આલિયા ભટ્ટે રણબીર કપૂર સાથે ઋષિ કપૂરની છેલ્લી ફિલ્મ ‘શર્માજી નમકીન’ નિહાળી, આપ્યું કંઈક આવું રીએક્શન

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર એ બોલિવૂડના સૌથી લોકપ્રિય સ્ટાર કપલમાંના એક છે. આલિયા નિયમિતપણે કપૂર ખાનદાનના ફંક્શન્સ અને ઈવેન્ટ્સમાં હાજરી આપતી જોવા મળે છે. તેણી પોતાના સોશિયલ મીડિયા પર કપૂર ખાનદાનના સભ્યો સાથે અનેક તસવીરો શેયર કરતી રહે છે.

આલિયા ભટ્ટે રણબીર કપૂર સાથે ઋષિ કપૂરની છેલ્લી ફિલ્મ 'શર્માજી નમકીન' નિહાળી, આપ્યું કંઈક આવું રીએક્શન
Alia Bhatt At Sharmaji Namkin Premier With Kapoor Family
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 10, 2022 | 5:45 PM

બોલિવૂડમાં આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણબીર કપૂર (Ranbir Kapoor) પરફેક્ટ કપલ ગણાય છે. તેઓ જાહેરમાં વારંવાર એકબીજાને સપોર્ટ કરતાં જોવા મળે છે. તાજેતરમાં અભિનેત્રી રણબીર કપૂર અને નીતુ કપૂર સાથે જોડાઈ હતી. તેણીએ રણબીરના પરિવાર સાથે દિવંગત અભિનેતા ઋષિ કપૂરની (Rishi Kapoor) છેલ્લી ફિલ્મ ‘શર્માજી નમકીન’ (Sharmaji Namkeen) નિહાળી હતી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Riddhima Kapoor Sahani & Ranbir Kapoor & Neetu Kapoor

અત્રે ઉલ્લેખનીય છે કે શર્માજી નમકીનના નિર્માતાઓએ દિવંગત અભિનેતા ઋષિ કપૂરની યાદમાં એક સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું. જેમાં નીતુ કપૂર (Neetu Kapoor), રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને પરિવારના અન્ય સભ્યોએ સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. સ્વર્ગસ્થ અભિનેતા ઋષિ કપૂરની છેલ્લી ઓન-સ્ક્રીન ભૂમિકા વાળી ફિલ્મ શર્માજી નમકીન એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થવાની છે.

રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર સાહનીએ (Riddhima Kapoor Sahani) શર્માજી નમકીન ફિલ્મના સ્ક્રીનિંગની કેટલીક તસવીરો શેયર કરી છે. તેણીએ તેના સ્વર્ગસ્થ પિતાને દર્શાવતી ફિલ્મની એક તસવીર શેયર કરી હતી અને કેપ્શનમાં લખ્યું કે “પપ્પા અમને છોડીને ચાલ્યા ગયા છે, જેના બે વર્ષ થયા છે, પરંતુ તેમનો કરિશ્મા હજુ પણ અનુભવાય છે અને તેની દંતકથા હજુ પણ જીવંત છે અને કાયમ રહેશે.

આજે જ્યારે હું મારા પિતાની છેલ્લી ફિલ્મ જોઈ રહી છું, ત્યારે તેમનામાં એક સમર્પિત પુત્ર અને ભાઈ, એક પ્રેમાળ પતિ અને બ્રહ્માંડના સૌથી અદ્ભુત પિતા, હું તેમની પુત્રી હોવાનો ખૂબ જ ગર્વ અનુભવું છું! ફિલ્મ પૂરી કરવા બદલ પરેશજી તમારો આભાર. પરિવાર હંમેશા તમારી દયા ભાવના  માટે ઋણી રહેશે.”

આલિયા ભટ્ટ અને રિદ્ધિમા કપૂર સાહનીએ દિવંગત અભિનેતા ઋષિ કપૂર માટે જણાવ્યું છે કે, મહાન વ્યક્તિઓ હંમેશા આપની યાદોમાં જીવંત રહેશે. તેઓ ક્યારેય પણ મરતાં નથી.

ઋષિ કપૂર તેમના આકસ્મિક અવસાનને કારણે આા ફિલ્મ પૂરી કરી શક્યા ન હતા. તેમના આકસ્મિક અવસાન બાદ આ ફિલ્મમાં જાણીતા અભિનેતા પરેશ રાવલ (Paresh Rawal) જોડાયા હતા. “તાજેતરમાં સાંભળેલી સૌથી મીઠી, સૌથી ગરમ અને સૌથી મનોરંજક સ્ક્રિપ્ટ છે. જ્યારે મેં આ સ્ક્રિપ્ટ પહેલીવાર સાંભળી, ત્યારથી જ હું ખૂબ ઉત્સાહિત હતી. આખી ફિલ્મના સંવાદો તમને હસાવતા રહે છે અને ચિન્ટુજીની ભૂમિકા તેમના માટે તૈયાર કરવામાં આવી હતી,” ફિલ્મની અભિનેત્રી જુહી ચાવલાએ (Juhi Chawla) આ ફિલ્મ વિશે જણાવ્યું હતું.

શર્માજી નમકીનનું નિર્દેશન હિતેશ ભાટિયા દ્વારા કરવામાં આવ્યું છે અને એક્સેલ એન્ટરટેઈનમેન્ટ દ્વારા મેકગફીન પિક્ચર્સ સાથે મળીને આા ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં જુહી ચાવલા, સુહેલ નય્યર, તારુક રૈના, સતીશ કૌશિક, શીબા ચઢ્ઢા અને ઈશા તલવાર પણ જોવા મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે શર્માજી નમકીન 31 માર્ચે અમેઝોન પ્રાઈમ વીડિયો પ્લેટફોર્મ પર રિલીઝ થશે.

આ પણ વાંચો – નેટીઝન્સે આલિયા ભટ્ટની હોલીવુડ ડેબ્યૂ માટે કરી પ્રશંસા, લોકોએ કહ્યું કે ‘તેનામાં ઓસ્કાર જીતવાની ક્ષમતા છે’

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">