AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manipur Elections: ‘જે લોકોએ મણિપુરને આટલા દાયકા સુધી પાછળ ધકેલ્યુ તેમને હવે લોકો ફરી મોકો નહીં આપે’ PM મોદીએ કોંગ્રેસ પર કર્યો પ્રહાર

વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે નવા મણિપુરની ઓળખ સ્કિલ, સ્ટાર્ટઅપ અને સ્પોર્ટસથી થઈ રહી છે. રાજ્ય સરકારે 5,500થી વધારે સ્ટાર્ટઅપને મદદ આપી છે. આવનારા સમયમાં અમારી સરકાર 100 કરોડ રૂપિયાના મણિપુર સ્ટાર્ટ અપ ફંડ પણ બનાવશે.

Manipur Elections: 'જે લોકોએ મણિપુરને આટલા દાયકા સુધી પાછળ ધકેલ્યુ તેમને હવે લોકો ફરી મોકો નહીં આપે' PM મોદીએ કોંગ્રેસ પર કર્યો પ્રહાર
PM Modi (PC- ANI)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2022 | 1:04 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) આજે મણિપુરમાં જનતાને સંબોધિત કરી રહ્યા છે. તેમને કોંગ્રેસ (Congress) પર નિશાનો સાધતા કહ્યું કે મણિપુરે (Manipur) સોમવારે એક નવો ઈતિહાસ રચ્યો છે. ગઈકાલે પ્રથમ ચરણમાં ચૂંટણીમાં મણિપુરે નક્કી કરી લીધું કે ઉત્તરપૂર્વના હવે વિકાસનો સૂરજ જ ઉગશે. જે લોકોએ મણિપુરને આટલા દાયકા સુધી પાછળ ધકેલ્યુ તેમને હવે લોકો ફરી મોકો નહીં આપે. ભાજપ સરકાર ગો ટુ હિલ્સ, ગો ટુ વિલેજ જેવા કનેક્ટીંગ અભિયાન ચલાવી રહી છે. જેનાથી તેમનું ષડયંત્ર તુટી રહ્યું છે. જેમ કોંગ્રેસની ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિનો નાશ થઈ રહ્યો છે, તેમ કોંગ્રેસનો પણ નાશ થઈ રહ્યો છે.

તેમણે કહ્યું કે મણિપુર, જે એક સમયે અહીંની સરકારો દ્વારા બોમ્બ અને નાકાબંધીમાં કેદ હતું, ત્યારે મણિપુર આજે સમગ્ર ભારત માટે નિકાસ અને આંતરરાષ્ટ્રીય વેપારનું પ્રવેશદ્વાર બની રહ્યું છે. મણિપુર હંમેશાથી ભારતની એકતા અને અખંડતાનું પ્રતિનિધિત્વ કરતું રહ્યું છે. અહીંના લોકોએ આઝાદીની લડાઈમાં પોતાનું બલિદાન આપ્યું હતું પણ કોંગેસે મણિપુરના આ ઈતિહાસને આ બલિદાનો અને નેતાજીને ક્યારેય સાચા મનથી શ્રદ્ધાજંલિ આપી નથી. કોંગ્રેસ પર નિશાનો સાધતા વડાપ્રધાન મોદી બોલ્યા કે કોંગ્રેસે મણિપુરનો વિકાસ નથી કર્યો પણ મણિપુરને શાંતિ અને સમૃદ્ધિથી દૂર રાખ્યું.

તેમને કહ્યું કે આજે નવા મણિપુરની ઓળખ સ્કિલ, સ્ટાર્ટઅપ અને સ્પોર્ટસથી થઈ રહી છે. રાજ્ય સરકારે 5,500થી વધારે સ્ટાર્ટઅપને મદદ આપી છે. આવનારા સમયમાં અમારી સરકાર 100 કરોડ રૂપિયાના મણિપુર સ્ટાર્ટ અપ ફંડ પણ બનાવશે. તેમને એ પણ કહ્યું કે ડબલ એન્જિનની સરકાર આગામી કાર્યકાળમાં મણિપુરમાં એઈમ્સની સ્થાપના પણ કરશે. વડાપ્રધાને છેલ્લે મણિપુરની જનતાને 5 તારીખે મોટી સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી. તેમને કહ્યું તમે મોટી સંખ્યામાં મતદાન કરો. મણિપુરની શાંતિ માટે મતદાન કરો. વિકાસ માટે મતદાન કરો અને મણિપુરના ભવિષ્ય માટે મતદાન કરો.

આ પણ વાંચો:  Russia-Ukraine War: યુદ્ધનાં માહોલ વચ્ચે ભારતીય વિધાર્થીનીના જન્મદિવસની ઉજવણી, Video થયો વાયરલ

આ પણ વાંચો: Surat : ઐતિહાસિક હોપ પુલનો એક સ્પાન જોવા મળશે પાલના લેક ગાર્ડનમાં, લોકો જોઈ રહ્યા છે આતુરતાથી રાહ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">