મધ્ય પ્રદેશમાં મામાને કરવામાં આવશે રિપીટ ? જાણો કોણ છે મુખ્યમંત્રી પદની રેસમાં

મધ્યપ્રદેશમાં 17મી નવેમ્બરે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું હતું. જ્યોતિરાદિત્ય સિંધિયા પણ વોટિંગ માટે પહોંચ્યા હતા અને મુખ્યમંત્રી પદને લઈને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી હતી. જો કે હાલ મધ્ય પ્રદેશમાં ભાજપની સરકાર બનતી જોવા મળી રહી છે. ચૂંટણી કમિશને પણ ભાજપને લીડ આપી દીધી છે.

મધ્ય પ્રદેશમાં મામાને કરવામાં આવશે રિપીટ ? જાણો કોણ છે મુખ્યમંત્રી પદની રેસમાં
Follow Us:
| Updated on: Dec 03, 2023 | 11:42 AM

મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન બાદ આજે પરિણામ સામે આવી રહ્યા છે, ત્યારે આ પહેલા કેબિનેટ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ મતદાન કરવા ગ્વાલિયર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે મીડિયા સાથે વાત કરી અને મુખ્યમંત્રી પદના દાવેદાર હોવા અંગેની તમામ અટકળોને સંપૂર્ણપણે ફગાવી દીધા હતા.

મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે ‘મેં પહેલા જ કહ્યું છે કે હું મુખ્યમંત્રી પદની રેસમાં નથી. હું આ રેસમાં ક્યારેય નહોતો અને આજે પણ નથી. મને 2013માં, 2018માં અને આજે પણ ત્રણ વખત પૂછવામાં આવ્યું હતું. ત્રણેય વખત મેં કહ્યું છે કે હું સીએમની રેસમાં નથી.

માત્ર Reliance જ નહીં, મુકેશ અંબાણીની દીકરી ઈશા આ 7 કંપનીઓની પણ છે માલિક
આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો

મુખ્યમંત્રી પદની રેસ પર ટિપ્પણી કરતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ વધુમાં કહ્યું કે આ ખુરશીની રેસ નથી. આ દોડ વિકાસ, પ્રગતિ અને જનતાનો વિશ્વાસ સુનિશ્ચિત કરવા માટે છે. આ દરમિયાન સિંધિયાએ કોંગ્રેસ પાર્ટી પર પણ પ્રહારો કર્યા અને કહ્યું કે મુખ્યમંત્રી પદની રેસ કોંગ્રેસમાં છે.

ભાજપે આ વખતે શિવરાજને સીએમ ચહેરો બનાવ્યો નથી

મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને છેલ્લા બે દાયકાથી પાર્ટીએ શિવરાજ સિંહ ચૌહાણને મુખ્યમંત્રી બનાવી રાખ્યા છે. શિવરાજ સિંહ ચૌહાણ આ વખતે પણ ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ પાર્ટીએ તેમને આ વખતે મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે રજૂ કર્યા નથી.

આવી સ્થિતિમાં એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે ભાજપ આ વખતે મુખ્યમંત્રી બદલી શકે છે. તે જ સમયે, ભાજપે આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદોને મેદાનમાં ઉતાર્યા છે, જેના કારણે આવી અટકળોને વધુ વેગ મળ્યો છે.

ભાજપ તરફથી મુખ્યમંત્રી પદની રેસમાં કોના નામ છે?

રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે શિવરાજ સિંહ ચૌહાણના વિકલ્પ તરીકે ભાજપ દ્વારા જે ચહેરાઓની ચર્ચા થઈ રહી છે તેમાં પાર્ટીના દિગ્ગજ નેતા કૈલાશ વિજયવર્ગીય, કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલ અને નરેન્દ્ર સિંહ તોમરના નામ પણ છે. આમાં જ્યોતિરાદિત્ય સિંધિયાનું નામ પણ સામેલ છે, પરંતુ તેમણે પોતે વોટિંગ કર્યા બાદ આવી અટકળોથી દૂરી લીધી છે. તે જાણીતું છે કે રાજ્યમાં થઈ રહેલા મતદાનના પરિણામો આજે આવવાના ચાલુ થઈ ગયા છે મધ્ય પ્રદેશમાં ભાજપની સરકાર બની રહી હોય તેવુ જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો: Breaking News: મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ચૂંટણી કમિશને ભાજપને આપી બહુમતી

Latest News Updates

મોડાસા નજીકથી 256 કિલો પોષડોડાનો જથ્થો ઝડપાયો, કારમાં કરાતી હતી હેરફેર
મોડાસા નજીકથી 256 કિલો પોષડોડાનો જથ્થો ઝડપાયો, કારમાં કરાતી હતી હેરફેર
તાપી જિલ્લાની નદીઓમાં જળસ્તરમાં વધારો
તાપી જિલ્લાની નદીઓમાં જળસ્તરમાં વધારો
મુક્તેશ્વર, સીપુ, દાંતીવાડા ડેમમાં ચોમાસામાં પાણીની આવક નહીં થતા ચિંતા
મુક્તેશ્વર, સીપુ, દાંતીવાડા ડેમમાં ચોમાસામાં પાણીની આવક નહીં થતા ચિંતા
અંબાજીમાં ગબ્બર રોપ-વે સેવા મંગળવારથી 4 દિવસ માટે બંધ રહેશે, જુઓ
અંબાજીમાં ગબ્બર રોપ-વે સેવા મંગળવારથી 4 દિવસ માટે બંધ રહેશે, જુઓ
વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત ઘટાડો, લોકોએ લીધી રાહતનો શ્વાસ
વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત ઘટાડો, લોકોએ લીધી રાહતનો શ્વાસ
ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
પૂરની સ્થિતિ અંગે "આપ"ના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાસકો પર તાક્યું નિશાન
પૂરની સ્થિતિ અંગે
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
g clip-path="url(#clip0_868_265)">