‘તાજ મહેલ અને લાલ કિલ્લો તોડી નાંખો…’ મુઘલોને આક્રમણકારો કહેતા ભડકી ઉઠયા અભિનેતા નસીરુદ્દીન શાહ !

હવે તો બોલિવૂડ સ્ટાર્સે પણ ચર્ચામાં રહેવા માટે વિવાદિત નિવેદનોનો સહારો લેવા લાગ્યા છે. હાલમાં દિગ્ગજ અભિનેતા નસીરુદ્દીન શાહે ગુસ્સામાં આવીને એવું નિવેદન આપી દીધું છે કે જેની ભારે ચર્ચા થઈ રહી છે.

'તાજ મહેલ અને લાલ કિલ્લો તોડી નાંખો...' મુઘલોને આક્રમણકારો કહેતા ભડકી ઉઠયા અભિનેતા નસીરુદ્દીન શાહ !
Naseeruddin shah got angry
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2023 | 9:11 AM

ભારતમાં રાજકારણ બાદ સૌથી વધારે ચર્ચામાં રહે છે બોલિવૂડ. રાજકારણમાં અલગ અલગ પાર્ટીઓના વિવાદો અને નેતાઓના વિવાદિત નિવેદનોને કારણે સમાચારોમાં હંમેશા રાજનેતાઓ છવાઈ રહેતા હોય છે. પણ હવે તો બોલિવૂડ સ્ટાર્સે પણ ચર્ચામાં રહેવા માટે વિવાદિત નિવેદનોનો સહારો લેવા લાગ્યા છે. હાલમાં દિગ્ગજ અભિનેતા નસીરુદ્દીન શાહે ગુસ્સામાં આવીને એવું નિવેદન આપી દીધું છે કે જેની ભારે ચર્ચા થઈ રહી છે.

આગામી વેબ સિરીઝ ‘તાજ’માં નસીરુદ્દીન શાહ મુઘલ બાદશાહ અકબરની ભૂમિકામાં જોવા મળશે. મુઘલોને આક્રમણકારો કહેવા પણ નસીરુદ્દીન શાહ ભડકી ઉઠયા હતા. તેમણે કહ્યું કે, મધ્યયુગમાં કોઈ કારણોસર મુઘલ શાસકોને ખલનાયક બનાવી દેવામાં આવ્યા હતા. તેમણે પોતાના રોલની ખુલીને ચર્ચા કરી હતી અને સાથે જણાવ્યું હતું કે આ શાસકો વિશે આજના સમયમાં ચર્ચા થવી જોઈએ.

મુઘલો લૂટેરા ન હતા – નસીરુદ્દીન શાહ

નસીરુદ્દીન શાહે જણાવ્યું કે, 1526થી લઈને ત્રણ સદી સુધી મુઘલોએ ઉત્તર ભારતના મોટા ભાગમાં શાસન કર્યું હતું. છેલ્લા કેટલાક વર્ષોથી મુઘલોની આક્રમણકારો તરીકેની ક્રૂર છબી બનાવવામાં આવી રહી છે. લોકોનું માનવું છે કે તેમણે આપણી સંસ્કૃતિને ખરાબ કરી છે, ભારતના લોકો તેમના યોગદાન પર સવાલ ઉઠાવી રહ્યાં છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

એક ઈન્ટરવ્યૂ દરમિયાન તેમણે જણાવ્યું કે, ‘તે મને ખૂબ જ આશ્ચર્યચકિત કરે છે, કારણ કે તે ખૂબ હાસ્યાસ્પદ છે. મારો મતલબ છે કે, લોકો અકબર અને નાદિર શાહ અથવા બાબરના દાદા તૈમૂર જેવા ખૂની આક્રમણખોર વચ્ચેનો તફાવત કહી શકતા નથી. આ એ લોકો હતા જે અહીં લૂંટ કરવા આવ્યા હતા, મુઘલો અહીં લૂંટ કરવા આવ્યા ન હતા. તેઓ આને તેમનું ઘર બનાવવા માટે અહીં આવ્યા હતા અને તેઓએ તે જ કર્યું. તેમના યોગદાનને કોણ નકારી શકે?’

‘લાલ કિલ્લાનો નાશ કરો…’

‘જો તેઓએ જે કંઈ કર્યું તે ભયંકર હતું, તો તાજમહેલ તોડી નાખો…. લાલ કિલ્લો તોડી નાખો, કુતુબમિનારને તોડી નાખો. લાલ કિલ્લાને આપણે પવિત્ર કેમ માનીએ છીએ, તે મુઘલે બાંધ્યો હતો. આપણે તેનો મહિમા કરવાની જરૂર નથી, પરંતુ આપણે તેને બદનામ કરવાની પણ જરૂર નથી. અકબર જેવા શાસકો ખલનાયક ન હતા. અભિનેતા નસીરુદ્દીન શાહે એક ઈન્ટવ્યૂ દરમિયાન આ વાત કહી હતી.

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">