AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઐશ્વર્યા અભિનીત ફિલ્મ ‘Ponniyin Selvan’ના શૂટિંગ દરમિયાન થયો અકસ્માત, મણિરત્નમની કંપની સામે નોંધાઈ FIR

હાલમાં, આ બાબતે મણિરત્નમ (Mani Ratnam) અથવા તેમના પ્રોડક્શન હાઉસ તરફથી કોઈ નિવેદન બહાર આવ્યું નથી. આ બાબતે ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક મણિરત્નમ કેવી પ્રતિક્રિયા આપે છે તે જોવાનું રહેશે.

ઐશ્વર્યા અભિનીત ફિલ્મ ‘Ponniyin Selvan’ના શૂટિંગ દરમિયાન થયો અકસ્માત, મણિરત્નમની કંપની સામે નોંધાઈ FIR
Mani Ratnam
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2021 | 7:43 AM

ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan) અભિનીત ફિલ્મ ‘પોન્નીયન સેલ્વન’ (Ponniyin Selvan) વિવાદોના દાયરામાં આવી ગઈ છે. ફિલ્મ નિર્માતા મણિરત્નમ (Mani Ratnam) ની કંપની સામે કેસ નોંધવામાં આવ્યો છે અને તેનું કારણ કથિત રીતે પોન્નીયન સેલ્વન ફિલ્મના શૂટિંગ દરમિયાન ઘોડાનું મૃત્યુ છે. પ્રાણીઓના અધિકારો માટે લડતી સંસ્થા પેટા ઈન્ડિયા (PETA India) ના જણાવ્યા અનુસાર, એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયા (AWBI) એ પોન્નીયન સેલ્વનના શૂટિંગ દરમિયાન ઘોડાના મૃત્યુની તપાસના આદેશ આપ્યા છે.

એક રિપોર્ટ અનુસાર, પોલીસ અધિકારીઓનું કહેવું છે કે તેમને 18 ઓગસ્ટના રોજ PETA ઇન્ડિયાના સ્વયંસેવક દ્વારા ઘોડાના મૃત્યુ અંગે ફરિયાદ મળી હતી. આ ફરિયાદના આધારે ગુરુવારે કેસ નોંધવામાં આવ્યો હતો. આ ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે 11 ઓગસ્ટના રોજ ફિલ્મ સ્ટુડિયો પાસે ખાનગી જમીન પર ફિલ્મના શૂટિંગ દરમિયાન એક ઘોડાનું મૃત્યુ થયું છે.

પ્રોડક્શન હાઉસ અને ઘોડાના માલિક સામે કેસ નોંધાયો

Hidden Gold : તમારા ઘરની કઈ ઇલેક્ટ્રોનિક વસ્તુઓમાં હોય છે સોનું ? જાણો
AC Tips : સારી ઊંઘ માટે રાત્રે AC કેટલા પર રાખવું જોઈએ?
ચાખ્યા વગર કેવી રીતે ખબર પડે કે કાકડી કડવી છે કે નહીં ?
160 દિવસના પ્લાનમાં ફ્રી કોલિંગ અને દરરોજ 2GB ડેટા ! BSNL યુઝર્સની મોજ
જયદીપ અહલાવતના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણીએ
10 ગ્રામ સોના પર કેટલા રૂપિયાની લોન મળી શકે છે?

હૈદરાબાદના અબ્દુલ્લાપુર્મેત પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું ફરિયાદના આધારે, પ્રોડક્શન હાઉસ મદ્રાસ ટોકીઝના મેનેજમેન્ટ અને ઘોડાના માલિક વિરુદ્ધ જાનવરો પ્રત્યે ક્રુરતા નિવારણ અધિનિયમ (Prevention of Cruelty to Animals Act) અને આઈપીસી હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, પશુ ચિકિત્સકે ઘોડાનું પોસ્ટમોર્ટમ કર્યું છે અને હાલમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

તે જ સમયે, PETA એ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે ઘટના અંગે વ્હિસલ-બ્લોઅર રિપોર્ટના આધારે PETA ઇન્ડિયાની ફરિયાદ બાદ AWBI એ હૈદરાબાદના જિલ્લા કલેક્ટર અને તેલંગાણા રાજ્ય પશુ કલ્યાણ બોર્ડ દ્વારા મૃત્યુની તપાસની માંગ કરી છે. આ અંગે તેમને એક પત્ર મોકલવામાં આવ્યો છે. પેટા એમ પણ કહે છે કે ઘોડાના મૃત્યુ બાદ તેને શૂટિંગ ગ્રાઉન્ડમાં જ દફનાવવામાં આવ્યો હતો. તેમને ફરિયાદો મળી હતી કે સેટ પર ઘણા ઘોડાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે ખૂબ થાકેલા દેખાતા હતા. પેટા કહે છે કે આજકાલ એટલી બધી ટેકનોલોજી આવી ગઈ છે, જેના દ્વારા પ્રોડક્શન હાઉસ કાલ્પનિક પ્રાણીઓ બનાવી શકે છે, તો પછી વાસ્તવિક પ્રાણીઓનું શોષણ કેમ થઈ રહ્યું છે.

હમણાં સુધી, આ બાબતે મણિરત્નમ અથવા તેમના પ્રોડક્શન હાઉસ તરફથી કોઈ નિવેદન બહાર આવ્યું નથી. આ બાબતે ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક મણિરત્નમ કેવી પ્રતિક્રિયા આપે છે તે જોવાનું રહેશે.

આ પણ વાંચો :- Good News : અક્ષય કુમારની ફિલ્મ ઓહ માય ગોડ 2 નું શૂટિંગ શરૂ, પંકજ ત્રિપાઠી પણ મચાવશે ધમાલ

આ પણ વાંચો :- પ્રભાસ સાથે લગ્ન કરવા માંગે છે Kriti Sanon, જાણો કયા અભિનેતા સાથે કરશે ફ્લર્ટ?

ગુજરાતમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ સામે પોલીસની કડક કાર્યવાહી
ગુજરાતમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ સામે પોલીસની કડક કાર્યવાહી
ભાવનગરના દરિયાઈ વિસ્તારની સુરક્ષા રામ ભરોસે
ભાવનગરના દરિયાઈ વિસ્તારની સુરક્ષા રામ ભરોસે
અમદાવાદ રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે પોલીસ એક્શનમાં- Video
અમદાવાદ રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે પોલીસ એક્શનમાં- Video
100થી વધુ લોકો ગેરકાયદે હોવાનું તપાસમાં ખુલ્યું
100થી વધુ લોકો ગેરકાયદે હોવાનું તપાસમાં ખુલ્યું
આ 5 રાશિના જાતકોને આજે જીવનમા પ્રગતિના સંકેત મળશે
આ 5 રાશિના જાતકોને આજે જીવનમા પ્રગતિના સંકેત મળશે
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! ગરમ પવન ફૂંકાવાની આગાહી
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! ગરમ પવન ફૂંકાવાની આગાહી
નર્મદા ડેમના અસરગ્રસ્તોની લડત : ટાવર પર ચઢીને કર્યો વિરોધ
નર્મદા ડેમના અસરગ્રસ્તોની લડત : ટાવર પર ચઢીને કર્યો વિરોધ
ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નિવેદનથી પાટીદાર સમુદાયમાં રોષ ફેલાયો
ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નિવેદનથી પાટીદાર સમુદાયમાં રોષ ફેલાયો
જામનગરમાં પોલીસ એકશનમાં ! 31 પાકિસ્તાની નાગરિકોને આપ્યું અલ્ટિમેટમ
જામનગરમાં પોલીસ એકશનમાં ! 31 પાકિસ્તાની નાગરિકોને આપ્યું અલ્ટિમેટમ
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ બહાર ગેરકાયદે બાંગ્લાદેશીઓએ કર્યો હંગામો
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ બહાર ગેરકાયદે બાંગ્લાદેશીઓએ કર્યો હંગામો
g clip-path="url(#clip0_868_265)">