Punjab Election: સિદ્ધુએ કહ્યું કે કોંગ્રેસ સમજી વિચારીને નિર્ણય લેશે, ટૂંક સમયમાં ઉમેદવારોની યાદી જાહેર કરશે

પંજાબના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે આગામી વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીના ઉમેદવારોની યાદી બહુ જલ્દી ફાઈનલ કરવામાં આવશે. સિદ્ધુએ કહ્યું કે આજે પણ સ્ક્રીનિંગ કમિટીની બેઠક ચાલી રહી છે.

Punjab Election: સિદ્ધુએ કહ્યું કે કોંગ્રેસ સમજી વિચારીને નિર્ણય લેશે, ટૂંક સમયમાં ઉમેદવારોની યાદી જાહેર કરશે
Punjab Congress Chief Navjot Singh Sidhu
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 09, 2022 | 6:12 PM

કોરોના સંક્રમણ (Corona Cases) વચ્ચે ચૂંટણી પંચે (Election Commission) પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી 2022ની (Assembly Elections 2022) તારીખોની જાહેરાત કરી છે. ચૂંટણીની તારીખોની સાથે 15 જાન્યુઆરી સુધી કોઈપણ પ્રકારની રેલીઓ અને સભાઓ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ચૂંટણી પંચે તમામ પક્ષોને ડિજિટલ માધ્યમથી પ્રચાર કરવા અનુરોધ કર્યો છે. ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ હવે તમામ પક્ષો ઉમેદવારોની યાદીને આખરી ઓપ આપવામાં વ્યસ્ત છે.

પંજાબના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ (Navjot Singh Sidhu) કહ્યું કે આગામી વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીના ઉમેદવારોની યાદી બહુ જલ્દી ફાઈનલ કરવામાં આવશે. સિદ્ધુએ કહ્યું કે આજે પણ સ્ક્રીનિંગ કમિટીની બેઠક ચાલી રહી છે. અમે સમજી વિચારીને નિર્ણય લઈશું. કોંગ્રેસ (Congress) હંમેશા તેના ઉમેદવારોની જાહેરાત અંતે કરે છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

તેમને પૂછવામાં આવ્યું કે કોરોના રોગચાળા વચ્ચે કોંગ્રેસ તેનું ચૂંટણી અભિયાન કેવી રીતે ચલાવશે, સિદ્ધુએ કહ્યું કે મને આશા છે કે 15 જાન્યુઆરી પછી બધું બદલાઈ જશે. સૂચનાઓ સ્પષ્ટ છે કે તમારે ડિજિટલી પ્રચાર કરવો પડશે.

કોરોનાના વધતા જતા કેસોને જોતા આ વખતે ચૂંટણીની સમગ્ર પ્રક્રિયાને ઓનલાઈન કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ચૂંટણી પંચ ઇચ્છતું નથી કે ચૂંટણીને કારણે દેશમાં કોરોના સંક્રમણના કેસ કોઈપણ રીતે વધે. આ જ કારણ છે કે આ વખતે ઉમેદવારોને ઓનલાઈન નોંધણી કરવાની સુવિધા આપવામાં આવી છે. આ સાથે તમામ પાર્ટીઓને ચૂંટણી પંચની એપમાં પોતાના ઉમેદવારોની માહિતી આપવા માટે કહેવામાં આવ્યું છે.

15 જાન્યુઆરી સુધી તમામ પ્રકારની જાહેર સભાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો

પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી પંચે 15 જાન્યુઆરી સુધી તમામ પ્રકારની જાહેર સભાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) સુશીલ ચંદ્રાએ કહ્યું કે રાજકીય પક્ષોને તેમના અભિયાનો ડિજિટલ રીતે ચલાવવાનું સૂચન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આ પછી સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે અને નવી સૂચનાઓ જાહેર કરવામાં આવશે, ત્યાં સુધી કોઈ પદયાત્રા, સાયકલ યાત્રા કે રોડ શો નહીં થાય.

જાણો ક્યાં કેટલા તબક્કામાં ચૂંટણી યોજાશે

ઉત્તર પ્રદેશમાં સાત તબક્કામાં ચૂંટણી કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 10, 14, 20, 23, 27 ફેબ્રુઆરી બાદ ઉત્તર પ્રદેશમાં 3 અને 7 માર્ચે મતદાન થશે. પંજાબમાં એક જ તબક્કામાં ચૂંટણી કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પંજાબમાં 14 ફેબ્રુઆરીએ મતદાન થશે. તેવી જ રીતે ઉત્તરાખંડમાં પણ એક તબક્કામાં ચૂંટણી યોજાશે. અહીં પણ 14 ફેબ્રુઆરીએ જ મતદાન થશે.

ગોવામાં એક તબક્કામાં ચૂંટણી યોજાશે. મતદારો 14 ફેબ્રુઆરીએ ગોવામાં તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. જ્યારે મણિપુરમાં બે તબક્કામાં મતદાન કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મણિપુરમાં 27 ફેબ્રુઆરી અને 3 માર્ચે મતદાન થશે. તમામ રાજ્યોમાં 10 માર્ચે મતગણતરી કરવામાં આવશે.

આ પણ વાંચો :

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">