UP Assembly Election Results 2022: મથુરાથી શ્રીકાંત શર્મા આગળ, જાણો અયોધ્યા અને કાશીની સ્થિતિ

યુપીની તમામ 403 સીટો પર કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતગણતરી ચાલી રહી છે. શ્રીકાંત શર્મા મથુરાથી અને વેદ પ્રકાશ ગુપ્તા અયોધ્યા બેઠક પર તેમના પ્રતિસ્પર્ધીથી આગળ છે.

UP Assembly Election Results 2022: મથુરાથી શ્રીકાંત શર્મા આગળ, જાણો અયોધ્યા અને કાશીની સ્થિતિ
Shrikant Sharma
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 10, 2022 | 11:16 AM

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પરિણામ 2022 (Uttar Pradesh Assembly Elections Result 2022)ની ગણતરી ચાલી રહી છે. યુપીની તમામ 403 સીટો પર કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતગણતરી ચાલી રહી છે. શરૂઆતના વલણોમાં ભાજપ બહુમતીનો આંકડો પાર કરી ગયો છે. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં તમામની નજર અયોધ્યા, મથુરા, કાશી જેવા ધાર્મિક શહેરોની બેઠકો પર છે.

મથુરાથી શ્રીકાંત શર્મા આગળ છે. અયોધ્યાથી ભાજપના ઉમેદવાર વેદ પ્રકાશ ગુપ્તા આગળ ચાલી રહ્યા છે. હાલમાં શ્રીકાંત શર્મા યોગી સરકારમાં ઉર્જા મંત્રી છે. આ વખતે આ બેઠક પર ભાજપના ઉમેદવાર શ્રીકાંત શર્મા અને કોંગ્રેસના ઉમેદવાર પ્રદીપ માથુર વચ્ચે મુકાબલો છે.

પ્રદીપ માથુર સતત ત્રણ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા

કોંગ્રેસે મથુરા વિધાનસભા સીટ (Mathura Assembly Seat) પરથી પ્રદીપ માથુરને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે. પ્રદીપ માથુર મથુરા વિધાનસભા બેઠક પરથી સતત ત્રણ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તેઓ 2002, 2007 અને 2012ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પરથી જીતી ચૂક્યા છે. પરંતુ 2017માં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ફરી તેઓ આ બેઠકના પ્રબળ દાવેદાર તરીકે જોવામાં આવી રહ્યા છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

શ્રીકાંત શર્મા કોંગ્રેસના ઉમેદવાર પ્રદીપ માથુરથી 3900થી વધુ મતોથી આગળ છે. બહુજન સમાજવાદી પાર્ટીના એસ.કે. શર્મા 935 મતો સાથે ત્રીજા અને સમાજવાદી પાર્ટીના દેવેન્દ્ર અગ્રવાલ 271 મતો સાથે ચોથા નંબર પર છે.

ભાજપે 2017માં મથુરા પર કર્યો હતો કબજો

2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર શ્રીકાંત શર્મા મથુરા વિધાનસભા બેઠક પરથી જીત્યા હતા. તેમને ચૂંટણીમાં 143361 વોટ મળ્યા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર પ્રદીપ માથુરને 42200 વોટ મળ્યા. શ્રીકાંત શર્માએ આ ચૂંટણીમાં 101161 મતોના જંગી અંતરથી જીત મેળવી હતી.

મથુરા જિલ્લામાં કુલ પાંચ વિધાનસભા બેઠકો છે. જેમાં બલદેવ, ગોવર્ધન, મથુરા સદર અને મંત બેઠકો છે. સપા પ્રમુખ અખિલેશ યાદવ આરએલડી પ્રમુખ જયંત ચૌધરીની સાથે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. મથુરામાં સપા બે બેઠકો પર ચૂંટણી લડી રહી છે. જ્યારે આરએલડી ત્રણ બેઠકો પર મેદાનમાં છે.

અયોધ્યાથી ભાજપના ઉમેદવાર વેદ પ્રકાશ ગુપ્તા આગળ

અયોધ્યામાં પાંચ વિધાનસભા બેઠકો છે. અયોધ્યા જિલ્લામાં પાંચ વિધાનસભા બેઠકો છે: દરિયાબાદ, રૂદૌલી, મિલ્કીપુર, બીકાપુર અને અયોધ્યા. અયોધ્યા વિધાનસભાથી ભાજપના ઉમેદવાર વેદ પ્રકાશ ગુપ્તા 2100 મતોથી આગળ છે. સમાજવાદી પાર્ટીના તેજ નારાયણ 2984 મતો સાથે બીજા અને બહુજન સમાજ પાર્ટીના રવિ પ્રકાશ 353 મતો સાથે ત્રીજા સ્થાને છે.

યુપીની નોઈડા વિધાનસભા સીટ પર પ્રથમ રાઉન્ડની મતગણતરી બાદ ભાજપના ઉમેદવાર પંકજ સિંહ 3074 મતોના તફાવત સાથે પ્રથમ સ્થાને છે. બીજી તરફ સપાના ઉમેદવાર સુનીલ ચૌધરી બીજા નંબર પર છે.

આ પણ વાંચો: UP Election 2022: ગાંધી પરિવારનો ગઢ ગણાતા અમેઠી અને રાયબરેલીમાં કાંટાની ટક્કર, શું ભાજપ મારશે બાજી ?

આ પણ વાંચો: Uttarakhand Election Results 2022: ઉત્તરાખંડમાં મતગણતરી શરૂ, જાણો ભાજપ, કોંગ્રેસ અને AAP વચ્ચેના ટ્રેન્ડમાં કોણ છે આગળ ?

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">