AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UP Election 2022 : ‘જીવતા લોકો ભાજપને વોટ નહીં આપે, શું ગંગામાં તરતી લાશ વોટ આપશે ?’ સંજય રાઉતનો ભાજપ પર પ્રહાર

યુપીના સંદર્ભમાં ભાજપની ટીકા કરતા સંજય રાઉતે યોગી આદિત્ય નાથ સહિત અન્ય નેતાઓ દ્વારા દલિતોની ઝૂંપડીમાં ભોજન કરવાને ઢોંગ ગણાવ્યો હતો.

UP Election 2022 : 'જીવતા લોકો ભાજપને વોટ નહીં આપે, શું ગંગામાં તરતી લાશ વોટ આપશે ?' સંજય રાઉતનો ભાજપ પર પ્રહાર
Shiv sena MP Sanjay Raut (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2022 | 4:23 PM
Share

UP Election 2022 :  ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીને (UP Assembly Election 2022) લઈને બે મહત્વની બાબતો સામે આવી છે કે, સપા પ્રમુખ અખિલેશ યાદવ અને આઝાદ સમાજ પાર્ટીના અધ્યક્ષ ચંદ્રશેખર વચ્ચે સહમતિ બની શકી નથી. જે બાદ ચંદ્રશેખર એટલા નિરાશ થઈ ગયા કે તેમણે કહ્યુ કે, સમાજવાદી પાર્ટીને દલિત મતોની જરૂર જણાતી નથી.

શું ગંગામાં તરતી લાશ ભાજપને મત આપશે ?

બીજી તરફ ભાજપે 300થી વધુ બેઠકો જીતવાનો દાવો કર્યો છે. ત્યારે શિવસેના સાંસદ સંજય રાઉતે(Sanjay Raut)  પણ UPની આ ચૂંટણી પ્રવૃત્તિઓ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. આ સાથે શિવસેના સાંસદે ગોવા વિધાનસભા ચૂંટણી પર ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે.પત્રકારો સાથે વાત કરતા સંજય રાઉતે કહ્યુ કે, ‘ઉતર પ્રદેશમાં જીવંત લોકો ભાજપને વોટ નહીં આપે, તો શું ગંગામાં તરતી લાશ ભાજપને મત આપશે ?

દલિતોની ઝૂંપડીમાં ભોજન કરવાને ઢોંગ ગણાવ્યો

‘કોણ કોઈના ઘરે જમતી વખતે જ્ઞાતિ પૂછે છે ? દલિતોના ઘરે ખાવાનું ખાઈને આ ઢોંગ કરવામાં આવી રહ્યા છે.યુપીના સંદર્ભમાં ભાજપની ટીકા કરતા સંજય રાઉતે યોગી આદિત્ય નાથ સહિત અન્ય નેતાઓ દ્વારા દલિતોની ઝૂંપડીમાં ભોજન ખાવાની ઘટનાઓને ઢોંગ ગણાવી હતી.

વધુમાં સંજય રાઉતે કહ્યું, ‘જો તમે કોઈના ઘરે ભોજન કરવા જાઓ છો, તો શું તમે તે વ્યક્તિના ઘરે જઈને ભોજન કરો છો કે પછી એવું વિચારીને જાઓ છો કે દલિતના ઘરે જમવા જાઓ છો કે પછી કોઈના ઘરે જાવ છો ? ભાજપના નેતાઓ કોઈના ઘરે જઈને દલિત હોવાનું જણાવીને શું બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વ્યક્તિના ઘરે જઈને ભોજન કરો, કોઈ ચોક્કસ જ્ઞાતિના ઘરે જઈને ભોજન ન કરો. દેશને ફરીથી જાતિ અને વર્ગમાં ન વહેંચો.

BJP હાઈકમાન્ડ પર દબાણ વધી રહ્યુ છે

સંજય રાઉતે ગોવા વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ વિતરણના ભાજપના વલણ અને કાર્યશૈલીની પણ ટીકા કરી હતી. સાથે તેમણે સંકેત આપ્યો કે મનોહર પર્રિકરના પુત્ર ઉત્પલ પર્રિકરને ટિકિટ આપવા માટે દિલ્હીમાં બીજેપી હાઈકમાન્ડ પર દબાણ વધી રહ્યું છે. હવે ભાજપ તેમને ટિકિટ આપશે તેવું લાગી રહ્યુ છે. વધુમાં સંજય રાઉતે કહ્યું કે, ‘મારું અનુમાન છે કે ભાજપે ગોવામાં ઉત્પલ પર્રિકરને ટિકિટ આપવી પડશે. જેઓ પૂછે છે કે ઉત્પલ પર્રિકરે શું કર્યું છે, તેમને જણાવો કે ગોવામાં તેમની સ્થિતિ શું છે.

આ પણ વાંચો : Goa Election 2022 : “ગોવામાં માત્ર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે મુકાબલો”, કોંગ્રેસના નેતા ચિદમ્બરમે વિપક્ષી પાર્ટીઓને આડે હાથ લીધી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">