AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોંગ્રેસ નેતાએ વિવેક અગ્નિહોત્રી પર નિશાન સાધ્યું, કહ્યું – હવે ‘માફી ફાઈલ્સ’ બનશે

કોંગ્રેસ નેતાએ બોલિવૂડ ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રીને નવું નામ આપ્યું છે. કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનાતે તેમને 'નગરમાં નવા માફીવીર' તરીકે ઓળખાવ્યા છે.

કોંગ્રેસ નેતાએ વિવેક અગ્નિહોત્રી પર નિશાન સાધ્યું, કહ્યું - હવે 'માફી ફાઈલ્સ' બનશે
Vivek AgnihotriImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 07, 2022 | 10:02 AM
Share

બોલિવૂડ ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીની મુસીબતો ઓછી થવાનું નામ નથી લઈ રહી. ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રી હાઈકોર્ટના જજ પર ટિપ્પણી કરતા દિલ્હી હાઈકોર્ટ સંબંધિત અપરાધિક અપમાનના કેસમાં મંગળવારે કોર્ટમાં હાજર થયા હતા. અગ્નિહોત્રીએ એફિડેવિટ દ્વારા તેમના નિવેદન માટે બિનશરતી માફી માંગ્યા પછી, હાઈકોર્ટે તેમને હાજર થવા કહ્યું.

વિવેક અગ્નિહોત્રીની માફી માગ્યા પછી કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનાતે તેમને ‘નગરમાં નવા માફીવીર’ ગણાવ્યા છે અને ‘માફી ફાઇલ્સ’ બનાવવાની માંગ કરી છે. ધ કાશ્મીર ફાઈલ્સની તર્જ પર, ફિલ્મ નિર્માતાનું નામ લીધા વિના તેને ટ્વીટમાં કટાક્ષ કર્યો છે. વિનાયક દામોદર સાવરકરના ટીકાકારોએ અંગ્રેજો માટે તેમની દયાની અરજીને કારણે તેમને ‘માફીવીર’ કહ્યા છે.

સુપ્રિયા શ્રીનાતે ટ્વિટમાં લખ્યું છે કે, શહેરમાં એક નવો ક્ષમાવીર આવ્યા છે. નફરતી ચિન્ટુએ સુપ્રીમ કોર્ટમાં માફી માંગી, પછી જાણવા મળ્યું કે તેણે કોર્ટની સામે ખોટું બોલ્યું કે તેણે ટ્વીટ ડિલીટ કરી દીધી છે. ડિલીટ ખરેખર ટ્વિટર દ્વારા કરવામાં આવ્યું હતું. એક માફી ફાઇલ્સ બનવી જોઈએ.

ટ્વિટ માટે લેખિત માફી જાહેર કરી હતી

ફિલ્મ નિર્માતાએ ટ્વિટ માટે લેખિત માફી જાહેર કરી હતી, જેના પર દિલ્હી હાઈકોર્ટે તેમના વકીલને પૂછ્યું હતું કે, શું તેમને કોર્ટમાં રૂબરૂ હાજર રહેવામાં કોઈ મુશ્કેલી છે. તેમના વકીલે રજૂઆત કરી હતી કે, તેમના સોગંદનામામાં, વિવેક અગ્નિહોત્રીએ બિનશરતી માફી માંગી હતી અને એ પણ જણાવ્યું હતું કે, તેણે જજ વિરુદ્ધની ટ્વીટ ડિલીટ કરી દીધી છે. એમિકસ ક્યુરીએ કોર્ટને જાણ કરી હતી કે રજૂઆત ખોટી હતી અને તે ટ્વિટરે ટ્વીટને હટાવી દીધું હતું.

તમને જણાવી દઈએ કે, 2018માં વિવેક અગ્નિહોત્રીએ ગૌતમ નવલખાને જામીન આપ્યા બાદ જસ્ટિસ એસ મુરલીધર પર પક્ષપાતી હોવાનો આરોપ લગાવતા અનેક ટ્વિટ કર્યા હતા. જસ્ટિસ મુરલીધર તે સમયે દિલ્હી હાઈકોર્ટના સીટિંગ જજ હતા અને હાલમાં ઓરિસ્સા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ છે. જે બાદ ડાયરેક્ટર સામે તિરસ્કારની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. અગ્નિહોત્રીએ પાછળથી કેટલીક ટ્વીટ્સ ડિલીટ કરી દીધી હતી, જ્યારે અન્યને થ્રેડ પર બ્લોક કરી દેવામાં આવી હતી.

અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
g clip-path="url(#clip0_868_265)">