AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લતા મંગેશકરને યાદ કરીને ભાવુક બની નાની બહેન આશા ભોસલે, બાળપણનો ફોટો શેર કરતા લખ્યું કંઈક આવું

લતા મંગેશકર અને આશા ભોસલે બંને પ્રતિભાશાળી ગાયિકાઓ હતા. બંનેએ તેમના પ્રોફેશનને કારણે ક્યારેય તેમના સંબંધોમાં તિરાડ પડવા દીધી નથી. લતા મંગેશકરની વિદાય બાદ આશા ભોંસલે ખૂબ જ દુઃખી છે.

લતા મંગેશકરને યાદ કરીને ભાવુક બની નાની બહેન આશા ભોસલે, બાળપણનો ફોટો શેર કરતા લખ્યું કંઈક આવું
Asha Bhosle-Lata Mangeshkar (PS : instagram)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 07, 2022 | 9:00 AM
Share

લતા મંગેશકરને (Lata Mangeshkar) રવિવારે આપણે ભીની આંખે વિદાઈ આપી હતી. લતા મંગેશકરના નિધનથી તેમના પરિવાર, ફેન્સ અને સમગ્ર દેશને આઘાત લાગ્યો છે. બહેનના ગયા પછી આશા ભોંસલેએ (Asha Bhosle) તેમની સાથે બાળપણનો ફોટો શેર કરીને તેમને યાદ કર્યા છે. આશા ભોસલેએ એક જૂનો ફોટો શેર કર્યો છે. જેમાં બંને બહેનો સાથે જોવા મળી રહી છે. આ ફોટો શેર કરતા આશા ભોંસલેએ લખ્યું, દીદી અને હું, બાળપણના પણ કેવા દિવસો હતા. આશા ભોંસલેની આ પોસ્ટ પર ફેન્સ બંને બહેનો પર પ્રેમ વરસાવી રહ્યા છે. આ સાથે જ લતા મંગેશકરને પણ શ્રદ્ધાંજલિ આપી છે.

આ સિવાય આશા ભોંસલેએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ પણ શેર કરી છે જેમાં લખ્યું છે કે દેશમાં બે દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે.

View this post on Instagram

A post shared by Asha Bhosle (@asha.bhosle)

તમને જણાવી દઈએ કે આશા ભોંસલે અને લતા મંગેશકર વિશે પહેલા ઘણા સમાચાર આવતા હતા. જ્યારે બંને હિન્દી સિનેમામાં ગાતા હતા ત્યારે બંને વચ્ચે સ્પર્ધા અને અણબનાવના સમાચાર પણ ચર્ચામાં રહ્યા હતા. જો કે એક ઈન્ટરવ્યુ દરમિયાન લતા મંગેશકરે આ વિશે ખુલીને વાત કરી હતી. લતા મંગેશકરે સ્પોટબોયને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, મારી અને આશા વચ્ચે હંમેશા બધું બરાબર રહ્યું છે.

અમે બંને એકબીજાની નજીક છીએ. હા, પણ તે તેના પરિવાર સાથે દૂર રહેતી હોવાથી અમને બહુ મળવાનું નથી. પહેલા અમે સાથે રહેતા હતા અને અમારા એપાર્ટમેન્ટના દરવાજા પણ સાથે શેર કરતા હતા. હા, ભૂતકાળમાં કેટલીક બાબતો બરાબર ન હતી એટલે કે, પરંતુ તે દરેક ભાઈ-બહેન વચ્ચે થાય છે. તે સમયે તેણે કંઈક એવું કર્યું હતું જે મને યોગ્ય ન લાગ્યું. જોકે, વાત ત્યાં જ પૂરી થઈ ગઈ હતી.

લતા મંગેશકરે વધુમાં કહ્યું હતું કે, અમે બંને એક જ પ્રોફેશનમાં છીએ, જેના કારણે આવા સમાચાર આવતા રહે છે, પરંતુ અમારી વચ્ચે ક્યારેય કોઈ હરીફાઈ નથી થઈ. અમારી બંનેની ગાવાની પોતપોતાની રીત છે.

લતાએ આશા અને ગણપતના લગ્ન પર વાત કરી

એટલું જ નહીં, લતા મંગેશકરે આશા ભોંસલેના પહેલા લગ્ન વિશે પણ વાત કરી હતી. લતા મંગેશકરે કહ્યું હતું કે, આશાએ 16 વર્ષની ઉંમરમાં ગણપત રાવ સાથે લગ્ન કર્યા હતા. તે બધું ખૂબ જ ઝડપથી થયું. મને પહેલેથી જ ખ્યાલ હતો કે એ સંબંધ જલ્દી ખતમ થઈ જશે. હવે આ આશાનો ફેંસલો હતો ત્યારે હું કંઈ કરી શકી ના હતી. આમ પણ અમારા પરિવારમાં ક્યારેય કોઈ બીજાના જીવનમાં દખલ કરતું નથી.

આ પણ વાંચો : કેરીનું પ્રોસેસિંગ કરી આ ખેડૂત કરી રહ્યા છે સારી કમાણી, છાલ અને ગોટલીમાંથી પણ બનાવે છે આ વસ્તું

આ પણ વાંચો : Foods tips : શિયાળામાં લાભ ઉઠાવો પારંપરીક મિઠાઇનો, સ્વાદની સાથે શરીર માટે પણ છે ગુણવાન

Follow Us
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
જુનાગઢમાં ઇંધણની કટોકટી: ડીઝલ અછત અને લાંબી કતારોથી વાહનચાલકોમાં રોષ
જુનાગઢમાં ઇંધણની કટોકટી: ડીઝલ અછત અને લાંબી કતારોથી વાહનચાલકોમાં રોષ
TMCના ઉમેદવાર જહાંગીરે ફલતા બેઠક પરથી ચૂંટણી લડવા કર્યો ઈન્કાર-Video
TMCના ઉમેદવાર જહાંગીરે ફલતા બેઠક પરથી ચૂંટણી લડવા કર્યો ઈન્કાર-Video
રાજકોટમાં ડીઝલ લેવા માટે ખેડૂતોની લાઈન, ઇંધણ ન મળતા ખેતીકામ પર અસર
રાજકોટમાં ડીઝલ લેવા માટે ખેડૂતોની લાઈન, ઇંધણ ન મળતા ખેતીકામ પર અસર
g clip-path="url(#clip0_868_265)">