AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manipur Assembly Election: મણિપુરમાં ટૂંક સમયમાં જ BJP જાહેર કરશે ઘોષણા પત્ર: CM એન. બીરેન સિંહ

સીએમ બિરેન સિંહે કહ્યું કે પીએમ મોદી રાજ્યની મુલાકાત લેશે, પરંતુ કાર્યક્રમ હજુ નક્કી થયો નથી. તમને જણાવી દઈએ કે મણિપુરની 60 સીટો પર બે તબક્કામાં મતદાન થવાનું છે. મતગણતરી 10 માર્ચે થશે.

Manipur Assembly Election: મણિપુરમાં ટૂંક સમયમાં જ BJP જાહેર કરશે ઘોષણા પત્ર: CM એન. બીરેન સિંહ
Manipur Chief Minister N Biren Singh - File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2022 | 11:56 PM
Share

Manipur Assembly Election 2022: મણિપુરના મુખ્યપ્રધાન એન બિરેન સિંહે (Manipur Chief Minister N Biren Singh) શનિવારે ભાજપના રચનાત્મક ઝુંબેશના પ્રારંભમાં જણાવ્યું હતું કે ભાજપ (BJP) ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (BJP president JP Nadda) ટૂંક સમયમાં રાજ્યનું નેતૃત્વ કરશે. રાજ્યની વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીના ઢંઢેરાને (manifesto) જાહેર કરશે. તે જ સમયે સીએમ બિરેન સિંહે વધુમાં કહ્યું કે પીએમ મોદી પણ રાજ્યની મુલાકાત લેશે, પરંતુ કાર્યક્રમ હજુ નક્કી થયો નથી. તમને જણાવી દઈએ કે મણિપુરની 60 સીટો પર બે તબક્કામાં મતદાન થવાનું છે. મતગણતરી 10 માર્ચે થશે. મણિપુરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે મતદાનની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મણિપુરમાં પહેલા તબક્કાનું મતદાન 27 ફેબ્રુઆરીએ અને બીજા તબક્કાનું મતદાન 3 માર્ચે થવાનું હતું, પરંતુ તારીખોમાં ફેરફાર બાદ પ્રથમ તબક્કાનું મતદાન 28 ફેબ્રુઆરીએ અને બીજા તબક્કાનું મતદાન 5 માર્ચે થશે.

મણિપુરમાં કોંગ્રેસ અને ભાજપ મુખ્ય હરીફ

તમને જણાવી દઈએ કે મણિપુર વિધાનસભાનો કાર્યકાળ 19 માર્ચ 2022ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. મણિપુરમાં બહુમતનો આંકડો 31 છે. જો આપણે 2017ની વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો મણિપુરમાં કોંગ્રેસ 28 સીટો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. જ્યારે ભાજપને 21 બેઠકો મળી હતી.

ચૂંટણીમાં નેશનલ પીપલ્સ પાર્ટી અને નાગા પીપલ્સ ફ્રન્ટને ચાર-ચાર અને એલજેપી, ટીએમસીને એક-એક સીટ મળી હતી. પરંતુ ભાજપે એનપીપી, એલજેપી અને અપક્ષ ધારાસભ્યોના સમર્થનથી સરકાર બનાવી અને એન બિરેન સિંહ અહીં મુખ્યમંત્રી બન્યા. તે જ સમયે, મણિપુરમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જંગ છે.

CEC સુશીલ ચંદ્રાએ મણિપુરની મુલાકાત લીધી હતી

હાલમાં જ મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રા બે દિવસની મુલાકાતે મણિપુર ગયા હતા અને ત્યાં તેમણે ચૂંટણીની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. રાજધાની ઇમ્ફાલમાં તેમણે કહ્યું હતું કે ચૂંટણી પંચ ચૂંટણીમાં સરકારી મશીનરી અને મની પાવરનો દુરુપયોગ સહન કરશે નહીં. ચંદ્રા તેમની ટીમ સાથે ઈમ્ફાલ પહોંચ્યા હતા. આ દરમિયાન, તેમણે કહ્યું કે જો મતદાન અધિકારીઓને કોઈ દૂષિત ઈરાદા અથવા પક્ષપાત વિશે ખબર પડશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: Assembly Elections 2022: ચૂંટણી પંચે આપી વધુ છૂટછાટ, પક્ષો સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી કરી શકશે પ્રચાર

આ પણ વાંચો: PM મોદીના પંજાબ પ્રવાસ પહેલા રાજકારણ ગરમાયું, કેજરીવાલે કોંગ્રેસ પર કર્યો પલટવાર, કહ્યું- વડાપ્રધાનની સુરક્ષા પર રાજકારણ ન થવું જોઈએ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">