AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhurandhar 2 માટે દીપિકા પાદુકોણને કેમ ટ્રોલ કરવામાં આવી ? ચાહકોએ હમઝાની પત્ની પર સવાલ ઉઠાવ્યા

Dhurandhar 2 : ધુરંધર 2 સ્ટાર રણવીર સિંહની પત્ની અને બોલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણને સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે. હમઝાની રિયલ લાઈફ પત્ની પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. તો ચાલો જાણીએ આનું કારણ

Dhurandhar 2 માટે દીપિકા પાદુકોણને કેમ ટ્રોલ કરવામાં આવી ? ચાહકોએ હમઝાની પત્ની પર સવાલ ઉઠાવ્યા
| Updated on: Mar 22, 2026 | 1:44 PM
Share

રણવીર સિંહની ફિલ્મ “ધુરંધર: ધ રીવેન્જ” સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે માત્ર ત્રણ દિવસમાં બોક્સ ઓફિસ પર 500 કરોડથી વધુની કમાણી કરી છે. આ વચ્ચે હવે બોલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ ચર્ચામાં આવી છે. એક બાજુ અભિનેત્રીના પતિ અને બોલિવુડ સ્ટાર રણવીર સિંહની ફિલ્મ ધુરંધર 2 માટે ખુબ વખાણ કરવામાં આવી રહ્યા છે. તો બીજી બાજુ દીપિકા પાદુકોણને ટ્રોલ કરવામાં આવી રહી છે. તો ચાલો જાણીએ આખો મામલો શું છે?

દીપિકા પર સાધ્યું નિશાન

રણવીર સિંહની ધુરંધર 2ની સફળતા પર અનેક ફિલ્મની સ્ટારકાસ્ટ વખાણ કરી રહ્યા છે. બોલિવુડથી લઈ સાઉથ સિનેમા પર સોશિયલ મીડિયા પર રણવીર સિંહના વખાણ થઈ રહ્યા છે. આ વચ્ચે ફિલ્મની સ્ટાર કાસ્ટ અને પરિવારના લોકો માટે ધુરંધર 2ની સ્ક્રીનિંગ રાખવામાં આવી હતી. જેમાં દીપિકા પાદુકોણ જોવા મળી નહી. ત્યારથી લોકોએ દિપીકા પાદુકોણને ટ્રોલ કરવાનું શરુ કર્યું છે.

કેમ ટ્રોલ થઈ ?

સોશિયલ મીડિયા પર લોકો દીપિકા પાદુકોણને ટ્રોલ કરી રહ્યા છે. તેનું માનવું છે કે, દીપિકા પાદુકોણ રણવીર સિંહને સપોર્ટ કરી રહી નથી. હાલમાં દીપિકાને મ્યુઝિશિયન ઋષભ શર્માને કોન્સર્ટમાં જોવામાં આવી હતી. લોકોએ સવાલ ઉઠાવ્યા કે,દીપિકા પાદુકોણની પાસે કોન્સર્ટ અટેન્ડ કરવાનો સમય છે પરંતુ રણવીર સિંહ માટે એક પોસ્ટ કરવાનો પણ સમય નથી. ધુરંધર 2ની રિલીઝ પછી દીપિકા પાદુકોણે રણવીર સિંહ સાથે જોડાયેલી એક પણ પોસ્ટ સોશિયલ મીડિયા પર અત્યારસુધી શેર કરી નથી. જેના કારણે તેને ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો છે.

ધુરંધર ધ રિવેન્જ ફિલ્મના સ્ટાર્સ

ધુરંધર ધ રિવેન્જે રિલીઝ પહેલા પેઇડ પ્રીવ્યૂ દ્વારા 40 કરોડથી વધુ કમાણી કરી હતી. રિલીઝ થયા પછી, તે બોક્સ ઓફિસ પર નોંધપાત્ર સફળતા મેળવી રહી છે. રણવીર સિંહના અભિનયથી સાબિત થયું છે કે તે બોલિવુડનો સાચો ધુરંધર છે.આદિત્ય ધર દ્વારા દિગ્દર્શિત, ધુરંધર: ધ રીવેન્જને ચાહકો તરફથી ખૂબ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. ફિલ્મના સ્ટાર્સના અભિનયને પણ ખૂબ જ સારી પ્રશંસા મળી રહી છે. રણવીર સિંહ ઉપરાંત, અર્જુન રામપાલ, સંજય દત્ત, રાકેશ બેદી અને આર. માધવનના અભિનયના વખાણ કરવામાં આવી રહ્યા છે.

અભિનેતાની દાદી પણ રહી ચૂકી છે અભિનેત્રી, પત્ની છે ફેમસ અભિનેત્રી પરિવાર વિશે જાણો અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">