AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Punjab assembly election 2022: જલંધરમાં આજે PM મોદીની રેલી, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

Punjab assembly election 2022: ભૂતકાળમાં સુરક્ષા ભંગ બાદ પીએમ નરેન્દ્ર મોદીની પંજાબની આ પ્રથમ મુલાકાત છે. દરેક જગ્યાએ પોલીસ બંદોબસ્ત છે.

Punjab assembly election 2022: જલંધરમાં આજે PM મોદીની રેલી, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
PM Narendra Modi (File Image) Image Credit source: File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2022 | 2:16 PM
Share

Punjab assembly election 2022: આગામી પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સોમવારે જલંધર (Jalandhar)માં ચૂંટણી રેલીને સંબોધિત કરશે. આ માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દરેક જગ્યાએ પોલીસનો બંદોબસ્ત છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા સુરક્ષામાં થયેલી ચૂક બાદ  પીએમ નરેન્દ્ર મોદીની પંજાબની આ પહેલી મુલાકાત છે.

પીએમ (PM Narendra Modi)ની મુલાકાતને લઈને આદમપુરથી જલંધર સુધીના માર્ગ પર મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. પંજાબ પોલીસ ઉપરાંત કેન્દ્રીય દળોના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે. ઘણી જગ્યાએ સીસીટીવી કેમેરાવાળી વાન લગાવવામાં આવી છે. આ ઉપરાંત તમામ જિલ્લાના અધિકારીઓને પણ ફિલ્ડમાં રહેવાના આદેશ છે.

 આદમપુરથી જલંધર સુધીના રસ્તા પર કડક સુરક્ષા

પીએમ સૌથી પહેલા એરફોર્સના વિમાન દ્વારા આદમપુર એરફોર્સ સ્ટેશન પહોંચશે. ત્યાંથી તેમને હેલિકોપ્ટર દ્વારા જલંધરના પીએપી ગ્રાઉન્ડ આવવાનું છે. તેમ છતાં, આદમપુરથી જલંધર સુધીના રસ્તા પર સુરક્ષા પણ કડક કરવામાં આવી છે, કારણ કે ખેડૂતોના એક સંગઠને તેમનો ઘેરાવ કરવાની ધમકી આપી છે. વડાપ્રધાનની મલાકાતને લઈને સુરક્ષાની દૃષ્ટિએ ત્રણ સ્તરે સુરક્ષા રહેશે.

પંજાબ પોલીસની સાથે BSF, CRPF અને કમાન્ડો ટુકડીઓ તૈનાત રહેશે. ડોગ સ્કવોડ, બોમ્બ સ્ક્વોડ, એન્ટી રાઈટ સ્કવોડ પણ તૈનાત રહેશે. પોલીસની સીસીટીવી વાન દરેક જગ્યાએ હાજર રહેશે અને જલંધર કમિશનરેટ અને કન્ટ્રીસાઇડ પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓ પણ ફિલ્ડમાં તૈનાત રહેશે.

વિરોધ થવાની શક્યતા છે

યુનાઈટેડ કિસાન મોરચાએ મોદીના પંજાબ પ્રવાસના વિરોધમાં રાજ્યભરમાં વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે. ભારતીય કિસાન યુનિયન રાજેવાલ જૂથના જથેદાર કાશ્મીર સિંહ જંડિયાલાએ કહ્યું છે કે પંજાબમાં મોદીનો ઘેરાવ કરવામાં આવશે. આવી સ્થિતિમાં સીઆઈડીને પણ શકમંદો પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે.

પીએમની ફિરોઝપુર મુલાકાત મોકૂફ રાખવામાં આવી હતી

ગત વખતે પીએમ મોદીની ફિરોઝપુરની મુલાકાત સ્થગિત કરવામાં આવી હતી. તેમના કાફલાને વિરોધીઓએ ફ્લાયઓવર પર રોકી દીધા હતા. મોદીનો કાફલો લગભગ 15-20 મિનિટ સુધી ફ્લાયઓવર પર રોકાઈ રહ્યો હતો. જેના કારણે દેશના પીએમની સુરક્ષાને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ભાજપ અને કેન્દ્ર સરકારે પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્ની પર જોરદાર નિશાન સાધ્યું હતું અને તેમના પર પીએમ મોદીની સુરક્ષામાં ખામી હોવાનો આરોપ લગાવ્યો હતો.

આ પણ વાંચો : Pulwama Attack: પુલવામા હુમલાના પુસ્તકમાં ચોંકાવનારો ખુલાસો, જવાન અને ડ્રાઈવર વચ્ચે મોત રમી રહ્યુ હતું રમત, છેલ્લી ક્ષણ પર બદલાઈ ગઈ રમત

આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">