AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gorkha Film Controversy: અક્ષય કુમારની ફિલ્મ ‘ગોરખા’ના પોસ્ટર પર થયો વિવાદ, અભિનેતાએ આ રીતે આપી પ્રતિક્રિયા

તાજેતરમાં અક્ષય કુમારે તેમની નવી ફિલ્મની જાહેરાત કરતી વખતે ફર્સ્ટ લુકના ફોટા શેર કર્યા હતા. અભિનેતાએ મેજર જનરલ ઈયાન કાર્ડોઝોનું પાત્ર ભજવવાની જાહેરાત કરી છે.

Gorkha Film Controversy: અક્ષય કુમારની ફિલ્મ 'ગોરખા'ના પોસ્ટર પર થયો વિવાદ, અભિનેતાએ આ રીતે આપી પ્રતિક્રિયા
Akshay Kumar
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2021 | 6:40 PM
Share

અતરંગી રે (Atrangi Re) અને રક્ષાબંધન (Raksha Bandhan) પછી અક્ષય કુમાર ફરી એક વખત આનંદ એલ રાય સાથે કામ કરવા જઈ રહ્યા છે. અક્ષય ભારતીય સેનાની ગોરખા રેજિમેન્ટ (5મી ગોરખા રાઈફલ્સ)ના એક મહાન અધિકારી મેજર જનરલ ઈયાન કાર્ડોઝો (Ian Cardozo)ના જીવન પર આધારિત બાયોપિક કરવા જઈ રહ્યા છે. તાજેતરમાં ફિલ્મ ગોરખા (Gorkha)નું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. પરંતુ આ પોસ્ટર રિલીઝ થયા બાદથી જ વિવાદોમાં ફસાઈ ગયું છે.

રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા સંજય પુરન સિંહ ચૌહાણ આ ફિલ્મનું નિર્દેશન કરશે.આવી સ્થિતિમાં ફિલ્મના પોસ્ટર પછી જ્યાં બધા તેની પ્રશંસા કરી રહ્યા હતા, ત્યાં એક ટ્વિટ બાદ વિવાદમાં ઘેરાઈ ગઈ. હકીકતમાં એક ભૂતપૂર્વ ગોરખા અધિકારીએ પોસ્ટરને તથ્યાત્મક રુપથી ખોટું ગણાવ્યું છે. મેજર માણિક એમ જોલીએ ટ્વીટર પર શેર કર્યું કે પોસ્ટરમાં વપરાયેલી ખુકરીની તસ્વીર ખોટી બતાવામાં આવી છે.

ફિલ્મના પોસ્ટર પર ઉઠયા સવાલ

તેમણે ટ્વિટ કરીને લખ્યું, “પ્રિય અક્ષય કુમાર જી, ભૂતપૂર્વ ગોરખા અધિકારી તરીકે આ ફિલ્મને બનાવવા માટે આભાર. જો કે, તેની વિગતો મહત્વની છે. કૃપા કરીને ખુકરીને ઠીક કરો. તેમણે ફોટો પણ શેર કર્યો છે અને સ્પષ્ટ કર્યું છે કે બીજી બાજુ તીક્ષ્ણ ધાર છે, આ તલવાર નથી.

તેમણે અનુભવથી વાત કરી અને એક વાસ્તવિક ખુકરીની તસ્વીર પણ શેર કરી. થોડા સમય પછી, લોકોએ ટ્વિટનો જવાબ આપ્યો, કેટલાક મેજર માણિકના અભિપ્રાય સાથે સંમત થયા, અને અન્ય લોકોએ પોસ્ટરનો બચાવ કર્યો.

અક્ષય કુમારે આપ્યો જવાબ

આ ટ્વીટ જોયા પછી અક્ષય કુમારે જવાબ આપ્યો, “પ્રિય મેજર જોલી, આ તરફ ધ્યાન દોરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ફિલ્મ બનાવતી વખતે અમે ખૂબ કાળજી રાખીશું. મને ગોરખા બનાવા પર ખૂબ ગર્વ અને સન્માન છે. આ વાસ્તવિકતાને સૌથી નજીક લાવવા માટે કોઈપણ સૂચનની સૌથી વધુ પ્રશંસા કરવામાં આવશે.

https://twitter.com/akshaykumar/status/1449344360701648897?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1449344360701648897%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.tv9hindi.com%2Fentertainment%2Fbollywood-news%2Fcontroversy-over-the-poster-of-akshay-kumar-film-gorkha-actor-reacted-like-this-874577.html

આ ફિલ્મમાં અક્ષય મહાન યુદ્ધ નાયકની ભૂમિકા ભજવશે, જેમણે દેશના યુદ્ધોમાં અને ખાસ કરીને 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં લડ્યા હતા. આ યુદ્ધ આઈકન વિશેની ખાસ ફિલ્મ હોવાથી અભિનેતાએ તેને જાતે રજૂ કરવાનું નક્કી કર્યું છે.

આ પણ વાંચો:- B’day Special: આજે 72મો જન્મદિવસ ઉજવી રહ્યા છે હેમા માલિની, જાણો કયા હીરોને મળવા પર પિતાએ લગાવ્યો હતો પ્રતિબંધ

આ પણ વાંચો:- Ranveer Singhએ શર્ટલેસ સેલ્ફી શેર કરીને ઉડાવ્યા બધાના હોશ, ચાહકોએ કહ્યું- દીપુ આસપાસ છે ક્યાંક

Follow Us
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
g clip-path="url(#clip0_868_265)">