AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Punjab assembly election 2022: જલંધરમાં આજે PM મોદીની રેલી, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

Punjab assembly election 2022: ભૂતકાળમાં સુરક્ષા ભંગ બાદ પીએમ નરેન્દ્ર મોદીની પંજાબની આ પ્રથમ મુલાકાત છે. દરેક જગ્યાએ પોલીસ બંદોબસ્ત છે.

Punjab assembly election 2022: જલંધરમાં આજે PM મોદીની રેલી, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
PM Narendra Modi (File Image) Image Credit source: File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2022 | 2:16 PM
Share

Punjab assembly election 2022: આગામી પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સોમવારે જલંધર (Jalandhar)માં ચૂંટણી રેલીને સંબોધિત કરશે. આ માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દરેક જગ્યાએ પોલીસનો બંદોબસ્ત છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા સુરક્ષામાં થયેલી ચૂક બાદ  પીએમ નરેન્દ્ર મોદીની પંજાબની આ પહેલી મુલાકાત છે.

પીએમ (PM Narendra Modi)ની મુલાકાતને લઈને આદમપુરથી જલંધર સુધીના માર્ગ પર મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. પંજાબ પોલીસ ઉપરાંત કેન્દ્રીય દળોના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે. ઘણી જગ્યાએ સીસીટીવી કેમેરાવાળી વાન લગાવવામાં આવી છે. આ ઉપરાંત તમામ જિલ્લાના અધિકારીઓને પણ ફિલ્ડમાં રહેવાના આદેશ છે.

 આદમપુરથી જલંધર સુધીના રસ્તા પર કડક સુરક્ષા

પીએમ સૌથી પહેલા એરફોર્સના વિમાન દ્વારા આદમપુર એરફોર્સ સ્ટેશન પહોંચશે. ત્યાંથી તેમને હેલિકોપ્ટર દ્વારા જલંધરના પીએપી ગ્રાઉન્ડ આવવાનું છે. તેમ છતાં, આદમપુરથી જલંધર સુધીના રસ્તા પર સુરક્ષા પણ કડક કરવામાં આવી છે, કારણ કે ખેડૂતોના એક સંગઠને તેમનો ઘેરાવ કરવાની ધમકી આપી છે. વડાપ્રધાનની મલાકાતને લઈને સુરક્ષાની દૃષ્ટિએ ત્રણ સ્તરે સુરક્ષા રહેશે.

પંજાબ પોલીસની સાથે BSF, CRPF અને કમાન્ડો ટુકડીઓ તૈનાત રહેશે. ડોગ સ્કવોડ, બોમ્બ સ્ક્વોડ, એન્ટી રાઈટ સ્કવોડ પણ તૈનાત રહેશે. પોલીસની સીસીટીવી વાન દરેક જગ્યાએ હાજર રહેશે અને જલંધર કમિશનરેટ અને કન્ટ્રીસાઇડ પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓ પણ ફિલ્ડમાં તૈનાત રહેશે.

વિરોધ થવાની શક્યતા છે

યુનાઈટેડ કિસાન મોરચાએ મોદીના પંજાબ પ્રવાસના વિરોધમાં રાજ્યભરમાં વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે. ભારતીય કિસાન યુનિયન રાજેવાલ જૂથના જથેદાર કાશ્મીર સિંહ જંડિયાલાએ કહ્યું છે કે પંજાબમાં મોદીનો ઘેરાવ કરવામાં આવશે. આવી સ્થિતિમાં સીઆઈડીને પણ શકમંદો પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે.

પીએમની ફિરોઝપુર મુલાકાત મોકૂફ રાખવામાં આવી હતી

ગત વખતે પીએમ મોદીની ફિરોઝપુરની મુલાકાત સ્થગિત કરવામાં આવી હતી. તેમના કાફલાને વિરોધીઓએ ફ્લાયઓવર પર રોકી દીધા હતા. મોદીનો કાફલો લગભગ 15-20 મિનિટ સુધી ફ્લાયઓવર પર રોકાઈ રહ્યો હતો. જેના કારણે દેશના પીએમની સુરક્ષાને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ભાજપ અને કેન્દ્ર સરકારે પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્ની પર જોરદાર નિશાન સાધ્યું હતું અને તેમના પર પીએમ મોદીની સુરક્ષામાં ખામી હોવાનો આરોપ લગાવ્યો હતો.

આ પણ વાંચો : Pulwama Attack: પુલવામા હુમલાના પુસ્તકમાં ચોંકાવનારો ખુલાસો, જવાન અને ડ્રાઈવર વચ્ચે મોત રમી રહ્યુ હતું રમત, છેલ્લી ક્ષણ પર બદલાઈ ગઈ રમત

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">