Adipurush: ‘જલેગી તેરે બાપ કી’, પઠાણનો ડાયલોગ છે કે હનુમાનનો? આદિપુરુષમાં છલકાયો બોલિવુડનો મસાલો
Adipurush or masala Bollywood : સરળ સંવાદ લખવા મુશ્કેલ છે. મુશ્કેલ સંવાદો લખવા સરળ છે. વીર હનુમાન માટે સંસ્કૃત શબ્દોથી ભરપૂર સંવાદો લખવાનું સરળ હતું. પરંતુ ફિલ્મ ફ્લોપ થઈ ગઈ હોત. હવે આ ફિલ્મ હિટ થઈ ગઈ છે, પરંતુ વીર હનુમાનના મુખેથી નીકળેલા 'બાપ' જેવા શબ્દે આ ફિલ્મને બોલિવૂડની છાપ આપી છે.

Adipurush or masala Bollywood : આદિપુરુષ કથા ત્રેતાયુગની છે. જેને ફિલ્મના નિર્માતાઓએ તેમના ઉટપટાંગ ડાયલોગ્સથી કલયુગની રામાયણ બનાવી દીધી છે. આ તેની સૌથી મોટી ભૂલ છે. ફિલ્મના પાત્રોને સાંભળ્યા પછી તમને એવું નહીં લાગે કે તમે રામાયણની સ્ટોરી જોઈ રહ્યા છો. એ જમાનામાં ”जो हमारी बहनों को हाथ लगाएगा उसकी लंका लगा देंगे” એવી વાત કોઈ નહોતું કરતું.
આ પણ વાંચો : Adipurushમાં પ્રભાસના લુકને જીસસ સાથે કેમ સરખાવવામાં આવે છે? આ Photo થઈ Viral
જ્યારે પ્રભાસની ફિલ્મ ‘આદિપુરુષ’ રિલીઝ થઈ ત્યારે સોશિયલ મીડિયા પર ધૂમ મચી ગઈ હતી. દરેક જગ્યાએ માત્ર આ ફિલ્મની જ ચર્ચા થઈ રહી છે. પ્રભાસ અને કૃતિ સેનન અભિનીત આ ફિલ્મની ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા અને હવે જ્યારે તે રિલીઝ થઈ છે, ત્યારે દર્શકો નિરાશ થઈ ગયા છે. નિર્માતાઓ અનુસાર, આ ફિલ્મ રામાયણના મહાકાવ્યના આધારે બનાવવામાં આવી છે.
દર્શકોના ગળામાંથી ઉતરી શકતી નથી તે છે તેના સંવાદો
ફિલ્મની વાર્તા રાઘવ અને જાનકીના પ્રેમની છે, જ્યારે રાવણની ભ્રામક શક્તિઓ અને ઘમંડ પણ છે. ફિલ્મના VFXમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આમાં મોટા કલાકારોને લેવામાં આવ્યા છે. પરંતુ એક વસ્તુ જે કોઈપણ દર્શકોના ગળામાંથી ઉતરી શકતી નથી તે છે તેના સંવાદો.
‘આદિપુરુષ’ની કથા ત્રેતાયુગની છે. જેને ફિલ્મના નિર્માતાઓએ તેમના ઉટપટાંગ ડાયલોગ્સથી કલયુગની રામાયણ બનાવી છે. આ તેની સૌથી મોટી ભૂલ છે. ફિલ્મના પાત્રોને સાંભળ્યા પછી તમને એવું નહીં લાગે કે તમે રામાયણની સ્ટોરી જોઈ રહ્યા છો. ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ હતા. રાવણ જ્ઞાની હતો. તેના અને તેની સાથેના પાત્રોના મોઢેથી વિચિત્ર વાતો સાંભળીને અજીબ લાગવા માંડે છે. એ જમાનામાં ‘जो हमारी बहनों को हाथ लगाएगा उसकी लंका लगा देंगे’ એવી વાત કોઈ નહોતું કરતું. કદાચ ફિલ્મની પટકથા અને સંવાદો લખનારા મનોજ મુન્તાશીર આ વાત ભૂલી ગયા હતા. અથવા તેણે સંશોધન બિલકુલ કર્યું નથી. કારણ કે રામાયણને ‘ફંકી’, ‘મોર્ડન’ અને ‘રિલેટેબલ’ બનાવવાની પ્રક્રિયામાં મેકર્સે મોટી ભૂલ કરી છે.
આ ડાયલોગ સાંભળીને ઘૂમી જશે માથુ
આ ફિલ્મના કેટલાક ખતરનાક ડાયલોગ વાંચો. આ એવા ડાયલોગ છે જે ફિલ્મમાં સાંભળતા જ તમારા કાન ઉભરાઈ જાય છે, હાય !, તમે હનુમાન પાસે શું બોલાવી રહ્યા છો અથવા ઇન્દ્રજીત પાસેથી..
ફિલ્મના એક દ્રશ્યમાં ઈન્દ્રજીત બજરંગની પૂંછડીમાં આગ લગાવીને કહે છે- ‘જાલી ના? અબ ઔર જલેગી. બેચારા જિસકી જલતી હૈ વહી જાનતા હૈ. આના જવાબમાં બજરંગ કહે, ‘કપડે તેરે બાપ કા, તેલ તેરે બાપ કા, આગ ભી તેરે બાપ કી, તો જલેગી ભી તેરે બાપ કી’
રાવણનો એક રાક્ષસ સૈનિક અશોક વાટિકામાં બજરંગને જાનકી સાથે વાત કરતો જુએ છે. તે બજરંગને કહે, ‘એ! તેરી બુઆ કા બગીચા હૈ ક્યાં જો હવા ખાને ચલા આયા. મરેગા બેટે આજ તૂ અપની જાન સે હાથ ધોએગા.’
એક દ્રશ્યમાં રાવણને પડકાર ફેંકતા અંગદ કહે છે, ‘રઘુપતિ રાઘવ રાજા રામ બોલ ઔર અપની જાન બચા લે. વરના આજ ખડા હૈ કલ લૈટા હુઆ મિલેગા.’
શેષ (લક્ષ્મણ) પર હુમલો કર્યા પછી, ઇન્દ્રજિત કહે છે, ‘મેરે એક સપોલે ને તુમ્હેરે ઈસ શેષ નાગ કો લંબા કર દિયા. અભી તો પૂરા પિટારા ભરા પડા હૈ.’
વિભીષણ એક દ્રશ્યમાં રાવણને કહે છે, ‘ભૈયૈ, આપ અપને કાલ કે લિયે કાલિન બિછા રહે હૈ.’
અન્ય એક દ્રશ્યમાં રાવણ રાઘવને કહે છે, ‘અયોધ્યા મેં તો વો રહતા નહીં. રહતા વો જંગલ મેં હૈ, ઔર જંગલ કા રાજા તો શેર હોતા હૈ, તો વો રાજા કહાં કા રે?
શું આંખો બંધ કરીને લખ્યા છે આવા ડાયલોગ?
ભાઈ, આ કેવા ડાયલોગ છે? કારણ કે આ રામાયણ મુજબના ડાયલોગ નથી. બજરંગ, રાવણ અને ઈન્દ્રજીત જેવા પાત્રોને આવા સંવાદો બોલતા સાંભળવું અજીબ લાગે છે. તમે કહો છો કે તમે વાલ્મીકિ રામાયણનું સ્ક્રીન એડેપ્ટેશન બનાવી રહ્યા છો. તમે તમારી ફિલ્મમાં આધુનિક ટચ આપી રહ્યા છો તે ખૂબ જ સારી વાત છે. તમે તમારી ફિલ્મના ડિસ્ક્લેમરમાં કહી રહ્યા છો કે રામાયણ અલગ-અલગ લોકોએ પોતપોતાના મંતવ્ય પ્રમાણે લખી છે. અમે તેને અમારા જુદા જુદા દૃષ્ટિકોણથી બતાવીએ છીએ. તે ખૂબ જ સારી છે. પણ તમે આંખો બંધ કરીને આવા ડાયલોગ કેવી રીતે લખી શકો?
ફિલ્મમાં આ ડાયલોગ્સ રાખવાનો શો અર્થ છે?
ફિલ્મ બનાવવા માટે ઘણા લોકો હોય છે. દરેક દ્રશ્ય, ફ્રેમ, અભિવ્યક્તિ જુદા જુદા લોકોની આંખોમાંથી પસાર થાય છે. બધું જ જોવામાં અને પરખાય છે, તો પછી ડાયલોગ કેમ નહીં? ‘આદિપુરુષ’ જેવી ફિલ્મમાં આ ડાયલોગ્સ રાખવાનો શો અર્થ છે? આ સંવાદો દ્વારા કયા યુગની વાર્તા અને લાગણીઓને અભિવ્યક્ત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ આ સંવાદોએ ચોક્કસપણે આ ફિલ્મને હાસ્યાસ્પદ બનાવી દીધી છે. આ બધા પછી લોકો તો કહેશે કે, ભ્રાતાશ્રીએ તેમના ડાયલોગથી ‘આદિપુરુષ’ની વાટ લગાવી દીધી છે.