Birthday Special: મહિમા ચૌધરી સાથે ઊછળ્યું હતું અજય દેવગણનું નામ, અભિનેત્રીએ ઘણા વર્ષો પછી તોડ્યું મૌન

|

Sep 13, 2021 | 8:33 AM

અભિનેત્રી મહિમા ચૌધરી(Mahima Chaudhry) પોતાનો 48 મો જન્મદિવસ ઉજવી રહી છે. મહિમાએ ઈન્ડસ્ટ્રીને અલવિદા કહ્યું છે પરંતુ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

Birthday Special: મહિમા ચૌધરી સાથે ઊછળ્યું હતું અજય દેવગણનું નામ, અભિનેત્રીએ ઘણા વર્ષો પછી તોડ્યું મૌન
when mahima chaudhry opens up about link up rumours with ajay devgn

Follow us on

બોલિવૂડ અભિનેત્રી મહિમા ચૌધરીએ (Mahima Chaudhry) ફિલ્મ પરદેસથી ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. તે શાહરુખ ખાનની સાથે તેની પહેલી ફિલ્મમાં જોવા મળી હતી. મહિમા તેની પહેલી ફિલ્મથી જ ઇન્ડસ્ટ્રીમાં છવાઈ ગઈ હતી. મહિમા ચૌધરી આજે (13 સપ્ટેમ્બરે) પોતાનો 48 મો જન્મદિવસ ઉજવી રહી છે. તેનો જન્મ 13 સપ્ટેમ્બર 1973 ના રોજ દાર્જિલિંગમાં થયો હતો. મહિમા પોતાના અંગત જીવન તેમજ વ્યાવસાયિક જીવન માટે ઘણી હેડલાઇન્સમાં રહી. આજે, તેમના જન્મદિવસ પર, ચાલો તમને આવા જ એક કિસ્સો વિશે જણાવીએ.

મહિમા ચૌધરીએ ગુડબાય કહીને બોલિવૂડ છોડી દીધું છે પરંતુ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે પોતાની દીકરી સાથે ઘણી તસવીરો શેર કરતી રહે છે. મહિમા ફાયર, ધડકન, ખિલાડી 420, દિલ હૈ તુમ્હારા જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. એક સમયે મહિમા ચૌધરી અને અજય દેવગણનું અફેર હોવાનું સામે આવ્યું હતું. આના પર, મહિમાએ ઘણા વર્ષો પછી મૌન તોડ્યું.

અજય દેવગન સાથેના અફેરના સમાચાર પર મૌન તોડ્યું

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

મહિમા ચૌધરીએ પોતાની બોલીવુડ કારકિર્દીમાં અજય દેવગણ સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું. એમાં એક ફિલ્મ હતી દિલ ક્યા કરે? આ ફિલ્મ અજય અને કાજોલના પ્રોડક્શન હાઉસ હેઠળ બની રહી હતી. તે દરમિયાન મહિમા અને અજયના અફેરના સમાચાર આવવા લાગ્યા.

મહિમા ચૌધરીએ આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે અજય અને કાજોલના લગ્ન 24 ફેબ્રુઆરી 1999 ના રોજ થયા હતા. તે દરમિયાન મહિમા અને અજયના અફેરના સમાચાર આવવા લાગ્યા હતા. મહિમાએ જણાવ્યું હતું કે તે દરમિયાન તેનો અકસ્માત થયો હતો. અને તે સમયે અજય દેવગન તેની સાથે ઉભા રહ્યા હતા. તેને સાથ આપ્યો હતો.

‘મહિમાએ કહ્યું કે દિલ ક્યા કરેના શૂટિંગ દરમિયાન બેંગ્લોરમાં કાર અકસ્માત દરમિયાન મારા ચહેરા પર ઈજા થઈ હતી. હું સ્વસ્થ ન થઇ ત્યાં સુધી આ ફિલ્મનું શૂટિંગ અધવચ્ચે અટકાવી દેવામાં આવ્યું હતું.’ મહિમા અજય દેવગણની બીજી ફિલ્મમાં મહેમાન કલાકાર પણ બનવાની હતી. જ્યારે તે સ્વસ્થ થઈને ફિલ્મના સેટ પર પાછી ગઈ ત્યારે તેણે ડિરેક્ટરને કહ્યું કે તેના કોઈ ક્લોઝ અપ શોટ ન લેવા. ડિરેક્ટરે શરૂઆતમાં સંમતિ આપી પરંતુ બાદમાં તે શૂટિંગ દરમિયાન તે વારંવાર કેમેરો તેના ચહેરા પાસે લાવતો હતો.

અજયે નોટીસ કરી વાત

મહિમાએ કહ્યું કે ‘અજયે મારી અગવડતા નોંધી અને તેણે પૂછ્યું શું તમે તૈયાર નથી? જ્યારે તેણે ના કહ્યું ત્યારે અજયે બધાને કહ્યું કે મહિમાને તેનો સમય આપવો જોઈએ. તે પછી જ્યારે અજયે ડિરેક્ટરને આ વાત કહી ત્યારે તેણે અજયને કારણ પૂછ્યું. અજયે જણાવ્યું કે મહિમા હમણાં જ અકસ્માતથી પરત આવી છે. આ સમયે નિર્દેશકે કહ્યું કે તો સેટ તોડવો પડશે અને અજયે કહ્યું ‘ઓકે’.

ડિરેક્ટરે કહ્યું કે અજયને પ્રેમ થઈ ગયો છે

મહિમાએ કહ્યું કે મને યાદ છે કે નિર્દેશક દરેકની પાસે ગયો અને કહ્યું કે અજય મહિમાના પ્રેમમાં પડી ગયો છે. તે પછી, મારા અને અજયના અફેરના સમાચાર મેગેઝિનમાં આવવા લાગ્યા. આને કારણે હું વધુ અસ્વસ્થ બની ગઈ. તે સમયે અજયના લગ્ન થયા હતા અને તેમના લગ્ન થયા ત્યાં સુધી ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયું ન હતું.

અજય દેવગણે કરી મદદ

મહિમા ચૌધરીએ જણાવ્યું હતું કે અકસ્માત દરમિયાન અજયે મને ઘણી મદદ કરી. હું મારી સારવાર કરાવવા બેંગ્લોર જવાની હતી પણ અજયે કહ્યું કે તેણે મુંબઈમાં તેની સારવાર કરાવવી જોઈએ અને તેણે બધી વ્યવસ્થા પણ કરી લીધી. મહિમાએ કહ્યું કે અજયના મેનેજરે તેને અને તેની માતાને ઘણી મદદ કરી હતી કારણ કે તે શહેરમાં નવી હતી.

 

આ પણ વાંચો: કેવો બોયફ્રેન્ડ જોઈએ છે કંગના રનૌતને? બોયફ્રેન્ડ રાજકારણથી હશે કે બોલિવૂડ? જાણો અભિનેત્રીનો જવાબ

આ પણ વાંચો: અક્ષય-અજયથી પાછળ રહી જવાના ડરથી પરેશાન શાહરુખ ખાન, આ વિડીયો જોઈને તમે પણ રહી જશો હેરાન

Next Article