકે રોડક્રોસ કરતા યુવકને લીધો અડફેટે
પાંડેસરામાં BRTS ચાલકે રોડક્રોસ કરતા યુવકને લીધો અડફેટે
આશ્રમ શાળામાં બાળકી સાથે આચાર્યએ કર્યા અડપલા
આશ્રમ શાળામાં બાળકી સાથે આચાર્યએ કર્યા અડપલા
g clip-path="url(#clip0_868_265)">