AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Punjab Elections: CMના ચહેરા વગર કેપ્ટન-ઢિંડસા સાથે ભાજપ મેદાનમાં ઉતરશે, મેનિફેસ્ટો એક જ રહેશે

પંજાબમાં બીજેપીના ચૂંટણી પ્રભારી શેખાવતે જણાવ્યું હતું કે બેઠક વહેંચણીના કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે દરેક પક્ષના બે નેતાઓનો સમાવેશ કરીને એક સંયુક્ત સમિતિની રચના કરવામાં આવશે.

Punjab Elections: CMના ચહેરા વગર કેપ્ટન-ઢિંડસા સાથે ભાજપ મેદાનમાં ઉતરશે, મેનિફેસ્ટો એક જ રહેશે
Amit Shah Amrinder Singh (File photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 28, 2021 | 9:58 AM
Share

Punjab Elections: ભારતીય જનતા પાર્ટીએ પંજાબમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી (Assembly elections)માટે ભાજપે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો અમરિન્દર સિંહ  (Amarinder Singh)અને Sukhdev Singh Dhindsaના શિરોમણી અકાલી દળ સાથે ગઠબંધન કર્યું છે. ભાજપ (BJP) આ ગઠબંધનમાં વરિષ્ઠ સહયોગીની ભૂમિકા ભજવે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગઠબંધન ચૂંટણી પહેલા મુખ્યમંત્રી (CM) પદનો કોઈ ચહેરો રજૂ કરે તેવી શક્યતા નથી.

બુધવારે જ પાર્ટીના ત્રણ અગ્રણી નેતાઓ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Union Home Minister Amit Shah)ને મળ્યા હતા. આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત પાર્ટીના મોટા નેતાઓ સામેલ થયા હતા. આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે, ભાજપ, અમરિંદર સિંહની પાર્ટી અને Sukhdev Singh Dhindsaની પાર્ટી પંજાબમાં વિધાનસભા ચૂંટણી (Punjab Elections)સાથે મળીને લડશે. શેખાવતે બેઠક બાદ પત્રકારોને જણાવ્યું હતું કે, “આ ઔપચારિક રીતે જાહેરાત કરવામાં આવી છે કે ભાજપ, અમરિંદર સિંહની પાર્ટી અને ઢીંડસાની પાર્ટી પંજાબમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓ સાથે મળીને લડશે.”

શીટ શેરિંગ ફોર્મ્યુલા દ્વારા ચૂંટણી લડવામાં આવશે

પંજાબમાં બીજેપીના ચૂંટણી પ્રભારી શેખાવતે જણાવ્યું હતું કે, બેઠક વહેંચણીના કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે દરેક પક્ષના બે નેતાઓનો સમાવેશ કરીને એક સંયુક્ત સમિતિની રચના કરવામાં આવશે. તેમણે જાહેરાત કરી હતી કે ત્રણ પક્ષોના આ ગઠબંધનનો સંયુક્ત મેનિફેસ્ટો (manifesto)હશે. કેપ્ટન, બીજેપી અને એસએડી આ વખતે પરંપરાગત ગઠબંધનના આધારે ચૂંટણી લડી રહ્યા નથી,પરંતુ સીટ શેરિંગ ફોર્મ્યુલા પર ચૂંટણી લડી રહ્યા છે.

આ ગઠબંધન પંજાબ, શીખ સમુદાય, ખેડૂતો, યુબીસી સહિત અન્ય મુદ્દાઓ પર પ્રાથમિકતાના ધોરણે કામ કરશે. આ ગઠબંધન ચૂંટણી મેનિફેસ્ટો  (manifesto)અને મુખ્યમંત્રીના નામ સહિત પંજાબ સાથે જોડાયેલા તમામ મુદ્દાઓ પર વિચાર-વિમર્શ કરશે અને વિવિધ મુદ્દાઓ પર નિષ્ણાતોના અભિપ્રાય પણ લેવામાં આવશે.

આ પણ વાંચો : PM Svanidhi Yojana: આ યોજન હેઠળ કેન્દ્ર સરકાર આપી રહી છે 10,000 રૂપિયા, આ રીતે ચેક કરો યોગ્યતા અને જાણો લાભ લેવાની રીત

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">