“PM મોદી અને અમિત શાહે શેરબજારને લઈને નિવેદનો કેમ કર્યા?” રાહુલ ગાંધીએ ઉઠાવ્યો સવાલ, બંને સામે તપાસની કરી માગ

|

Jun 06, 2024 | 7:14 PM

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે શેરબજારને લઈને પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યુ કે પહેલીવાર અમે નોંધ્યુ છે કે ચૂંટણી સમયે પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી અને નાણાંમંત્રીએ શેર બઝારને લઈને ટિપ્પણી કરી. પ્રધાનમંત્રીએ બે-ચાર વાર કહ્યુ હતુ કે શેર બજાર ઝડપથી ઉંચે આવવાનું છે.

PM મોદી અને અમિત શાહે શેરબજારને લઈને નિવેદનો કેમ કર્યા? રાહુલ ગાંધીએ ઉઠાવ્યો સવાલ, બંને સામે તપાસની કરી માગ

Follow us on

લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને નાણામંત્રી નિર્મલા સીતારમણ પર શેરબજારને લઈને પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે ભાજપને ખબર હતી કે 4 જૂને શું થશે. આ જ કારણ હતું કે ભાજપના સૌથી મોટા નેતાઓએ લોકોને શેરબજારમાં રોકાણ કરવા કહ્યું. આની તપાસ થવી જોઈએ.

રાયબરેલી અને વાયનાડથી સાંસદ તરીકે ચૂંટાયેલા રાહુલ ગાંધીએ કહ્યું કે અમે પહેલીવાર નોંધ્યું કે ચૂંટણી સમયે વડાપ્રધાન, ગૃહમંત્રી અને નાણામંત્રીએ શેરબજાર પર ટિપ્પણી કરી હતી. વડાપ્રધાને એક-બે વખત કહ્યું કે શેરબજાર ઝડપથી આગળ વધશે. તેમના સંદેશને નાણામંત્રી અને ગૃહમંત્રીએ પણ આગળ ધપાવ્યો હતો. ગૃહમંત્રીએ તો 4 જૂન પહેલા શેર ખરીદવાનું કહ્યું હતું. વડાપ્રધાને પણ તે જ કહ્યું અને 28 મેના રોજ તેનું ફરી એ જ કહ્યુ.

‘તેઓ જાણતા હતા કે પૂર્ણ બહુમત નહીં મળે’

રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપના સૌથી મોટા નેતાઓએ રિટેલ રોકાણકારોને સંદેશ આપ્યો. તેમની પાસે જાણકારી હતી કે ભાજપને પૂર્ણ બહુમતી નહીં મળે. તેને ખબર હતી કે 3-4 જૂને શું થવાનું છે. 30 લાખ કરોડનું નુકસાન થયું છે. હજાર લાખો કરોડ રૂપિયાનો અમુક પસંદગીના લોકોને ફાયદો થયો છે. અમે વડાપ્રધાન, ગૃહમંત્રી અને એક્ઝિટ પોલ કરાવનારાઓ સામે તપાસની માંગ કરીએ છીએ.

વરસાદમાં છોડની આ રીતે રાખો કાળજી, આખુ ચોમાસુ રહેશે લીલાછમ
મુંબઈ પહોંચતા જ રોહિતે હાર્દિક પંડ્યાને આપી વર્લ્ડ કપની ટ્રોફી
કોલેસ્ટ્રોલ લેવલ પર આવી નવી ગાઈડલાઈન્સ, જાણો હવે કેવું હોવું જોઈએ cholesterol લેવલ
PM મોદી બૂમરાહના દીકરા સાથે રમતા જોવા મળ્યા, ટીમ ઈન્ડિયાએ આપી ખાસ ભેટ
ડ્રાઇવિંગ કરતી વખતે તમારી સાથે રાખો આ ખાસ ડોક્યુમેન્ટ
અનંત-રાધિકાના લગ્નમાં પરફોર્મ કરશે જસ્ટીન બીબર, 7 વર્ષ બાદ ભારત આવ્યો-Video

‘આ સ્ટોક બઝાર સૌથી મોટું કૌભાંડ છે’

રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપના આંતરિક સર્વેમાં 220 બેઠકો મળી રહી છે. પરંતુ, એક્ઝિટ પોલમાં વધુ બેઠકો જોવા મળી હતી. વડાપ્રધાન અને ગૃહમંત્રીએ શા માટે પાંચ કરોડ રોકાણકારોને શેર ખરીદવાની સલાહ આપી? આનો ફાયદો ઉઠાવી રહેલા વિદેશી રોકાણકારો કોણ છે? આ સ્ટોક બજાર સૌથી મોટું કૌભાંડ છે. આની તપાસ માટે જેપીસીની રચના થવી જોઈએ.

હવે પહેલા જેવી સ્થિતિ નથી : કોંગ્રેસ સાંસદ

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે અમે આ મામલે સરકાર પર દબાણ બનાવીશું. જેપીસી તપાસની માંગ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા જે રીતે કામ કરતા હતા તે રીતે કામ કરી શકશે નહીં કારણ કે હવે પહેલા જેવી સ્થિતિ રહી નથી. કોંગ્રેસ માત્ર સરકારની વાત નથી કરતી. સ્ટોક માર્કેટમાં દેશના કરોડો લોકોને નુકસાન થયું છે.

આ પણ વાંચો: Elon Musk એ X પર પોર્ન વીડિયોઝ અપલોડ કરવાની આપી મંજૂરી- શું આ નિર્ણય બાદ X ને ભારતમાં કરાશે બેન?- વાંચો

 

Published On - 6:55 pm, Thu, 6 June 24

Next Article