AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આલિયા ભટ્ટે રણબીર કપૂર સાથે ઋષિ કપૂરની છેલ્લી ફિલ્મ ‘શર્માજી નમકીન’ નિહાળી, આપ્યું કંઈક આવું રીએક્શન

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર એ બોલિવૂડના સૌથી લોકપ્રિય સ્ટાર કપલમાંના એક છે. આલિયા નિયમિતપણે કપૂર ખાનદાનના ફંક્શન્સ અને ઈવેન્ટ્સમાં હાજરી આપતી જોવા મળે છે. તેણી પોતાના સોશિયલ મીડિયા પર કપૂર ખાનદાનના સભ્યો સાથે અનેક તસવીરો શેયર કરતી રહે છે.

આલિયા ભટ્ટે રણબીર કપૂર સાથે ઋષિ કપૂરની છેલ્લી ફિલ્મ 'શર્માજી નમકીન' નિહાળી, આપ્યું કંઈક આવું રીએક્શન
Alia Bhatt At Sharmaji Namkin Premier With Kapoor Family
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 10, 2022 | 5:45 PM
Share

બોલિવૂડમાં આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણબીર કપૂર (Ranbir Kapoor) પરફેક્ટ કપલ ગણાય છે. તેઓ જાહેરમાં વારંવાર એકબીજાને સપોર્ટ કરતાં જોવા મળે છે. તાજેતરમાં અભિનેત્રી રણબીર કપૂર અને નીતુ કપૂર સાથે જોડાઈ હતી. તેણીએ રણબીરના પરિવાર સાથે દિવંગત અભિનેતા ઋષિ કપૂરની (Rishi Kapoor) છેલ્લી ફિલ્મ ‘શર્માજી નમકીન’ (Sharmaji Namkeen) નિહાળી હતી.

Riddhima Kapoor Sahani & Ranbir Kapoor & Neetu Kapoor

અત્રે ઉલ્લેખનીય છે કે શર્માજી નમકીનના નિર્માતાઓએ દિવંગત અભિનેતા ઋષિ કપૂરની યાદમાં એક સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું. જેમાં નીતુ કપૂર (Neetu Kapoor), રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને પરિવારના અન્ય સભ્યોએ સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. સ્વર્ગસ્થ અભિનેતા ઋષિ કપૂરની છેલ્લી ઓન-સ્ક્રીન ભૂમિકા વાળી ફિલ્મ શર્માજી નમકીન એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થવાની છે.

રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર સાહનીએ (Riddhima Kapoor Sahani) શર્માજી નમકીન ફિલ્મના સ્ક્રીનિંગની કેટલીક તસવીરો શેયર કરી છે. તેણીએ તેના સ્વર્ગસ્થ પિતાને દર્શાવતી ફિલ્મની એક તસવીર શેયર કરી હતી અને કેપ્શનમાં લખ્યું કે “પપ્પા અમને છોડીને ચાલ્યા ગયા છે, જેના બે વર્ષ થયા છે, પરંતુ તેમનો કરિશ્મા હજુ પણ અનુભવાય છે અને તેની દંતકથા હજુ પણ જીવંત છે અને કાયમ રહેશે.

આજે જ્યારે હું મારા પિતાની છેલ્લી ફિલ્મ જોઈ રહી છું, ત્યારે તેમનામાં એક સમર્પિત પુત્ર અને ભાઈ, એક પ્રેમાળ પતિ અને બ્રહ્માંડના સૌથી અદ્ભુત પિતા, હું તેમની પુત્રી હોવાનો ખૂબ જ ગર્વ અનુભવું છું! ફિલ્મ પૂરી કરવા બદલ પરેશજી તમારો આભાર. પરિવાર હંમેશા તમારી દયા ભાવના  માટે ઋણી રહેશે.”

આલિયા ભટ્ટ અને રિદ્ધિમા કપૂર સાહનીએ દિવંગત અભિનેતા ઋષિ કપૂર માટે જણાવ્યું છે કે, મહાન વ્યક્તિઓ હંમેશા આપની યાદોમાં જીવંત રહેશે. તેઓ ક્યારેય પણ મરતાં નથી.

ઋષિ કપૂર તેમના આકસ્મિક અવસાનને કારણે આા ફિલ્મ પૂરી કરી શક્યા ન હતા. તેમના આકસ્મિક અવસાન બાદ આ ફિલ્મમાં જાણીતા અભિનેતા પરેશ રાવલ (Paresh Rawal) જોડાયા હતા. “તાજેતરમાં સાંભળેલી સૌથી મીઠી, સૌથી ગરમ અને સૌથી મનોરંજક સ્ક્રિપ્ટ છે. જ્યારે મેં આ સ્ક્રિપ્ટ પહેલીવાર સાંભળી, ત્યારથી જ હું ખૂબ ઉત્સાહિત હતી. આખી ફિલ્મના સંવાદો તમને હસાવતા રહે છે અને ચિન્ટુજીની ભૂમિકા તેમના માટે તૈયાર કરવામાં આવી હતી,” ફિલ્મની અભિનેત્રી જુહી ચાવલાએ (Juhi Chawla) આ ફિલ્મ વિશે જણાવ્યું હતું.

શર્માજી નમકીનનું નિર્દેશન હિતેશ ભાટિયા દ્વારા કરવામાં આવ્યું છે અને એક્સેલ એન્ટરટેઈનમેન્ટ દ્વારા મેકગફીન પિક્ચર્સ સાથે મળીને આા ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં જુહી ચાવલા, સુહેલ નય્યર, તારુક રૈના, સતીશ કૌશિક, શીબા ચઢ્ઢા અને ઈશા તલવાર પણ જોવા મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે શર્માજી નમકીન 31 માર્ચે અમેઝોન પ્રાઈમ વીડિયો પ્લેટફોર્મ પર રિલીઝ થશે.

આ પણ વાંચો – નેટીઝન્સે આલિયા ભટ્ટની હોલીવુડ ડેબ્યૂ માટે કરી પ્રશંસા, લોકોએ કહ્યું કે ‘તેનામાં ઓસ્કાર જીતવાની ક્ષમતા છે’

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">