આ બોલીવુડ સ્ટાર્સે કેવી રીતે છોડી સિગારેટની લત? ઋતિકનો આઈડીયા તમને પણ કામ લાગી શકે છે

World No Tobacco Day 2021: આજના આ દિવસે જાણો કે બોલીવુડના મોટા સ્ટાર્સે કેવી રીતે સ્મોકિંગને કહ્યું બાય બાય. તેમણે અપનાવેલા ઉપાય તમારા કામ પણ લાગી શકે છે.

આ બોલીવુડ સ્ટાર્સે કેવી રીતે છોડી સિગારેટની લત? ઋતિકનો આઈડીયા તમને પણ કામ લાગી શકે છે
આ સ્ટાર્સે કહ્યું સિગારેટને બાય બાય
Follow Us:
| Updated on: May 31, 2021 | 2:14 PM

World No Tobacco Day 2021: આજે World No Tobacco Day છે. ત્યારે ઘણા લોકો આજે પણ તમાકુ અને સ્મોકિંગની આદત છોડવા માટે કોશિશ કરતા હોય છે. આવામાં તમને જણાવી દઈએ કે ઘણા બોલીવુડ સ્ટાર્સ મોટા સ્મોકર્સ હતા. અમુક અભિનેતાઓ જે સિગારેટ વગર રહી પણ નહોતા શકતા. પરંતુ સમય સાથે અમુક કારણોસર કોઈએ સિગારેટ છોડી દીધી (Bollywood Celebrities Quit Smoking) તો કેટલાકને મજબુરીમાં છોડવી પડી.

પરંતુ આ અભિનેતાઓએ કેવી રીતે સિગારેટ છોડી, અને છોડવા પાછળનું કારણ શું હતું? તે જાણવું પણ અગત્યનું છે. કદાચ આ સેલિબ્રીટીના જીવન પરથી ઘણા લોકોને પ્રેરણા મળી શકે એમ છે. અને જો તમે પણ સિગારેટ છોડવા માંગતા હોવ તો તેને અનુસરી શકો છો.

અર્જુન રામપાલ (Arjun Rampal)

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

બોલીવુડમાં શાનદાર ફિલ્મો આપી છે તે અભિનેતા અર્જુન રામપાલ એક સમયે ચેન સ્મોકર હતો. અહેવાલો અનુસાર તે ખુબ સિગારેટ પીતો હતો. પરંતુ લોકડાઉને તેનું જીવન બદલી દીધું. ગયા વર્ષે લોકડાઉનના સમયમાં બાળકો સાથે અભિનેતા સમય વિતાવતો હતો. અને તે દરમિયાન સિગારેટથી દુર રેહવાનું પસંદ કર્યું. અર્જુને તાજેતરમાં જ કહ્યું છે કે તેને સિગારેટ પીધે લગભગ એક વર્ષ ઉપર થઇ ગયું.

સલમાન ખાન (Salman Khan)

‘દબંગ’ સુપરસ્ટાર ખુબ ધુમ્રપાન કરતો હતો. પરંતુ આરોગ્યની સમસ્યાઓ વધતા તેણે વર્ષો પેહલા સિગારેટ છોડવાનું નક્કી કરી લીધું. સલમાને 2010 ની શરૂઆતમાં આ આદત છોડી દીધી હતી.

સૈફ અલી ખાન (Saif Ali Khan)

નવાબ સૈફના ફેન્સ ખુબ પ્રમાણમાં છે. પરંતુ ખુબ ઓછા લોકોને જાણ હશે કે આ અભિનેતાને માત્ર 36વર્ષની ઉંમરે હાર્ટએટેક આવ્યો હતો. અને તે સમયે સ્થિતિ ખુબ ગંભીર બની ગઈ હતી. ત્યારબાદ અભિનેતાએ તબિયતને લઈને સજાગ રહેવાનું શરુ કરી દીધું. અને ધૂમ્રપાન કરવા જેવી આદતો હજુ સુધી ફરી લગાવી નથી.

અજય દેવગણ (Ajay Devgan)

સિંઘમ અજય દેવગણ એક સમયે ખુબ સિગારેટ પીતો હતો. પરંતુ બાદમાં તેના પરિવારમાં સ્વાસ્થ્ય લક્ષી સમસ્યાઓ વધી જતા અજયે સિગારેટ છોડવાનું નક્કી કરી લીધું હતું.

ઋતિક રોશન (Hrithik Roshan)

પોતાની ફીટનેશ માટે ખુબ જાણીતા અભિનેતા ઋતિક રોશન પર સ્મોકર હતો. તેણે સ્મોકિંગ છોડવા માટે પુસ્તકનો સહારો લીધો. અભિનેતા Easy Way To Stop Smoking પુસ્તકને અનુસરે છે. ઋતિક રોશને અપનાવેલો આ ઉપાય તમે પણ આસાનીથી અનુસરી શકો એમ છો.

આ પણ વાંચો: શું રિયલ લાઈફમાં ટપુ નથી રાખતો જેઠાલાલનું માન? વિવાદ પર દિલીપ જોશીએ આપ્યો જવાબ

આ પણ વાંચો: World No Tobacco Day 2021: શું ધુમ્રપાન અને તમાકુના સેવનથી વધી શકે છે કોરોનાનું જોખમ?

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">