શાહરૂખના ઘરની બહાર આર્યનના જામીન માટે પંડિત કરી રહ્યા હતા હનુમાન ચાલીસા, Video સોશિયલ મીડિયા પર વાયરલ
સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને આર્થર રોડ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. મન્નતની બહાર ચાહકોની ભીડ ઉમટી છે. ત્યારે મન્નત બહાર એક પંડિતનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
Viral Video : ડ્રગ્સ કેસમાં ફસાયેલા શાહરૂખ ખાનના પુત્ર આર્યનને જેલમાંથી મુક્તિ મળી છે. પુત્રને લેવા માટે શાહરૂખ ખાન અને ગૌરી ખાન આર્થર રોડ જેલ પહોંચ્યા હતા. આર્યનને બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court) દ્વારા જામીન મળ્યા ત્યારથી શાહરૂખ ખાનના ઘર મન્નત બહાર તહેવાર જેવો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે હાલમાં એક પંડિતનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે, જે મન્નત બહાર આર્યન ખાનના જામીન માટે હનુમાન ચાલીસાના પાઠ કરતા જોવા મળે છે.
આર્યનને જામીન મળતા જ ચાહકોમાં ખુશીની લહેર જોવા મળી હતી, ત્યારે આજે આર્યનના આગમનને લઈને મન્નત બહાર ચાહકોની ભીડ ઉમટી છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં (Video) જોવા મળે છે કે, શાહરુખ ખાનના ઘરની બહાર આ પંડિત આર્યનના માટે હનુમાન ચાલીસાના પાઠ કરતા જોવા મળે છે. આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે.
જુઓ વીડિયો
View this post on Instagram
આર્યન ખાનને મળી રાહત
આર્યનને મુંબઈ હાઈકોર્ટે 28 ઓક્ટોબર 2021ના રોજ જામીન આપ્યા હતા. આર્યનની લીગલ ટીમમાં મુકુલ રોહતગી, સતીશ માનશિંદે અને અમિત દેસાઈ સામેલ હતા. વકીલ મુકુલ રોહતગીએ જણાવ્યું હતું કે, શાહરૂખ જેલમાં પોતાના પુત્રને લઈને ખૂબ જ ચિંતિત હતો. જ્યારે શાહરૂખ ખાનને જામીનના સમાચાર મળ્યા ત્યારે તેની આંખોમાં ખુશીના આંસુ હતા. તેણે કહ્યું હતું કે ખુશીના સમાચારની રાહ જોતા તે વારંવાર કોફી પીતો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: Aryan khan bail : શાહરુખ ખાન ‘મન્નત’થી નીકળી આર્થર રોડ જેલ જવા રવાના
આ પણ વાંચો: Puneeth Rajkumarએ પિતાના ફૂટ સ્ટેપ્સને કર્યા ફોલો, દાન કરી પોતાની આંખો