AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anurag kashyap Birthday : ફિલ્મ નિર્માતા નહીં પણ વૈજ્ઞાનિક બનવા માંગતા હતા અનુરાગ કશ્યપ, આ રીતે થઈ તેની સિનેમેટિક કરિયરની શરૂઆત

પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે અવારનવાર ચર્ચામાં રહેનાર અનુરાગ કશ્યપની ફિલ્મ પણ ઘણા વિવાદોમાં સપડાઈ છે. અનુરાગ કશ્યપ આવતા વર્ષે હિન્દી સિનેમામાં દિગ્દર્શક તરીકે 20 વર્ષ પૂર્ણ કરશે.

Anurag kashyap Birthday : ફિલ્મ નિર્માતા નહીં પણ વૈજ્ઞાનિક બનવા માંગતા હતા અનુરાગ કશ્યપ, આ રીતે થઈ તેની સિનેમેટિક કરિયરની શરૂઆત
Anurag kashyap Birthday
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2023 | 11:15 AM
Share
હિન્દી સિનેમાના જાણીતા ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક અનુરાગ કશ્યપ આજે એટલે કે 10મી સપ્ટેમ્બરે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. અનુરાગનો જન્મ ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં થયો હતો. પોતાના ફિલ્મી કરિયર દરમિયાન તેણે ઘણી ફિલ્મો કરી છે. તેની ફિલ્મો માટે તેને લોકો તરફથી ઘણી પ્રશંસા મળી હતી. બહુ ઓછા લોકો જાણે છે કે તેણે આ તામજામ ભરેલી દૂનિયા નહોતું રહેવું.
હા, તેનું સ્વપ્ન કંઈક બીજું હતું. વાસ્તવમાં, અનુરાગ વિશ્વ અને બ્રહ્માંડમાં છુપાયેલા રહસ્યો શોધવા માંગતા હતા. તેનું સપનું વૈજ્ઞાનિક બનવાનું હતું અને તેથી તેણે દિલ્હીની હંસરાજ કોલેજમાં એડમિશન લીધું.
View this post on Instagram

A post shared by Anurag Kashyap (@anuragkashyap10)

(Credit Source : Anurag Kashyap)

અહીંથી તેમનો ઝુકાવ ધીમે-ધીમે થિયેટર તરફ જવા લાગ્યો અને પછી તેણે ફિલ્મી દુનિયામાં આવવાનું નક્કી કર્યું. પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે અવારનવાર ચર્ચામાં રહેનાર અનુરાગ કશ્યપની ફિલ્મ પણ ઘણા વિવાદોમાં સપડાઈ છે. અનુરાગ કશ્યપ આવતા વર્ષે હિન્દી સિનેમામાં દિગ્દર્શક તરીકે 20 વર્ષ પૂર્ણ કરશે. અનુરાગ, એલિસ ઓ’કોનર ઉર્ફે આયન રેન્ડની નવલકથાઓના શોખીન, હિન્દી સિનેમામાં મૂળ વાર્તાઓ પર કામ કરતા લેખક અને દિગ્દર્શક છે.

પર્સનલ લાઈફ પણ રહી છે ચર્ચામાં

અનુરાગ કશ્યપ જેમણે પોતાની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા, તે ઇન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. ફિલ્મો ઉપરાંત તે તેની શ્રેણી સેક્રેડ ગેમ્સ માટે પણ જાણીતો છે. Netflix Original ની આ સીરીઝ લોકોમાં ઘણી લોકપ્રિય બની હતી. પ્રોફેશનલ લાઈફ સિવાય અનુરાગ પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં હતા. કરિયરમાં સફળતા હાંસલ કરનાર અનુરાગ સંબંધોમાં બહુ સફળ રહ્યો ન હતો. તેણે બે વાર લગ્ન કર્યા અને બંને અસફળ રહ્યા. જો કે, છૂટાછેડા પછી પણ, અનુરાગ તેની બંને પત્નીઓ, અભિનેત્રી કલ્કી કોચલીન અને આરતી બજાજ સાથે સારો સંબંધ ધરાવે છે.

ફિલ્મી કરિયર

વર્ષ 2003માં અનુરાગ કશ્યપે તેની પહેલી ફિલ્મ ‘પાંચ’ બનાવી હતી. જો કે તે ક્યારેય સિનેમાઘરોમાં રિલીઝ થઈ શકી નથી. તેમની ફિલ્મ અમુક આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં ચોક્કસપણે બતાવવામાં આવી હતી. અનુરાગની ફિલ્મ ‘બ્લેક ફ્રાઈડે’ વર્ષ 2007માં આવી હતી. આ ફિલ્મને લઈને ઘણો વિવાદ થયો હતો. આ પછી તેણે ‘દેવ ડી’, ‘ગુલાલ’, ‘ગેંગ્સ ઓફ વાસેપુર’, ‘બોમ્બે ટોકીઝ’, ‘અગલી’, ‘રમન રાઘવ 2.0’ અને ‘મનમર્ઝિયા’ સહિત અન્ય ફિલ્મો કરી છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">