AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Radhe Shyam: પ્રભાસ અને પૂજા હેગડેની ફિલ્મમાં જોડાયા મહાનાયક, અવાજથી ફિલ્મમાં ઉમેરાશે ચાર ચાંદ

જ્યારથી પ્રભાસની ફિલ્મ રાધે શ્યામની જાહેરાત થઈ છે ત્યારથી આ ફિલ્મ ચર્ચામાં છે અને હવે પ્રભાસ અને પૂજા હેગડેની આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ જોડાયા છે.

Radhe Shyam: પ્રભાસ અને પૂજા હેગડેની ફિલ્મમાં જોડાયા મહાનાયક, અવાજથી ફિલ્મમાં ઉમેરાશે ચાર ચાંદ
Prabhash and Amitabh bachchan (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2022 | 3:41 PM
Share

Radhe Shyam:  પ્રભાસ (Actor Prabhas) દ્વારા અભિનિત ફિલ્મ ‘રાધે શ્યામ’ દિવસેને દિવસે વધુ ભવ્ય થઈ રહી છે. ફિલ્મના પોસ્ટરો, ટીઝર્સ અને સોંગને જબરજસ્ત અને રેકોર્ડ-બ્રેક આવકાર બાદ હવે મળતી માહિતી મુજબ સિનેમાના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ‘રાધે શ્યામ’ માટે નૈરેટર બનીને ટીમ સાથે જોડાઈ રહ્યા છે.

આ સ્થળોએ થયુ છે શુટિંગ

રાધા કૃષ્ણ કુમાર દ્વારા નિર્દેશિત બહુભાષી લવ સ્ટોરી 1970ના યુરોપમાં સ્થાપિત છે, જેમાં પ્રભાસ એક પામ રીડરની ભૂમિકા ભજવે છે. ઈટાલી, જ્યોર્જિયા અને હૈદરાબાદમાં વ્યાપકપણે શૂટ કરાયેલ ફિલ્મ રાધે શ્યામને એક મેગા કેનવાસ પર મૂકવામાં આવી છે જે અત્યાધુનિક વિઝ્યુઅલ ઈફેક્ટ્સનો દાવો કરી રહી છે. તેમજ પ્રભાસ અને પૂજા હેગડેને આ ફિલ્મમાં પહેલાં ક્યારેય ન જોયેલા અવતારમાં જોવા મળશે.

જુઓ મેકર્સનું ટ્વિટ

ફિલ્મમાં ચાર ચાંદ ઉમેરાઈ જશે

ફિલ્મની પહોંચ અને પેરામાઉન્ટ સ્કેલને જોતાં અમિતાભ બચ્ચન તેમના આઈકોનિક અવાજ અને સ્ટારડમ સાથે ફિલ્મમાં ચાર ચાંદ ઉમેરાઈ જશે.આ વિશે વાત કરતાં ડિરેક્ટર રાધા કૃષ્ણ કુમારે કહ્યુ કે,આ ફિલ્મ 1970ના દાયકામાં સેટ છે અને મોટાપાયે બનાવવામાં આવી છે. તેથી અમને એવા અવાજની જરૂર હતી જે રાષ્ટ્રને આદેશ આપી શકે અને શ્રી અમિતાભ બચ્ચન કરતાં વધુ સારો કોણ હોઈ શકે…. એવો અવાજ જેને દરેક વ્યક્તિ ઓળખે, આદર આપે અને સૌથી અગત્યનું તેને પ્રેમ કરે. અમે રાધેશ્યામના નૈરેટર તરીકે તેમને સામેલ કરીને ખૂબ જ ખુશ છીએ.

તમને જણાવી દઈએ કે, યુવી ક્રિએશન્સ પ્રોડક્શનની ફિલ્મ ‘રાધે શ્યામ’ ગુલશન કુમાર અને ટી-સિરીઝ દ્વારા રજૂ કરવામાં આવી છે. રાધા કૃષ્ણ કુમાર દ્વારા નિર્દેશિત અને કોટાગિરી વેંકટેશ્વર રાવ દ્વારા સંપાદિત છે. આ ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમાર, વંશી અને પ્રમોદ દ્વારા કરવામા આવ્યુ છે અને તે 11 માર્ચ ના રોજ રિલીઝ થશે.

આ પણ વાંચો : સોનુ સૂદની વધી મુશ્કેલી: પંજાબમાં અભિનેતા વિરુદ્ધ નોંધાઈ FIR, જાણો શું છે મામલો

આ પણ વાંચો : Stars Looks: આ સ્ટાર કિડ્સના સ્ટાઈલિશ લુક્સ પર કરો એક નજર, તમે પણ ફોલો કરી શકો છો તેમની સ્ટાઈલ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">