AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UP: PM મોદી આજે કાનપુર મેટ્રો રેલનું ઉદ્ઘાટન કરશે, પ્રવાસની સાથે પ્રોજેક્ટનું પણ કરશે નિરીક્ષણ, IIT-કાનપુરના દીક્ષાંત સમારોહમાં પણ ભાગ લેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાનપુરને અત્યાર સુધીની સૌથી મોટી અને અનોખી ભેટ આપવા જઈ રહ્યા છે. આ સાથે જ આજે કાનપુર આવી રહેલા પીએમ મોદી કાનપુર મેટ્રો પ્રોજેક્ટ સહિત કરોડો રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે.

UP: PM મોદી આજે કાનપુર મેટ્રો રેલનું ઉદ્ઘાટન કરશે, પ્રવાસની સાથે પ્રોજેક્ટનું પણ કરશે નિરીક્ષણ, IIT-કાનપુરના દીક્ષાંત સમારોહમાં પણ ભાગ લેશે
PM Narendra Modi (File)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 28, 2021 | 6:56 AM
Share

PM Modi UP Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) 28 ડિસેમ્બરે એટલે કે આજે (PM Modi UP Visit) ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના કાનપુર શહેરની મુલાકાત લેશે. આ સિવાય પીએમ મોદી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, કાનપુર (IIT-Kanpur)ના દીક્ષાંત સમારોહને સંબોધિત કરશે. આ સાથે તેઓ કાનપુર મેટ્રો રેલ પ્રોજેક્ટ(Kanpur Metro Rail Project) અને બીના-પંકી મલ્ટિપ્રોડક્ટ પાઇપલાઇન પ્રોજેક્ટ (Bina-Panki Multiproduct Pipeline Project)ના પૂર્ણ થયેલા સેક્શનનું પણ ઉદ્ઘાટન કરશે. 

વાસ્તવમાં, પીએમ મોદી મંગળવારે કાનપુર જશે અને લગભગ 1.30 વાગ્યે કાનપુર મેટ્રો રેલ પ્રોજેક્ટના પૂર્ણ થયેલા સેક્શનનું ઉદ્ઘાટન કરશે.  વડા પ્રધાન કાર્યાલય (PMO) અનુસાર, શહેરી ગતિશીલતામાં સુધારો એ PM મોદીના મુખ્ય ફોકસ ક્ષેત્રોમાંનો એક છે. આવી સ્થિતિમાં કાનપુર મેટ્રો રેલ પ્રોજેક્ટનો આખો 9 કિલોમીટર લાંબો વિસ્તાર IIT કાનપુરથી મોતી ઝિલ સુધી ફેલાયેલો છે. જો કે, કાનપુર મેટ્રો રેલ પ્રોજેક્ટની સમગ્ર લંબાઈ 32 કિમી છે અને તે 11,000 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવવામાં આવી રહી છે.

બે વર્ષથી ઓછા સમયમાં 9 કિમીનો કોરિડોર તૈયાર થઈ ગયો

 જણાવી દઈએ કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 15 નવેમ્બર, 2019 ના રોજ કાનપુર મેટ્રો પ્રોજેક્ટના નિર્માણ કાર્યની શરૂઆત કરી હતી અને બે વર્ષથી ઓછા સમયમાં, 10 નવેમ્બર, 2021 ના ​​રોજ, 9 કિમી IIT થી મોતીઝીલ પ્રાયોરિટી કોરિડોર પર ટ્રાયલ રન કરવામાં આવ્યું હતું. .પીએમ મોદી મેટ્રો રેલ પ્રોજેક્ટનું પણ નિરીક્ષણ કરશે અને IIT મેટ્રો સ્ટેશનથી ગીતા નગર સુધી મેટ્રોની સવારી પણ કરશે. ઉપરાંત, મેટ્રો રેલ પ્રોજેક્ટ ઉપરાંત, વડાપ્રધાન બિના-પંકી મલ્ટીપ્રોડક્ટ પાઇપલાઇન પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરશે. 

PM મોદી બ્લોકચેન આધારિત ડિજિટલ ડિગ્રી લોન્ચ કરશે

પીએમઓ અનુસાર, 356-કિમી-લાંબી બીના-પંકી મલ્ટિપ્રોડક્ટ પાઇપલાઇન પ્રોજેક્ટની ક્ષમતા વાર્ષિક 3.45 મિલિયન મેટ્રિક ટન છે. આ પહેલા પીએમ મોદી સવારે 11 વાગે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (આઈઆઈટી) કાનપુરના 54માં દીક્ષાંત સમારોહમાં પણ હાજરી આપશે. દીક્ષાંત સમારોહમાં, તમામ વિદ્યાર્થીઓને નેશનલ બ્લોકચેન પ્રોજેક્ટ હેઠળ સંસ્થામાં વિકસિત ઇન-હાઉસ બ્લોકચેન સંચાલિત ટેકનોલોજી દ્વારા ડિજિટલ ડિગ્રી આપવામાં આવશે. પ્રધાનમંત્રી બ્લોકચેન આધારિત ડિજિટલ ડિગ્રી લોન્ચ કરશે. આ ડિજિટલ ડિગ્રીઓ વૈશ્વિક સ્તરે ચકાસી શકાય છે અને આ ભૂલી ન શકાય તેવી ક્ષણ હશે.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">