ભારત જોડો યાત્રાને લઈ જાગૃતતા લાવવા ઓલ ઇન્ડિયા કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશ ગુજરાતમાં, કહ્યુ ‘ભારત જોડો યાત્રા કોંગ્રેસ માટે સંજીવની બનશે’

જયરામ રમેશે (Jayram ramesh) જણાવ્યુ કે, રાષ્ટ્રીય કોંગ્રેસની ઉદેપુર ખાતેની ચિંતન શિબિરમાં ભારત જોડો યાત્રા કાઢવાનું આયોજન નક્કી કરાયુ હતુ. જે 2024ના લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસ માટે સંજીવની બની રહેશે. કોંગ્રેસનું સંગઠન મજબૂત બનશે અને વધુમાં વધુ લોકો સુધી પહોંચવાથી તેઓ કોંગ્રેસ સાથે જોડાશે.

ભારત જોડો યાત્રાને લઈ જાગૃતતા લાવવા ઓલ ઇન્ડિયા કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશ ગુજરાતમાં, કહ્યુ 'ભારત જોડો યાત્રા કોંગ્રેસ માટે સંજીવની બનશે'
ઓલ ઇન્ડિયા કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશ
Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: Sep 24, 2022 | 5:14 PM

કન્યાકુમારીથી કાશ્મીર સુધી રાહુલ ગાંધીની (Rahul Gandhi)  અધ્યક્ષતામાં ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra) નીકળી છે. જે 17માં દિવસે 340 કિલોમીટરનું અંતર કાપી આગળ વધી રહી છે. આ યાત્રા દેશમાં સાડા પાંચ મહિનામાં 3570 કિમિનું અંતર કાપવાની છે. ત્યારે કોંગ્રેસના ભારત જોડો યાત્રાના 17મા દિવસે સિનિયર લીડર જયરામ રમેશ (Jayram Ramesh) ગુજરાત પહોંચ્યા છે. યાત્રા વિશે વાતચીત કરતા તેમણે જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ માટે યાત્રા સંજીવની સાબિત થશે, ગાંધીજીએ 80 વર્ષ પહેલા ભારત છોડોનો નારો આપ્યો હતો અને હવે કોંગ્રેસ ‘ભારત જોડો યાત્રા’ લઈને નીકળ્યું છે. ત્યારે ભારત છોડોમાં ન જોડાયેલા લોકો આજે ભારત જોડો વિશે અપ્રચાર કરી રહ્યા છે.

ભારત જોડા યાત્રાને લઈ જાગરૂકતા લાવવા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશ અમદાવાદ પહોંચ્યા છે. જયરામ રમેશે મીડિયા સમક્ષ નિવેદન આપ્યુ હતુ કે, રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં ભારત જોડો યાત્રાને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. યાત્રામાં રોજ સવારે 6 થી 11 સુધી 5000 જેટલા યાત્રીઓ જોડાઈ રહ્યા છે જ્યારે સાંજે રોજ યાત્રામાં 30 હજાર કરતાં પણ વધારે લોકો જોડાઈ એને સમર્થન આપી રહ્યા છે.

80 વર્ષ પહેલા ગાંધીજીએ અંગ્રેજો સામે લડતા ‘ભારત છોડો’ નો નારો આપ્યો હતો. હવે 80 વર્ષ બાદ કોંગ્રેસે ‘ભારત જોડો યાત્રા’ શરૂ કરી છે. એ સમયે જે લોકો અંગ્રેજોને સાથ આપતા હતા અને ભારત છોડોને સમર્થન નહોતું આપ્યું એ લોકો આજે ભારત જોડો યાત્રા વિશે અપ્રચાર કરી રહ્યા છે. રાજનીતિના ઇતિહાસમાં ક્યારેય ના યોજાઇ હોય એટલી લાંબી યાત્રા લઈને રાહુલ ગાંધી નીકળ્યા છે. ત્યારે ભાજપમાં તેની વિપરીત અસર જોવાની શરૂઆત થઈ ગઈ છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

શા માટે ભારત જોડો યાત્રા?

જયરામ રમેશે જણાવ્યુ કે, રાષ્ટ્રીય કોંગ્રેસની ઉદેપુર ખાતેની ચિંતન શિબિરમાં ભારત જોડો યાત્રા કાઢવાનું આયોજન નક્કી કરાયુ હતુ. જે 2024ના લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસ માટે સંજીવની બની રહેશે. કોંગ્રેસનું સંગઠન મજબૂત બનશે અને વધુમાં વધુ લોકો સુધી પહોંચવાથી તેઓ કોંગ્રેસ સાથે જોડાશે. આ રાજકીય બાબતો હોવા ઉપરાંત શા માટે ભારત જોડો યાત્રા એ અંગે વાતચીત કરતા જયરામ રમેશે જણાવ્યું કે, ભારતમાં આર્થિક વિસંગતતાને કારણે દેશ તૂટી રહ્યો છે.

આર્થિક સમાનતા આવશે તો જ દેશ જોડાશે. તો દેશને આર્થિક સમાનતા પર લાવવા, બીજી કે આજકાલ દેશમાં ધાર્મિક, આર્થિક, સામાજિક, પ્રાદેશિક ધ્રુવીકરણ વધી રહ્યું છે લોકોને તોડવા નહીં પરંતુ જોડવા માટે આ યાત્રા મહત્વની છે. જ્યારે અંતિમ કારણ માં રાજકીય કેન્દ્રીકરણ જણાવવામાં આવ્યું.

ભારત જોડો યાત્રા ગુજરાતમાં કેમ નહીં?

ભારત જોડો યાત્રા ગુજરાતની આજુબાજુના રાજ્યોમાંથી પસાર થાય છે પરંતુ ગુજરાતમાંથી પસાર નથી થઈ રહી. ભાજપે પણ આ સંદર્ભે આક્ષેપો કર્યા હતા. જયરામ રમેશે સ્પષ્ટતા કરી કે દક્ષિણથી ઉત્તર સીધો રસ્તો કોંગ્રેસ દ્વારા પસંદ કરવામાં આવ્યો. અનેક રૂટ જોવાયા એમાં આ એકમાત્ર રૂટ એવો હતો કે જે સંપૂર્ણ રીતના પદયાત્રાના રૂપમાં હોય. અન્ય રૂટમાં ક્યાંક રેલવે કે હોળીનો ઉપયોગ કરવો પડે એમ હતો.

આ સિવાય કંઈપણ કરીએ અમે 90 દિવસ પહેલા ગુજરાત આવી શકીએ એમ નહોતા અને એ સમયગાળામાં ચૂંટણી આવી ગઈ હોત. ગુજરાત કોંગ્રેસનું સંગઠન ભાજપ સામે લડવામાં વ્યક્ત હોય એ સમયે યાત્રા ગુજરાત લાવવા નહોતા માગતા. પરંતુ યાત્રા વચ્ચે પણ રાહુલ ગાંધી ગુજરાતમાં પ્રચાર માટે જરૂર આવશે એમ જયરામ રમેશે જણાવ્યું હતુ.

કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી અંગે જયરામ રમેશે શું કહ્યું?

આગામી સમયે કોંગ્રેસમાં સંગઠન ચૂંટણીઓ થવા જઈ રહી છે ત્યારે જયરામ રમેશે સ્પષ્ટ કર્યું કે રાહુલ ગાંધી ચૂંટણી નહીં લડે. અશોક ગેહલોત તેમને મનાવવા માટે યાત્રામાં આવ્યા હતા. રાહુલજી અડગ રહેતા અશોક ગેહલોતે સ્પષ્ટતા કરી કે તેઓ ઉમેદવાર છે. ભારતમાં કોંગ્રેસ એકમાત્ર પાર્ટી છે કે જેમાં અધ્યક્ષની પણ ચૂંટણી થાય છે. જો કે 125 વર્ષના ઇતિહાસમાં કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માત્ર 4 વાર જ કરવી પડી છે. બાકી કોંગ્રેસ સહમતીમાં માને છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">