AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dadasaheb Phalke Award: સાઉથનાં સુપરસ્ટાર Rajnikanthને દાદા સાહેબ ફાળકે એવોર્ડ એનાયતની જાહેરાત

Dadasaheb Phalke Award: કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે ગુરુવારે દાદાસાહેબ ફાળકે એવોર્ડની જાહેરાત કરી હતી. આ વખતે સાઉથના સુપરસ્ટાર Rajnikanthને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવશે.

Dadasaheb Phalke Award: સાઉથનાં સુપરસ્ટાર Rajnikanthને દાદા સાહેબ ફાળકે એવોર્ડ એનાયતની જાહેરાત
Rajnikanth
Niyati Trivedi
| Edited By: | Updated on: Apr 01, 2021 | 11:07 AM
Share

Dadasaheb Phalke Award:  કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે ગુરુવારે દાદાસાહેબ ફાળકે એવોર્ડની જાહેરાત કરી હતી. આ વખતે સાઉથના સુપરસ્ટાર Rajnikanthને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવશે.પ્રકાશ જાવડેકરે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, રજનીકાંત છેલ્લા 5 દાયકાથી સિનેમા જગત પર રાજ કરી રહ્યા છે અને લોકોનું મનોરંજન કરી રહ્યા છે. આ જ કારણ છે કે આ વખતે દાદા સાહેબ ફાળકેની જ્યુરીએ રજનીકાંતને આ એવોર્ડ આપવાનો નિર્ણય કર્યો છે.

આપને જણાવી દઇએ કે રજનીકાંતનું બાળપણ મુશ્કેલીઓથી ભરેલું રહ્યું છે. બાળપણમાં તેમમે આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો હતો. રજનીકાંતનું અસલીનામ શિવાજી રાવ ગાયકવાડ હતુ. આ જ શિવાજીરાવ આજે રજનીકાંત બન્યા છે. રજ્નીકાંત 5 વર્ષના હતા ત્યારે તેમની માતાનું મૃત્યુ થયુ હતું. માતાના મૃત્યુ બાદ પરિવારની જવાબદારી તેમના ખભા પર આવી ગઇ. રજનીકાંત માટે ઘર ચલાવવું સરળ ન હતું. તેમણે ઘર ચલાવવા માટે કૂલીનુ કામ પણ કર્યુ

રજનીકાંત ફિલ્મોમાં આવ્યા તે પહેલા કંડકટરની નોકરી કરતા હતા. રજ્નીકાંતે તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બાલચંદ્રની ફિલ્મ અપૂર્વા રાગનગાલમા એન્ટ્રી લીધી હતી. આ ફિલ્મમાં કમલ હાસન અને શ્રી વિધા પણ હતી. રજનીકાંતે પોતોના અભિનયની શરુઆત કન્ન઼ડ નાટકોથી કરી હતી. દુર્યોધનની ભૂમિકામાં રજનીકાંત ઘર ઘરમાં લોકપ્રિય થયા હતા.

Follow Us
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
g clip-path="url(#clip0_868_265)">