AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Kashmir Files : ફિલ્મ રિલીઝ થયા બાદ અનુપમ ખેરના ઘરે પંડિતોની લાઈન લાગી, અભિનેતાએ જણાવ્યું કારણ

વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સમાં અનુપમ ખેર ઉપરાંત પલ્લવી જોશી, દર્શન કુમાર, મિથુન ચક્રવર્તી સહિતના ઘણા દિગ્ગજ કલાકારો જોવા મળે છે.

The Kashmir Files : ફિલ્મ રિલીઝ થયા બાદ અનુપમ ખેરના ઘરે પંડિતોની લાઈન લાગી, અભિનેતાએ જણાવ્યું કારણ
Actor Anupam Kher (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2022 | 9:11 AM
Share

The Kashmir Files : જ્યારથી અનુપમ ખેરની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ (The Kashmir Files) રીલિઝ થઈ છે ત્યારથી તે એક યા બીજા કારણોસર ચર્ચામાં રહી છે. આ ફિલ્મે અત્યાર સુધી બોક્સ ઓફિસ (The Kashmir Files Box Office Collection) પર ધમાકેદાર કમાણી કરી છે. દર્શકોએ ફિલ્મને ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો છે. અનુપમ ખેર સહિત આ ફિલ્મના તમામ કલાકારો લોકો તરફથી મળેલી પ્રતિક્રિયાથી એકદમ સંતુષ્ટ છે. હવે અનુપમ ખેરે(Anupam Kher)  પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે.

અનુપમ ખેરે વીડિયો શેર કરીને શું કહ્યું ?

અનુપમ આ વીડિયો દ્વારા કહી રહ્યા છે કે, જ્યારથી કાશ્મીર ફાઈલ્સ રિલીઝ થઈ છે ત્યારથી તેમના ઘરની નીચે પંડિતોની લાઈન લાગેલી છે. આ વીડિયોને શેર કરતા અનુપમ ખેરે કેપ્શનમાં લખ્યું, ‘છેલ્લા કેટલાક દિવસોથી ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ રિલીઝ થઈ ત્યારથી દર ત્રીજા અને ચોથા દિવસે પંડિત કે પૂજારી મારા ઘરની નીચે આવે છે અને પૂજા કરે છે અને કંઈપણ પૂછ્યા વગર જ નીકળી જાય છે. તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા બદલ હું આભારી અને કૃતજ્ઞ છું ! સર્વત્ર શિવ !’

જુઓ વીડિયો

View this post on Instagram

A post shared by Anupam Kher (@anupampkher)

ભારતમાં 250 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી શકે છે ફિલ્મ

વિવેક અગ્નિહોત્રી સ્ટારર ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ બોક્સ ઓફિસ પર સતત કમાણી કરી રહી છે. આ ફિલ્મે વિશ્વભરમાં 250 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. ફિલ્મ ટ્રેડ વિશ્લેષકો માને છે કે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ સિનેમાઘરોમાંથી દૂર થાય તે પહેલા ભારતમાં 250 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી શકે છે.

કાશ્મીરી પંડિતો પર આધારિત આ ફિલ્મમાં તેમના દર્દને દર્શકોની સામે ઉજાગર કરવામાં આવ્યા છે.જો કે આ દરમિયાન ઘણી વખત વિવેક અગ્નિહોત્રી અને તેની ફિલ્મ કોઈને કોઈ કારણસર વિવાદોનો પણ સામનો કરવો પડ્યો.વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સમાં અનુપમ ખેર ઉપરાંત પલ્લવી જોશી, દર્શન કુમાર, મિથુન ચક્રવર્તી સહિતના ઘણા દિગ્ગજ કલાકારો જોવા મળે છે.

આ પણ વાંચો : સલમાન ખાનની પૂર્વ પ્રેમિકા સોમી અલીએ પહેલા સોશિયલ મીડિયા પર સલમાનને આડકતરી ધમકી આપી, પછી પોસ્ટ ડિલીટ કરી નાખી, જાણો શું છે મામલો ?

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">