AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘Hera Pheri 3’નો ભાગ ન બનવા બદલ અક્ષય કુમારે કહી દિલની વાત, કહ્યું- હું ખૂબ જ દુઃખી છું

Hera Pheri 3 : હેરા ફેરી ફિલ્મના ફેન્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ફિલ્મના ત્રીજા ભાગ એટલે કે હેરા ફેરી 3નું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે.

‘Hera Pheri 3’નો ભાગ ન બનવા બદલ અક્ષય કુમારે કહી દિલની વાત, કહ્યું- હું ખૂબ જ દુઃખી છું
Bollywood Actor Akshay kumar
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2022 | 11:13 AM
Share

Hera Pheri 3 : હેરા ફેરી ફિલ્મ તો બધાએ જોઈ જ હશે. આ તેના સમયની શ્રેષ્ઠ કોમેડી ફિલ્મ છે. દર્શકોને આ ફિલ્મના બે ભાગ ખૂબ જ પસંદ આવ્યા હતા. આવી સ્થિતિમાં મેકર્સે હવે આ ફિલ્મનો ત્રીજો ભાગ એટલે કે ‘હેરા ફેરા 3’ બનાવવાનું મન બનાવી લીધું છે. ફિલ્મની વાર્તા સંપૂર્ણપણે તૈયાર છે. નિર્માતાઓએ કલાકારોને પણ લગભગ ફાઈનલ કરી દીધા છે. છેલ્લા ઘણા દિવસોથી એવા સમાચાર હતા કે આ ફિલ્મમાં અક્ષય કુમારની જગ્યાએ કાર્તિક આર્યન આવ્યો છે. તાજેતરમાં જ દિગ્ગજ કલાકાર પરેશ રાવલે પણ આ બાબતે મહોર મારી હતી.

અક્ષયની જગ્યાએ જોવા મળશે કાર્તિક

વાસ્તવમાં, પરેશ રાવલે ટ્વિટર પર એક ચાહકના ટ્વિટનો જવાબ આપતા કહ્યું હતું કે, કાર્તિક આ ફિલ્મનો ભાગ હશે. જેના કારણે એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે આ ફિલ્મનો જીવ બનેલા અક્ષય કુમાર હવે ‘હેરા ફેરા 3’માં જોવા નહીં મળે. જેના કારણે ખિલાડી કુમારના ફેન્સ ખૂબ જ નિરાશ છે અને કાર્તિકના ફેન્સ ખૂબ જ ખુશ છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ માત્ર એ જાણવા માંગે છે કે અક્ષય ‘હેરા ફેરા 3’માં કેમ નથી. જેનો જવાબ હવે અક્ષયે પોતે જ બધાને આપી દીધો છે.

View this post on Instagram

A post shared by Akshay Kumar (@akshaykumar)

હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે અક્ષય કુમારને આ ફિલ્મ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે તેને આ ફિલ્મની ઓફર કરવામાં આવી હતી, તેને પણ આ વિશે કહેવામાં આવ્યું હતું. પરંતુ તે સ્ક્રિન પ્લે, સ્ક્રિપ્ટ અને દરેક વસ્તુથી સંતુષ્ટ નહોતો. તેને તે કરવું હતું જે લોકો જોવા માંગે છે અને તેથી જ તેણે પીછેહઠ કરી. તેના માટે, આ ફિલ્મ તેનો એક ભાગ છે, તેના જીવનનો, તેની સફરનો એક મોટો ભાગ છે.

ફિલ્મ વિશે વધુ વાત કરતા અક્ષય કુમારે કહ્યું કે, તે ખૂબ જ દુ:ખી છે કે તે આ ફિલ્મ કરી શકતો નથી. તેમણે હેરાફેરી ન કરવા બદલ માફી પણ માંગી હતી. બધાને સોરી કહ્યું. તમને જણાવી દઈએ કે, માનવામાં આવે છે કે અક્ષય કુમારે આ ફિલ્મ કરવા માટે મોટી રકમની માંગણી કરી હતી. અભિનેતાએ 90 કરોડ રૂપિયા અને નફામાં ભાગ પણ માંગ્યો હતો. જે મેકર્સ માટે મોટી વાત હતી. તે જ સમયે, કાર્તિક આર્યનને માત્ર 30 કરોડમાં ફિલ્મ સાઈન કરી છે.

રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
g clip-path="url(#clip0_868_265)">