Aryan Khan વિશે મિત્ર અરબાઝના પિતા અસલમે કહી મોટી વાત, જાણો શું કહ્યું

Aryan Khan Drugs Case : ગયા અઠવાડિયે એનડીપીએસ કોર્ટે જામીન અરજી ફગાવી દીધા બાદ આર્યનના વકીલે બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. કોર્ટ આર્યન ખાનની જામીન અરજી પર આવતીકાલે એટલે કે 26 ઓક્ટોબરે સુનાવણી કરશે.

Aryan Khan વિશે મિત્ર અરબાઝના પિતા અસલમે કહી મોટી વાત, જાણો શું કહ્યું
Aryan Khan, Arbaaz Merchant
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2021 | 10:42 PM

અભિનેતા શાહરૂખ ખાન (Shah Rukh Khan)ના પુત્ર આર્યન ખાન (Aryan Khan)ની સાથે-સાથે તેનો મિત્ર અરબાઝ મર્ચન્ટ (Arbaaz Merchant) પણ ડ્રગ્સના કેસ(Drugs Case)માં જેલના સળિયા પાછળ કેદ છે. આર્યન અને અરબાઝ બંને આર્થર રોડ જેલ (Arthur Road Jail)માં બંધ છે.

અરબાઝ મર્ચન્ટના પિતા અસલમ મર્ચન્ટ (Aslam Merchant) વ્યવસાયે વકીલ છે. અસલમે પોતાના તાજેતરના ઈન્ટરવ્યુમાં આર્યન ખાનને લઈને ઘણી મોટી વાત કહી છે. અસલમ કહે છે કે આર્યન ખાન પાસે એક આશા છે, કારણ કે તેના પિતા શાહરુખ ખાન છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

એક પોર્ટલને આપેલા ઈન્ટરવ્યુમાં અસલમે કહ્યું કે તેમને આશા છે કે આ કેસમાં આર્યન અને અરબાઝને જલ્દી જામીન મળી શકે છે, પરંતુ આમાં જે સમય લાગી રહ્યો છે તેના પર તેમને હેરાની છે. તેમણે કહ્યું કે વ્યક્તિગત રીતે મને લાગે છે કે આર્યનને રિલીઝ થવાની આશા છે કે તેના પિતા શાહરૂખ ખાન છે, જે ખૂબ જ લોકપ્રિય અને પ્રભાવશાળી વ્યક્તિ છે. પરંતુ ન તો અરબાઝ અને ન તો તેના પિતાનો તે પ્રકારનો પ્રભાવ છે.

ખૂબ કમનસીબ છે અરબાઝ

તેમણે વધુમાં કહ્યું કે અમે માત્ર સામાન્ય લોકો છીએ, જેમના કોઈ કનેક્શન નથી. મને લાગે છે કે અરબાઝ ઘણો કમનસીબ છે. તે ખોટી જગ્યાએ, ખોટા સમયે હતો. મને લાગે છે કે તે માત્ર એક નિયતિ છે, પરંતુ હું ખુશ છું કે કેવી રીતે તે તેના બેસ્ટ ફ્રેન્ડ આર્યન સાથે ઉભો છે. તે ખૂબ જ વફાદાર મિત્ર છે. હું તેને યારો કા યાર બોલાવું છું.

આપને જણાવી દઈએ કે અરબાઝની પણ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમે એ જ ક્રૂઝમાંથી ધરપકડ કરી હતી, જ્યાંથી આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. કેટલાક અહેવાલોમાં એનસીબીના હવાલાથી દાવો કરવામાં આવ્યો હતો કે એનસીબીની ટીમને અરબાઝ પાસેથી અમુક માત્રામાં ડ્રગ્સ મળ્યું હતું. એટલું જ નહીં, અરબાઝ અને આર્યનની વોટ્સએપ ચેટમાં ડ્રગ્સ સંબંધિત વસ્તુઓ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે અરબાઝ અને આર્યનના આંતરરાષ્ટ્રીય ડ્રગ કનેક્શન છે. જો કે એનસીબીએ હજુ સુધી આ અંગે કોઈ પુરાવા રજૂ કર્યા નથી.

હાલમાં આર્યન ખાનની વાત કરીએ તો તે 8 ઓક્ટોબરથી ન્યાયિક કસ્ટડીમાં છે. ગયા અઠવાડિયે એનડીપીએસ કોર્ટે જામીન અરજી ફગાવી દીધા બાદ આર્યનના વકીલે બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. કોર્ટ આર્યન ખાનની જામીન અરજી પર આવતીકાલે એટલે કે 26 ઓક્ટોબરે સુનાવણી કરશે. તે જ સમયે આર્યન ખાનની ધરપકડ બાદથી શાહરૂખ ખાનનું કોઈ નિવેદન બહાર આવ્યું નથી. આટલું જ નહીં ગત ગુરુવારે શાહરૂખ ખાન પુત્રને મળવા આર્થર રોડ જેલ પહોંચ્યા હતા. તે જ સમયે, આજે ગૌરી ખાન તેના પુત્રને મળવા જેલ પહોંચી હતી.

આ પણ વાંચો :- સુપરસ્ટાર Rajinikanthને મળ્યો દાદાસાહેબ ફાળકે એવોર્ડ, યાદ કરી કંડક્ટરથી એક્ટર બનવા સુધીની સફર

આ પણ વાંચો :- Bunty Aur Babli 2 Trailer: ડબલ હશે બંટી ઔર બબલીની ધમાલ, સિદ્ધાંત અને શાર્વરીએ કરી દીધી છે ગેમ અપ

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">