AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UP Elections 2022: ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા આગ્રા પ્રવાસે, બરેલીમાં કરશે ડોર-ટૂ-ડોર અભિયાનની શરૂઆત

નડ્ડા ઓછા પાર્ટી પદાધિકારીઓની સાથે બેઠક કરશે, હાલમાં ભાજપ કાર્યકર્તાઓએ જે.પી.નડ્ડાના સ્વાગતની તૈયારીઓ પૂરી કરી લીધી છે.

UP Elections 2022: ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા આગ્રા પ્રવાસે, બરેલીમાં કરશે ડોર-ટૂ-ડોર અભિયાનની શરૂઆત
BJP chief JP Nadda (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 21, 2022 | 12:50 PM
Share

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી (Uttar pradesh assembly election 2022) ની વચ્ચે આજે ભાજપ (BJP) અધ્યક્ષ જે.પી.નડ્ડા (JP Nadda) આગ્રાના પ્રવાસ પર છે. તે પાર્ટી પદાધિકારીઓ અને કાર્યકર્તાઓને જીતવા માટેનો મંત્ર આપશે. રાજ્યમાં આચારસંહિતા લાગુ થયા બાદ આ તેમનો પ્રથમ પ્રવાસ છે. જ્યારે આ પહેલા નડ્ડા ઘણી વખત રાજ્યના પ્રવાસ પર આવી ચૂક્યા છે અને સંગઠનની બેઠકમાં ભાગ લઈ ચૂક્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આગ્રા પહોંચી જે.પી.નડ્ડા સૌથી પહેલા શમશાબાદ રોડ પર રાજેશ્વર મહાદેવ મંદિર જશે અને ત્યારબાદ તે રમાડામાં આગ્રા અને અલીગઢ મંડળની 40 વિધાનસભા સીટની સંગઠનાત્મક બેઠક લેશે અને કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરશે.

ઉત્તરપ્રદેશની ચૂંટણી દરમિયાન નડ્ડાનો આગ્રા પ્રવાસ ખુબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે રાજ્યના પ્રથમ ચરણનું મતદાન 10 ફેબ્રુઆરીએ થવાનું છે અને આ પહેલા પાર્ટી તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવા ઈચ્છે છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ચૂંટણી પંચે રેલીઓને મંજૂરી આપી નથી. નડ્ડા ઓછા પાર્ટી પદાધિકારીઓની સાથે બેઠક કરશે, હાલમાં ભાજપ કાર્યકર્તાઓએ જે.પી.નડ્ડાના સ્વાગતની તૈયારીઓ પૂરી કરી લીધી છે. ત્યારે પાર્ટીએ પણ કોવિડ પ્રોટોકોલના કારણે ખુબ જ ઓછા કાર્યકર્તાઓને પહોંચવા માટે કહેવામાં આવ્યું છે. તેની સાથે જ નડ્ડા આજે બરેલીનો પણ પ્રવાસ કરશે. જ્યાં તે ડોર-ટૂ-ડોર અભિયાનની શરૂઆત કરશે. તેની સાથે જ તે પાર્ટી પદાધિકારીઓની સાથે બેઠક કરશે.

ભાજપ ગત ચૂંટણીના પ્રદર્શનનું પુનરાવર્તન કરવા ઈચ્છે છે

રાજ્યમાં 2017માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને રાજ્યમાં મોટી જીત મળી હતી અને તેમાં બ્રજ ક્ષેત્રની પણ મહત્વની ભૂમિકા છે. તેથી, પાર્ટી આ વખતે પણ ભૂતકાળની કામગીરીનું પુનરાવર્તન કરવા માંગે છે. ભાજપ નેતાઓ મુજબ આજે નડ્ડા બરેલીમાં પણ ડોર-ટૂ-ડોર અભિયાનમાં ભાગ લેશે.

રાજેશ્વર મહાદેવ મંદિરના કરશે દર્શન

મળતી જાણકારી મુજબ આજે નડ્ડા સૌથી પહેલા રાજેશ્વર મહાદેવ મંદિર જશે. આ પ્રાચીન મંદિર છે અને શિવ ભક્તોની આસ્થાનું મોટુ કેન્દ્ર માનવામાં આવે છે અને દર વર્ષે શ્રાવણ મહિનામાં અહીં એક મોટા મેળાનું આયોજન કરવામાં આવે છે.

આ પણ વાંચો: એર ઈન્ડિયાએ 5G રોલઆઉટ બાદ ફરી યુએસ ફ્લાઈટ્સ શરૂ કરી, જાણો સમગ્ર વિગત

આ પણ વાંચો: સુરત : પોન્ઝી સ્કીમ ચલાવતી આર.ઇ.ગોલ્ડનું ઉઠમણું, અંદાજિત સાડા 5 લાખ સભ્યો છેતરાયાનું અનુમાન, કંપનીના પ્રમુખની અટકાયત

Follow Us
સરકારી વાહનો હોવા છતાં ખાનગી ગાડીમાં 'EVM' કઈ રીતે પહોંચ્યા?
સરકારી વાહનો હોવા છતાં ખાનગી ગાડીમાં 'EVM' કઈ રીતે પહોંચ્યા?
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
g clip-path="url(#clip0_868_265)">