URI બાદ વિકી, રોની અને આદિત્યની ત્રિપુટી લઈને આવી રહ્યા છે ‘અશ્વત્થામા’

સુપરહિટ ફિલ્મ 'ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક'ને રિલીઝ ડેટને આજે એટલે કે 11 જાન્યુઆરીએ બે વર્ષ પુરા થયા છે. એવામાં વિકી કૌશલ, આદિત્ય અને રોનીએ પોતાના આગામી પ્રોજેક્ટની જાહેરાત કરી દીધી છે.

URI બાદ વિકી, રોની અને આદિત્યની ત્રિપુટી લઈને આવી રહ્યા છે 'અશ્વત્થામા'
અશ્વત્થામા ફિલ્મમાં જોવા મળશે વિકી કૌશલ
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Jan 11, 2021 | 7:38 PM

સુપરહિટ ફિલ્મ ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈકને રિલીઝ ડેટને આજે એટલે કે 11 જાન્યુઆરીએ બે વર્ષ પુરા થયા છે. એવામાં વિકી કૌશલ, આદિત્ય અને રોનીએ પોતાના આગામી પ્રોજેક્ટની જાહેરાત કરી દીધી છે. આજે વિકીએ આગામી ફિલ્મ અશ્વત્થામાનો ફસ્ટ લૂક જાહેર કર્યો છે. અશ્વસ્થામાં એક સાયન્ટીફીક ફિલ્મ હશે અને મહાભારતના પાત્ર અશ્વત્થામા પર આધારિત હશે.

ashwatthama

અશ્વત્થામાનું પોસ્ટર થયું રિલીઝ

2018 માં ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈકને ખુબ પ્રશંસા મળી હતી. જે આદિત્ય ધર દ્વારા દિગ્દર્શિત અને રોની સ્ક્રુવાલા દ્વારા નિર્મિત ફિલ્મ હતી. બોક્સઓફીસ પર આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. ફિલ્મે ત્રણ રાષ્ટ્રીય એવોર્ડ જીત્યા હતા. તેમજ વિકી કૌશલને ઉરીમાં અભિનય માટે રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો. ઉપરાંત દિગ્દર્શક આદિત્ય ધરને પણ તેમના ડિરેક્શન માટે એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મ આજે રિલીઝના બે વર્ષ પૂરાં કર્યા છે. હવે આ ત્રિપુટી અશ્વત્થામાપ્રોજેક્ટ પર કામ કરી રહી છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
Vicky kaushal, Uri

ઉરીને દર્શકોનો ભરપુર પ્રેમ મળ્યો

અશ્વત્થામાફિલ્મ એક સાયન્ટીફીક અને મહાભારતના અશ્વત્થામા પાત્ર પર આધારિત હશે. આદિત્યએ ફિલ્મ વિશે જણાવ્યું હતું કે, “અમે ઉરીને બે વર્ષમાં મળેલા પ્રેમથી અભિભૂત છીએ. અને આ પ્રેમના સાથે જ દર્શકોની અપેક્ષા પર ખરા ઉતારવાની જવાબદારી પણ વધી જાય છે. અશ્વત્થામામાં અમે પ્રેક્ષકોએ પહેલાં ક્યારેય ન જોયા હોય તેવા અદભૂત દ્રશ્યો સાથે રજુ કરવા જઈ રહ્યા છીએ. અને એના માટે હું સખત મહેનત કરી રહ્યો છું. હું વચન આપું છું, આ માત્ર એક ફિલ્મ નહીં, પણ એક અનુભવ હશે. આ ફિલ્મને હું મહાકાવ્ય તરીકે કહેવાની જવાબદારી લઈ રહ્યો છું. જે રીતે રજુ થવું જોઈએ. મને આશા છે કે દર્શકો અશ્વત્થામાને પણ ઉરી જેટલો જ પ્રેમ આપશે.”

વિકી કૌશલે આ ફિલ્મને પોતાના કરિયરની મોટી ફિલ્મ કહી છે. વિકી એ જણાવ્યું હતું કે અશ્વત્થામા આદિત્યનો ડ્રીમ પ્રોજેક્ટ છે. આ ફિલ્મને તેને રોની જેવા દૂરંદેશી નિર્માતાની જરૂર હતી. અભિનેતા તરીકે મારા નવો અનુભવ હશે જ્યાં મને અભિનયની સાથે સાથે ટેકનોલોજીના નવા સ્વરૂપ જાણવા મળશે. આ અભૂતપૂર્વ ટીમ સાથે ટૂંક સમયમાં જ કામ શરુ થશે.” વિકીએ સોશિયલ મીડિયા ફસ્ટ લૂક જાહેર કર્યો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">