AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UP Assembly Election: શું વિધાનસભાની ચૂંટણી મુલતવી રાખવામાં આવશે ? અલ્હાબાદ હાઈકોર્ટની અપીલ પર ચૂંટણી પંચે આપ્યો આ જવાબ

ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં આવતા વર્ષની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. પરંતુ કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના ઝડપી ઉદભવને કારણે ચૂંટણી મોકૂફ રાખવાની માગ કરવામાં આવી રહી છે.

UP Assembly Election: શું વિધાનસભાની ચૂંટણી મુલતવી રાખવામાં આવશે ? અલ્હાબાદ હાઈકોર્ટની અપીલ પર ચૂંટણી પંચે આપ્યો આ જવાબ
Election Commission Of India
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 29, 2021 | 5:09 PM
Share

યુપી વિધાનસભાની ચૂંટણી (UP Assembly Election 2022) મોકૂફ રાખવા અંગેનો નિર્ણય આવતા સપ્તાહ બાદ લેવામાં આવશે. ચૂંટણી પંચે (Election Commission) આ માહિતી આપી છે. અલ્હાબાદ હાઈકોર્ટે (Allahabad High Court) ચૂંટણી પંચને વિધાનસભાની ચૂંટણી સ્થગિત કરવા અને ચૂંટણી રેલીઓ અને સભાઓ રોકવા વિનંતી કર્યા બાદ મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ કહ્યું કે આ અંગેનો નિર્ણય આવતા સપ્તાહ પછી લેવામાં આવશે.

ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં આવતા વર્ષની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. પરંતુ કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના ઝડપી ઉદભવને કારણે ચૂંટણી મોકૂફ રાખવાની માગ કરવામાં આવી રહી છે. મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ જણાવ્યું કે આવતા અઠવાડિયે અમે ઉત્તર પ્રદેશ જઈશું અને ત્યાંની સ્થિતિની સમીક્ષા કરીશું અને પછી યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

કમિશને લેવો જોઈએ નિર્ણય કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે જો ચૂંટણી પંચ આદર્શ આચારસંહિતા લાગુ કરે છે, તો તેણે રાજ્યની ચૂંટણીઓનું સંચાલન કરવું જોઈએ. તેમણે કહ્યું કે જ્યારે ચૂંટણી પંચ આચારસંહિતા લાગુ કરે છે ત્યારે તેમણે જ નક્કી કરવાનું હોય છે કે ચૂંટણી ક્યારે યોજાશે.

ઓમિક્રોન પર સરકારનું કડક વલણ દેશમાં ઓમિક્રોનના (Omicron Variant) વધતા ખતરાને જોતા ઉત્તર પ્રદેશની યોગી સરકારે મોટો નિર્ણય લીધો છે. ઝડપથી વધી રહેલા ઓમિક્રોન ચેપને રોકવા માટે રાજ્ય સરકારે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. આ અંતર્ગત રાજ્યમાં 25 ડિસેમ્બરે રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ રહેશે. લગ્નમાં ફક્ત 200 લોકોને જ મંજૂરી આપવામાં આવશે. ઓમિક્રોનના વધતા જોખમને રોકવા માટે સીએમ યોગીએ ઉચ્ચ સ્તરીય ટીમ-9ને સૂચના આપી છે.

માસ્ક વગર સામાન મળશે નહીં ઉચ્ચ સ્તરીય ટીમ-9ને આપવામાં આવેલી સૂચનાઓ અનુસાર, “માસ્ક નહીં તો, સામાન નહીં” ના સંદેશ સાથે બજારોમાં વેપારીઓને જાગૃત કરો. કોઈપણ દુકાનદારે માસ્ક વગર ગ્રાહકને સામાન ન આપવો જોઈએ. શેરીઓ/બજારોમાં દરેક વ્યક્તિ માટે માસ્ક ફરજિયાત બનાવવું જોઈએ. પોલીસ ફોર્સે સતત પેટ્રોલિંગ કરવું જોઈએ.

દેશના કોઈપણ રાજ્ય અથવા વિદેશથી ઉત્તર પ્રદેશની સરહદ પર આવનાર દરેક વ્યક્તિનું ટ્રેસિંગ-ટેસ્ટિંગ કરવામાં આવશે. બસ, રેલ્વે અને એરપોર્ટ પર વધારાની તકેદારી રાખવી જોઈએ. ગામડાઓ અને શહેરી વોર્ડમાં દેખરેખ સમિતિઓને ફરીથી સક્રિય કરો. બહારથી આવનાર દરેક વ્યક્તિની તપાસ થવી જોઈએ. ઉપરાંત, તેમના સ્વાસ્થ્યનું સતત નિરીક્ષણ કરવું જોઈએ. લોકોને ક્વોરેન્ટાઇન થવું જોઈએ અને જરૂરિયાત મુજબ હોસ્પિટલમાં દાખલ થવું જોઈએ.

આ પણ વાંચો : Ludhiana Court Blast: કોર્ટ સંકુલ બ્લાસ્ટમાં પાકિસ્તાન સમર્થિત ખાલિસ્તાની જૂથોનો હાથ, ગુપ્તચર એજન્સીઓનો દાવો !

આ પણ વાંચો : PM મોદીની આ વાતને લઈને નારાજ છે ‘દીદી’, આજે થયેલી બેઠકમાં પણ મમતા બેનર્જી ગેરહાજર, TMCના નેતાઓએ લગાવ્યા ગંભીર આરોપ

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">