કોંગ્રેસની ભારત જોડો યાત્રાનો 17મો દિવસ, આજે 12 KMનું અંતર કાપશે રાહુલ ગાંધી
Bharat Jodo Yatra: કોંગ્રેસની 3,570 કિમી લાંબી અને 150 દિવસની ભારત જોડો યાત્રા 7 સપ્ટેમ્બરના રોજ તમિલનાડુના કન્યાકુમારીથી શરૂ થઈ હતી અને જમ્મુ અને કાશ્મીરમાં પૂરી થશે. ભારત જોડો યાત્રા 10 સપ્ટેમ્બરે સાંજે કેરળ પહોંચી હતી. 1 ઓક્ટોબરે કર્ણાટક પહોંચતા પહેલા તે કેરળના સાત જિલ્લામાંથી પસાર થઈને 19 દિવસમાં 450 કિમીનું અંતર કાપશે.
કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીએ શનિવારે એક દિવસના આરામ પછી ત્રિશૂર નજીક પેરાંબ્રાથી ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra) ફરી શરૂ કરી. આ યાત્રામાં કોંગ્રેસ પાર્ટીના ઘણા કાર્યકરો તેમની સાથે જોડાયા હતા. સવારે લગભગ 6.30 વાગ્યે યાત્રા ફરી શરૂ થઈ. તેનો સવારનો તબક્કો 12 કિલોમીટરનું અંતર કાપ્યા પછી અંબલુર જંક્શન પર સમાપ્ત થશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે ટ્વીટ કર્યું, “એક દિવસના આરામ પછી, શનિવારે સવારે લગભગ 6.35 વાગ્યે થ્રિસુર જિલ્લાના પેરાંબ્રા જંક્શનથી ભારત જોડો યાત્રાનો 17મો દિવસ શરૂ થયો. આ યાત્રામાં સામેલ લોકો શનિવારે સવારે 12 કિલોમીટરનું અંતર કાપશે. 7 સપ્ટેમ્બરે યાત્રા શરૂ થયા બાદ આ બીજો આરામ દિવસ હતો.
ભારત જોડો યાત્રા 150 દિવસ સુધી ચાલશે
કોંગ્રેસની 3,570 કિમી લાંબી અને 150 દિવસની ભારત જોડો યાત્રા 7 સપ્ટેમ્બરના રોજ તમિલનાડુના કન્યાકુમારીથી શરૂ થઈ હતી અને જમ્મુ અને કાશ્મીરમાં પૂરી થશે. ભારત જોડો યાત્રા 10 સપ્ટેમ્બરે સાંજે કેરળ પહોંચી હતી. 1 ઓક્ટોબરે કર્ણાટક પહોંચતા પહેલા તે કેરળના સાત જિલ્લામાંથી પસાર થઈને 19 દિવસમાં 450 કિમીનું અંતર કાપશે.
સોનિયા અને પ્રિયંકા ગાંધી કર્ણાટકમાં જોડાશે
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા ભારત જોડો યાત્રામાં કર્ણાટક ચરણથી ભાગ લેશે. રાહુલ ગાંધીની આગેવાની હેઠળની યાત્રા 30 સપ્ટેમ્બરે કર્ણાટકમાં પ્રવેશ કરશે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમારે શુક્રવારે આ માહિતી આપી હતી. શિવકુમારે કહ્યું કે રાજ્ય એકમે વિવિધ નેતાઓને જવાબદારી આપીને યાત્રાની તૈયારીઓ કરી છે. તેમણે કહ્યું કે, અહીંયા યાત્રામાં સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી ભાગ લેશે. તે તારીખો વિશે જણાવશે… હું આગામી દિવસોમાં તારીખો જાહેર કરીશ.
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC)ના મહાસચિવ કેસી વેણુગોપાલ સાથે અન્ય AICC મહાસચિવ અને કર્ણાટકના પ્રભારી રણદીપ સિંહ સુરજેવાલા, પ્રદેશ અધ્યક્ષ શિવકુમાર અને ઘણા નેતાઓએ શુક્રવારે યાત્રા અંગેની પાર્ટીની સમીક્ષા બેઠકમાં હાજરી આપી હતી. વેણુગોપાલે કહ્યું કે, કર્ણાટકમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી કોઈ દિવસ ભારત જોડો યાત્રામાં જોડાઈ શકે છે અને પ્રિયંકા ગાંધી પણ કોઈ બીજા દિવસે જોડાશે.
કર્ણાટકમાં 30 સપ્ટેમ્બરથી ભારત જોડો યાત્રા શરૂ થશે
શિવકુમારે કહ્યું કે કર્ણાટકમાં યાત્રાનો તબક્કો ગુંડલુપેટથી 30 સપ્ટેમ્બરે સવારે 9 વાગ્યે શરૂ થશે. તેમણે કહ્યું કે ખાદી અને ગ્રામોદ્યોગ કેન્દ્ર માટે જાણીતા નંજનગુડ તાલુકાના બદનવાલુ ખાતે 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ પર એક કાર્યક્રમ છે. તેમણે કહ્યું, દશેરા પર બે દિવસ રજા રહેશે, બેલ્લારીમાં જાહેર સભા પણ થશે. રાહુલ ગાંધી દરરોજ યુવાનો, મહિલાઓ, નાગરિક સમાજ, વિદ્યાર્થીઓ, આદિવાસી સમુદાય અને ખેડૂતો સાથે વાતચીત કરશે અને આ માટે એક ટીમ બનાવવામાં આવી છે.