અજય દેવગણના એક ચાહકે કહ્યું કે તમાકુની જાહેરાત ન કરો, જવાબ આપતા અજયે કહી આવી વાત
બોલીવુડ એક્ટર અજય દેવગણ ફિલ્મ ‘દે દે પ્યાર દે’ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. એક ઈન્ટરવયુમાં અજયે જણાવ્યું કે તે તમાકુ પ્રોડક્ટનો પ્રચાર નથી કરતા, તે તમાકુની નહી પણ ઈલાયચીની જાહેરાત છે. અજય દેવગણને એક કેન્સર પીડિતે તમાકુની જાહેરાત ના કરવા માટે કહ્યું હતું. ત્યારબાદ અજય દેવગણે તેમની પ્રતિક્રિયા આપી હતી. અજયે કહ્યું કે હું હંમેશા […]

બોલીવુડ એક્ટર અજય દેવગણ ફિલ્મ ‘દે દે પ્યાર દે’ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. એક ઈન્ટરવયુમાં અજયે જણાવ્યું કે તે તમાકુ પ્રોડક્ટનો પ્રચાર નથી કરતા, તે તમાકુની નહી પણ ઈલાયચીની જાહેરાત છે. અજય દેવગણને એક કેન્સર પીડિતે તમાકુની જાહેરાત ના કરવા માટે કહ્યું હતું. ત્યારબાદ અજય દેવગણે તેમની પ્રતિક્રિયા આપી હતી.

અજયે કહ્યું કે હું હંમેશા મારો કોન્ટ્રાક્ટ મેન્ટેન રાખુ છુ. હું તમાકુને પ્રમોટ નથી કરી રહ્યો, જે પણ જાહેરાત છે તે ઈલાયચીની છે અને મારા કોન્ટ્રાક્ટમાં લખ્યુ છે કે હું તમાકુને પ્રમોટ નહી કરૂ. જો તે કંપની બીજુ કઈ વસ્તુ વેચાણ કરી રહી છે તો મને ખબર નથી કે શું કરવું જોઈએ. તેથી વધારે હું એ કરી શકુ કે મારી ફિલ્મોમાં કારણ વગર ધૂમ્રપાન ના કરૂ.
રાજસ્થાનના કેન્સર પીડિત નાનાકર્મએ અજય દેવગણને સમાજના હિત માટે તમાકુની જાહેરાત ના કરવાની અપીલ કરી છે. દર્દીના પરિવારે કહ્યું કે નાનાકર્મ અજય દેવગણનો ફેન છે અને તે જે પણ જાહેરાત કરે છે. તે દરેક સામાન નાનાકર્મ ઉપયોગ કરે છે પણ હવે તેમને જાણ થઈ કે તમાકુની પ્રતિકૂળ અસર પણ હોય છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
