Fact Check : લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપતા શાહરૂખ ખાન સાથે શું થઇ હતી ગેરસમજ, જાણો આ પાછળનું સત્ય અને સાચું કારણ

રવિવારે લતા મંગેશકર આ દુનિયાને અલવિદા કહી દીધું છે. ભારત રત્નને અંતિમ વિદાય આપવા માટે તમામ લોકો પહોંચ્યા જેમાં શાહરૂખ ખાન પણ સામેલ થયો હતો. જોકે શાહરૂખનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે તે ચર્ચામાં આવ્યો છે.

Fact Check : લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપતા શાહરૂખ ખાન સાથે શું થઇ હતી ગેરસમજ, જાણો આ પાછળનું સત્ય અને સાચું કારણ
shah rukh khan ( PS: Instagram)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 07, 2022 | 8:31 AM

ભારતની સ્વર કોકિલા લતા મંગેશકર (Lata Mangeshkar) રવિવારે આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. લતા મંગેશકરના અવસાનથી માત્ર પરિવાર અને તેમના ફેન્સ જ દુઃખી નથી, પરંતુ સમગ્ર દેશ તેમની ખોટ અનુભવી રહ્યો છે. લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપવા માટે પીએમ નરેન્દ્ર મોદીથી (PM Narendra Modi) લઈને મોટા રાજકારણીઓ અને બોલિવૂડ સેલેબ્સ પહોંચ્યા હતા. દરેકની આંખો ભીની હતી અને ચહેરા પર ઉદાસી હતી. લાંબા સમયથી પાપારાઝીથી દૂર રહેલા શાહરૂખ ખાન (Shah Rukh Khan)  પણ લતા મંગેશકરને વિદાય આપવા પહોંચ્યા હતા. જોકે, શાહરૂખને લઈને ખોટો દાવો પણ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના લોકો અને અભિનેતાના ફેન્સ ખૂબ જ નિરાશ છે.

હકીકતમાં જ્યારે શાહરૂખ તેના મેનેજર સાથે લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપવા આવ્યો હતો તે સમયે તેણે લતા મંગેશકર માટે પ્રાર્થના કરી હતી અને પછી માસ્ક નીચે ઉતારીને લતા મંગેશકરના પગ પાસે ફૂંક મારી જે દુઆ પછી કરવામાં આવે છે. પરંતુ શાહરૂખની આ મોમેન્ટને કેદ કરીને લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે શાહરૂખ થૂંક્યો છે. હવે આ કમેન્ટ અને વીડિયો વાયરલ થયા બાદ સ્વરા ભાસ્કર અને અશોક પંડિત તેમના સમર્થનમાં આવ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

સ્વરા ભાસ્કરે ટ્વીટ કર્યું, ‘રોજ આ નફરત કરનાર ચિન્ટુ પોતાની નફરતને દિલના ઊંડાણમાં છુપાવે છે અને પોતાના ચુસ્ત હૃદયની સાબિતી આપે છે. શાહરૂખ હજી પ્રાર્થના કરી રહ્યો છે પરંતુ આ નફરત કરનારાઓની માનસિકતા આ દેશમાંથી બહાર થૂંકવાને લાયક છે.

બીજી તરફ અશોક પંડિતે ટ્વિટ કરીને શાહરૂખ ખાન પર લતા મંગેશકરના અંતિમ સંસ્કારમાં થૂંકવાનો આરોપ લગાવ્યો તે ખોટું છે અને જેઓ આવું કરી રહ્યા છે તેમને શરમ આવવી જોઈએ. તેણે પ્રાર્થના કરી અને પછી આત્માની શાંતિ માટે ફૂંક મારી હતી. આપણા દેશમાં આવી નફરત ન ફેલાવી શકાય.

લતા મંગેશકર વિશે કહેવામાં આવે તો તેમણે 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. તે 8 જાન્યુઆરીથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હતી. કોવિડ પોઝિટિવ હોવાનું અને ન્યુમોનિયાના લક્ષણો હોવાના કારણે તે ICUમાં હતી. દરરોજ તેના સ્વાસ્થ્યના અપડેટ્સ આવતા રહે છે. તેમની તબિયતમાં સુધારાના સમાચાર આવ્યા હતા. પરંતુ પછી શનિવારે અપડેટ આવ્યું કે તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ છે અને પછી રવિવારે સવારે તેમના મૃત્યુના સમાચાર આવ્યા હતા.

આ પણ વાંચો :  Good news : ભારતમાં વધુ એક વેક્સિનને મળી મંજૂરી, DCGI સિંગલ-ડોઝ Sputnik Lightના ઇમરજન્સી ઉપયોગ માટે આપી લીલી ઝંડી

આ પણ વાંચો : Lata Mangeshkar Died: લતા મંગેશકરે પોતાના અવાજથી 5 વખત દેશને કર્યો સપોર્ટ, જાણો તેમના યોગદાન વિશે

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">