AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gadar 2 Sequel : ફિલ્મ ગદર 2ના શૂટિંગનું લખનૌ શેડ્યૂલ પૂરું, જાણો ફિલ્મ ક્યારે રિલીઝ થશે

2001માં આવેલી ફિલ્મ 'ગદર-એક પ્રેમ કથા (Gadar-Ek Prem Katha) 'ની સિક્વલ રિલીઝ થવાની છે. હાલમાં જ આ ફિલ્મનું શૂટિંગ લખનૌમાં ચાલી રહ્યું હતું, જે હવે પૂર્ણ થયું છે.

Gadar 2 Sequel :  ફિલ્મ ગદર 2ના શૂટિંગનું લખનૌ શેડ્યૂલ પૂરું, જાણો ફિલ્મ ક્યારે રિલીઝ થશે
Gadar 2 Sequel : ફિલ્મ ગદર 2ના શૂટિંગનું લખનૌ શેડ્યૂલ પૂરુંImage Credit source: movie poster
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 26, 2022 | 12:44 PM
Share

Gadar 2 Sequel : અભિનેતા સની દેઓલ (Sunny Deol)અને અભિનેત્રી અમીષા પટેલની ફિલ્મ ગદર આજે પણ લોકોના મનમાં જીવંત છે. આ એક એવી ફિલ્મ હતી જેને કોઈ ભૂલી શકે તેમ નથી. ફિલ્મમાં બંને કલાકારોના જોરદાર અભિનયે લોકોને તેમના દિવાના બનાવી દીધા હતા. ગદર (Gadar-Ek Prem Katha) ના અવિસ્મરણીય સંવાદો આજે પણ લોકોને મોઢે છે. ગદર ફિલ્મના ચાહકો માટે એક ખુશખબર આવી રહી છે. આ સમાચાર સાંભળીને ફરી એકવાર 2001ની ‘ગદર-એક પ્રેમ કથા’ની યાદો ચાહકોના દિલમાં તાજી થશે. ફિલ્મ ગદરની સિક્વલ બની રહી છે. નિર્દેશક અનિલ શર્માની આઇકોનિક પીરિયડ ડ્રામા ફિલ્મ ‘ગદર 2’નું લખનૌમાં શૂટિંગ પૂર્ણ થયું છે.

ફિલ્મનો બીજો ભાગ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહ્યો છે. હાલમાં જ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું, જે હવે પૂર્ણ થઈ ગયું છે.  ફિલ્મના શૂટિંગનું આગામી શેડ્યૂલ આ વર્ષે જૂન મહિનાથી શરૂ થશે.

તમને જણાવી દઈએ કે, સની દેઓલ અને અમિષા પટેલની ગદર 2 આ વખતે એ જ ઉત્સાહ અને નવા અનુભવ સાથે સ્ક્રીન પર રિલીઝ થશે. ફિલ્મનું શૂટિંગ લખનઉના બારાબંકીમાં સ્થિત જિલ્લા જેલમાં કરવામાં આવ્યું છે. ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શકે આ સિક્વન્સના શૂટિંગ માટે સરકાર પાસેથી પરવાનગી લીધી હતી. અગાઉ આ શૂટિંગ 16 એપ્રિલથી શરૂ થવાનું હતું, પરંતુ કેટલાક કારણોસર તેને સ્થગિત કરીને 20 એપ્રિલથી શરૂ કરવામાં આવ્યું હતું. જે બાદ હવે આ ફિલ્મનું શુટિંગ પુરૂ થઈ ગયું છે.

અભિનેતા સની દેઓલનું ટ્વિટ જુઓ

આ ફિલ્મમાં અભિનેતા સની દેઓલ અને અભિનેત્રી અમીષા પટેલ ફરી એકવાર તેમના ચાહકોનું દિલ જીતતા જોવા મળશે. સની દેઓલે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એ જ જૂના તારા સિંહના લૂકમાં પોતાની તસવીર શેર કરી છે.

View this post on Instagram

A post shared by Sunny Deol (@iamsunnydeol)

ચિત્રને કેપ્શન આપતા, અભિનેતાએ લખ્યું, “ફક્ત નસીબદાર થોડા લોકોને જ અદ્ભુત પાત્રોને જીવંત કરવાની તક મળે છે. તારા સિંહ 20 વર્ષ પછી ફરી આવ્યા છે. તેણે આગળ લખ્યું કે, ફિલ્મ ‘ગદર 2’નું પહેલું શેડ્યૂલ પૂરું કર્યા પછી મને ખૂબ સારું લાગે છે.

સત્તાવાર જાહેરાત બાદ અભિનેત્રી અમીષા પટેલે પણ ફિલ્મના સેટ પરથી કેટલીક તસવીરો શેર કરી હતી. તસવીરોમાં જ્યાં સની દેઓલ તારા સિંહના લૂકમાં જોવા મળ્યો હતો, તો બીજી તરફ અમીષાએ પણ તેનો જૂનો લૂક કેરી કર્યો હતો.

ફિલ્મ ગદર-2ની સિક્વલ આ વર્ષના અંત સુધીમાં સિનેમાઘરોમાં દસ્તક આપશે. દર્શકો અને ચાહકો આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

આ પણ વાંચો :

Maharashtra Hanuman Chalisa Row: શું નવનીત રાણાને આજે મળશે રાહત? મુંબઈ સેશન્સ કોર્ટમાંથી મળશે જામીન કે રહેશે જેલ?

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">