સુકેશ ચંદ્રશેખર (Sukesh Chandrasekhar) સંબંધિત 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં (Money Laundering Case) ફસાયેલી જેકલીન ફર્નાન્ડીઝ હજુ પણ તપાસ હેઠળ છે. દિલ્હી પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગે તાજેતરમાં અભિનેત્રીને ફરીથી પૂછપરછ માટે બોલાવી હતી. જે બાદ એવા અહેવાલ છે કે જેકલીન ફર્નાન્ડિસની EOW દ્વારા લગભગ સાત કલાક સુધી પૂછપરછ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે જેકલીનને પણ તપાસ માટે બોલાવવામાં આવી હતી. તે દરમિયાન ઠગ સુકેશની નજીકની મિત્ર પિંકી ઈરાનીની સામે બેસીને લગભગ આઠ કલાક સુધી સવાલ-જવાબ કરવામાં આવ્યા હતા.
તમને જણાવી દઈએ કે ED એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ચાર્જશીટમાં જેકલીન ફર્નાન્ડિસનું નામ મોખરે હતું. EDએ અભિનેત્રીને આરોપી તરીકે નિશાન બનાવી હતી. જે બાદ તેને છેતરપિંડીના કેસમાં અત્યાર સુધીમાં અનેક વખત સમન્સ પાઠવવામાં આવ્યા છે. નોંધનીય છે કે, પૂછપરછ દરમિયાન, જેક્લિને EDના ઘણા પ્રશ્નોના જવાબો આપતાં કબૂલ્યું હતું કે, તેને સુકેશ ચંદ્રશેખર પાસેથી ગુચી, શનૈલની 3 ડિઝાઈનર બેગ, બે જોડી ગુચી જિમ સૂટ, લૂઈ વિટોન ફૂટવેરની એક જોડી, બે જોડી ડાયમંડના ઝૂમકા, મલ્ટી કલર નંગ વાળું બ્રેસલેટ અને બે હર્મિજ બ્રેસલેટ જેવી કિંમતી ગિફ્ટો મળી આવી હતી. જો કે, અભિનેત્રીનું કહેવું છે કે તેણે સુકેશ પાસેથી મળેલી મિની કૂપર કાર પાછી આપી હતી.
બુધવારે, 14 સપ્ટેમ્બરના રોજ, જેકલીન ફર્નાન્ડીઝને પિંકી ઈરાનીની સામે બેસીને આઠ કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરવામાં આવી હતી. તે દરમિયાન પિંકીએ કબૂલાત પણ કરી હતી કે, તેણે અભિનેત્રીનો કથિત રીતે સુકેશ ચંદ્રશેખર સાથે પરિચય કરાવ્યો હતો. તમને જણાવી દઈએ કે, જેકલીન મની લોન્ડરિંગ કેસમાં ઘણી વખત ED સમક્ષ હાજર થઈ ચૂકી છે. જે બાદ હવે આ મામલાની તપાસ આર્થિક ગુના શાખા દ્વારા કરવામાં આવી રહી છે.
સાથે જ આ મામલે અનેક પાસાઓ સામે આવ્યા છે. દિલ્હી પોલીસનું EOW એક પછી એક સ્તર નીચે ઉતારવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે. આ કેસમાં બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહીનું નામ પણ સામે આવ્યું હતું. જેની આર્થિક ગુના માટે પૂછપરછ કરવામાં આવી છે. રિપોર્ટ્સ અનુસાર, નોરાની પૂછપરછ બાદ ખબર પડી કે તેનો સુકેશની ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે કોઈ સંબંધ નથી. જો કે, જરૂર પડ્યે નોરાની આ મામલે વધુ પૂછપરછ કરવામાં આવી શકે છે. પરંતુ, આ સમયે જેકલીન ફર્નાન્ડિસ દિલ્હી પોલીસના નિશાના પર છે.
Published On - 9:55 am, Tue, 20 September 22