AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karnataka: : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મંડ્યામાં ભવ્ય રોડ શો, લોકોએ ફૂલોની વર્ષા કરી

રાજ્યમાં આગામી બે મહિનામાં ચૂંટણી યોજાવાની છે. આ દરમિયાન વડાપ્રધાન મંડ્યા અને હુબલી-ધારવાડમાં રૂ. 16,000 કરોડના મોટા પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે અને એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી કર્ણાટકમાં 10 લેન બેંગલુરુ-મૈસુર હાઈવેનું ઉદ્ઘાટન કરશે.

Karnataka: : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મંડ્યામાં ભવ્ય રોડ શો, લોકોએ ફૂલોની વર્ષા કરી
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 12, 2023 | 3:12 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે કર્ણાટકની મુલાકાતે છે. આ દરમિયાન તે ઘણા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. કર્ણાટકમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા પીએમ મોદીની આ મુલાકાત ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વર્ષે તેમની રાજ્યની છઠ્ઠી  વખત મુલાકાત છે. રવિવારે કર્ણાટક પહોંચ્યા બાદ મંડ્યામાં એક મોટા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમના પર ફૂલોની વર્ષા પણ કરવામાં આવી હતી.

હુબલી-ધારવાડમાં રૂ. 16,000 કરોડના મોટા પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે

આ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા માટે પણ કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પીએમ મોદી એક દિવસીય પ્રવાસ પર કર્ણાટક આવ્યા છે. તેના રોડ શો દરમિયાન આખો કાફલો તેની પાછળ જોવા મળ્યો હતો. પીએમ મોદીની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે રાજ્યમાં આગામી બે મહિનામાં ચૂંટણી યોજાવાની છે. આ દરમિયાન વડાપ્રધાન મંડ્યા અને હુબલી-ધારવાડમાં રૂ. 16,000 કરોડના મોટા પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે અને એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી કર્ણાટકમાં 10 લેન બેંગલુરુ-મૈસુર હાઈવેનું ઉદ્ઘાટન કરશે.

રોડ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

પીએમઓ તરફથી મળેલી માહિતી અનુસાર, મોદી બપોરે મંડ્યામાં મોટા રોડ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પછી, લગભગ 3.15 વાગ્યે, તેઓ હુબલી-ધારવાડમાં અનેક વિકાસ પહેલોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પછી, તેઓ બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસવે રાષ્ટ્રને સમર્પિત કરશે.

બેંગલુરુ અને મૈસુર વચ્ચેનો મુસાફરીનો સમય 75 મિનિટ થઈ જશે

આ પ્રોજેક્ટમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-275 ના બેંગલુરુ-નિદાઘટ્ટા-મૈસુર સેક્શનને છ-માર્ગીય બનાવવાનો સમાવેશ થાય છે. આ 118 કિલોમીટર લાંબા એક્સપ્રેસ વેને વિકસાવવા માટે લગભગ 8,480 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. તેનાથી બેંગલુરુ અને મૈસુર વચ્ચેનો મુસાફરીનો સમય લગભગ ત્રણ કલાકથી ઘટાડીને લગભગ 75 મિનિટ થઈ જશે.

હુબલી-ધારવાડમાં IIT ધારવાડને રાષ્ટ્રને સમર્પિત કરશે

આ ઉપરાંત પીએમ મૈસૂર-કુશલનગર વચ્ચે ચાર લેન હાઈવેનો શિલાન્યાસ પણ કરશે. 92 કિલોમીટર લાંબો આ હાઈવે લગભગ 4,130 કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવશે. વડાપ્રધાન મોદી હુબલી-ધારવાડમાં IIT ધારવાડને રાષ્ટ્રને સમર્પિત કરશે. તેમણે ફેબ્રુઆરી 2019માં તેનો શિલાન્યાસ કર્યો હતો. તેના વિકાસમાં 850 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

ઈનપુટ – ભાષા

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
g clip-path="url(#clip0_868_265)">