AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manipur Assembly Election 2022: કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કારગીલ યુદ્ધમાં જીવ ગુમાવનાર ભારતીય સેનાના પરિવારને મળ્યા, સાથે લીધું ભોજન

મણિપુરમાં એક ચૂંટણી રેલીને સંબોધતા રક્ષા મંત્રી રાજનાથ સિંહે રાજ્યમાં વિકાસની વાત કરી. આ સાથે તેમણે કહ્યું કે ભાજપ સરકારના મંત્રીઓ પર કોઈ ભ્રષ્ટાચારનો આરોપ ન લગાવી શકે.

Manipur Assembly Election 2022: કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કારગીલ યુદ્ધમાં જીવ ગુમાવનાર ભારતીય સેનાના પરિવારને મળ્યા, સાથે લીધું ભોજન
Union Defense Minister Rajnath Singh
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2022 | 5:28 PM
Share

Manipur assembly election 2022: કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ (Union Defense Minister Rajnath Singh) આગામી વિધાનસભા ચૂંટણી પહેલા મણિપુરના પ્રવાસે (Manipur Visit) છે. આજે ઇમ્ફાલમાં, તેઓ કારગીલ યુદ્ધ (Kargil War)માં જીવ ગુમાવનાર ભારતીય સેનાના સૈનિક (Indian Army) સ્વર્ગસ્થ યુમનમ કલ્લેશોર કોમના ઘરે ગયા, તેમના પરિવારને મળ્યા અને તેમની સાથે ભોજન લીધું. આ દરમિયાન તેમની સાથે મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહ (Manipur Chief Minister N Biren Singh) હાજર હતા.

તમને જણાવી દઈએ કે મણિપુરની 60 સીટો પર બે તબક્કામાં મતદાન થવાનું છે. મતગણતરી 10 માર્ચે થશે. મણિપુરમાં એક ચૂંટણી રેલીને સંબોધતા રક્ષા મંત્રી રાજનાથ સિંહે રાજ્યમાં વિકાસની વાત કરી. આ સાથે તેમણે કહ્યું કે ભાજપ સરકારના મંત્રીઓ પર કોઈ ભ્રષ્ટાચારનો આરોપ ન લગાવી શકે. કેન્દ્રની ભાજપ સરકારના કોઈપણ મંત્રી પર ભ્રષ્ટાચારના આરોપો કોઈ લગાવી શક્યું નથી. અમે સિસ્ટમમાં ફેરફાર કરીને ભ્રષ્ટાચારને જડમૂળથી ઉખાડી નાખવા માંગીએ છીએ.

ભાજપની કથની અને કરનીમાં કોઈ ફરક નહીં

રક્ષા મંત્રીએ કહ્યું, ભાજપ દેશની એકમાત્ર રાજકીય પાર્ટી છે, જે કહે છે તે કરે છે. તેના કથની અને કાર્યોમાં કોઈ ફરક નથી. તેમણે કહ્યું હતું કે સ્વતંત્ર ભારતમાં રાજકીય પક્ષોના નેતાઓની કથની અને કરનીમાં તફાવત હોવાને કારણે રાજકારણીઓ અને રાજકારણમાંથી સામાન્ય જનતાનો વિશ્વાસ ઉઠી ગયો છે અને વિશ્વસનિયતાનું આ સંકટ રાજકારણની સાથે સાથે રાજકારણીઓ તરફ પણ વધતું રહ્યું. માત્ર ભાજપે તેને પડકાર તરીકે સ્વીકાર્યો છે અને અન્ય કોઈ પક્ષે તેને સ્વીકાર્યો નથી.

હિંસાની સમસ્યાનું સમાધાન જોઈએ છે

રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે અમે મણિપુરમાં હિંસાની સમસ્યાનો સંપૂર્ણ ઉકેલ ઈચ્છીએ છીએ. એટલા માટે મેં રક્ષા મંત્રી તરીકે કહ્યું છે કે જો વિદ્રોહી જૂથો અમારી સાથે વાત કરીને સમસ્યાનો ઉકેલ લાવવા માંગતા હોય તો અમે તેના માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. રક્ષા મંત્રીએ કહ્યું કે મણિપુર બહાદુરોની ભૂમિ છે, યોદ્ધાઓની ભૂમિ છે. મણિપુરના યુવાનોએ ભારતની સરહદને સુરક્ષિત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમણે કહ્યું કે તેઓ આ સત્ય જાણે છે કારણ કે તેઓ દેશના સંરક્ષણ પ્રધાન છે.

મણિપુરમાં 60 બેઠકો માટે બે તબક્કામાં મતદાન

તમને જણાવી દઈએ કે મણિપુરની 60 સીટો પર બે તબક્કામાં મતદાન થવાનું છે. મતગણતરી 10 માર્ચે થશે. મણિપુરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે મતદાનની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મણિપુરમાં પહેલા તબક્કાનું મતદાન 27 ફેબ્રુઆરીએ અને બીજા તબક્કાનું મતદાન 3 માર્ચે થવાનું હતું, પરંતુ તારીખોમાં ફેરફાર બાદ પ્રથમ તબક્કાનું મતદાન 28 ફેબ્રુઆરીએ અને બીજા તબક્કાનું મતદાન 5 માર્ચે થશે.

આ પણ વાંચો: Punjab Assembly Election: રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કટાક્ષ કર્યો, કહ્યું- કોને 15 લાખ રૂપિયા અને નોકરી મળી ?

આ પણ વાંચો: Assam: CM સરમાએ અધિકારીઓને આપી ચેતવણી, કહ્યું ‘ભ્રષ્ટાચાર કરતા પકડાશો તો વાઘની જેમ કરીશ હુમલો’

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">