AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Assembly Election: ચૂંટણી પંચે મણિપુર વિધાનસભા ચૂંટણીની તારીખોમાં કર્યો ફેરફાર, હવે 28 ફેબ્રુઆરી અને 5 માર્ચે થશે મતદાન

2017માં વિધાનસભાની ચૂંટણીમાં કોઈને બહુમતી મળી ન હતી, તેથી આ વખતે પણ અહીં જોરદાર ટક્કર જોવા મળી શકે છે.

Assembly Election: ચૂંટણી પંચે મણિપુર વિધાનસભા ચૂંટણીની તારીખોમાં કર્યો ફેરફાર, હવે 28 ફેબ્રુઆરી અને 5 માર્ચે થશે મતદાન
Election Commission - File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 10, 2022 | 9:31 PM
Share

ચૂંટણી પંચે (Election Commission) ગુરુવારે મણિપુર વિધાનસભા ચૂંટણીની (Manipur Assembly Election) તારીખોમાં સુધારો કરતા કહ્યું કે, પ્રથમ તબક્કાનું મતદાન હવે 27 ફેબ્રુઆરીને બદલે 28 ફેબ્રુઆરીએ થશે. એ પણ કહ્યું કે બીજા તબક્કાનું મતદાન 3 માર્ચને બદલે 5 માર્ચે થશે. પ્રથમ તબક્કામાં 38 બેઠકો પર મતદાન થશે અને બાકીની 22 બેઠકો પર બીજા તબક્કામાં મતદાન થશે. મણિપુરમાં કુલ 60 સીટો છે. આ ચૂંટણીને લઈને તમામ પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપની સાથે અનેક પ્રાદેશિક પક્ષો મેદાનમાં છે. 2017માં વિધાનસભાની ચૂંટણીમાં કોઈને બહુમતી મળી ન હતી, તેથી આ વખતે પણ અહીં જોરદાર ટક્કર જોવા મળી શકે છે. ગયા મહિને ચૂંટણી પંચે મણિપુરમાં આતંકવાદી જૂથોને વિધાનસભા ચૂંટણીમાં પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાની મંજૂરી આપી હતી.

આ એ ઉગ્રવાદીઓ છે જેમણે સરકાર સાથે યુદ્ધવિરામનો કરાર કર્યો છે. આ સાથે તેમના નામ પણ વોટિંગ લિસ્ટમાં છે. જો કે ચૂંટણી પંચે આ માટે ઘણી શરતો પણ મૂકી છે. ચૂંટણી પંચે નિર્દેશ આપ્યો છે કે આ મતદારોને તેમના મતદાનના અધિકારને ધ્યાનમાં રાખીને પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાની મંજૂરી આપવામાં આવશે, કારણ કે તેમને કેમ્પસની બહાર લાવી શકાશે નહીં.

સરકાર અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા લોકોને મુખ્ય પ્રવાહમાં લાવવાનો પ્રયાસ કરી રહી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ભવિષ્યમાં પણ ઘણા આતંકવાદી સંગઠનો સરકાર સાથે હાથ મિલાવશે. કેટલાક ભૂગર્ભ જૂથોએ સરકાર સાથે મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (MOU) પર પણ હસ્તાક્ષર કર્યા છે. મણિપુરમાં 20થી વધુ આતંકવાદી જૂથો છે. યુનાઈટેડ પીપલ્સ ફ્રન્ટ (UPF) અને કુકી નેશનલ ઓર્ગેનાઈઝેશન (KNO) આ બંને સંસ્થાઓએ સસ્પેન્શન ઓફ ઓપરેશન (SoO) પર હસ્તાક્ષર કર્યા છે.

વર્ષ 2017માં એક તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી

છેલ્લી વિધાનસભા ચૂંટણી (2017) એક જ તબક્કામાં યોજાઈ હતી. ત્યારબાદ કોંગ્રેસને 28, ભાજપને 21, NPFને 4, NPPને 4, LJPને 1, તૃણમૂલને 1 અને અપક્ષને 1 બેઠક મળી હતી. ચૂંટણી પછી ભાજપના નેતૃત્વમાં એનડીએ ગઠબંધન સરકારની રચના થઈ હતી. જેમાં એનપીએફ, એનપીપી અને એલજેપી સહયોગી તરીકે આવ્યા.

આ પણ વાંચો : રક્ષા મંત્રી રાજનાથ સિંહે રામાનુજાચાર્ય સહસ્રાબ્દી સમારોહમાં ભાગ લીધો, કહ્યું દેશની સંસ્કૃતિ વિવિધતાથી ભરેલી છે

આ પણ વાંચો : UP Assembly Election: અખિલેશ યાદવે બિજનૌરમાં કહ્યું- જે રીતે મતદાન થઈ રહ્યું છે, લાગે છે કે ચૂંટણીનું પરિણામ આજે સાંજે જ આવી જશે

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">