Mahuva(ST) Election Result 2022 LIVE Updates: મહુવા બેઠક ઉપર ભાજપના મોહન ડોડીયાની જીત

|

Dec 08, 2022 | 5:23 PM

Surat Mahuva-SC MLA Gujarat Vidhan Sabha Election Result 2022 LIVE Updates in Gujarati: મહુવા (એસટી) બેઠક અનુસુચિત જનજાતિ માટે અનામત છે. આ બેઠક ઢોડિયા અને ચૌધરી સમાજનું પ્રભુત્વ છે. ત્યારે અહીં ભારતનો ભગવો લહેરાયો છે.

Mahuva(ST) Election Result 2022 LIVE Updates: મહુવા બેઠક ઉપર ભાજપના મોહન ડોડીયાની જીત
Surat Mahuva-SC election result 2022 live counting updates in gujarati

Follow us on

ગુજરાતની મહુવા-ST પશ્ચિમ બેઠકનું પરિણામ 2022 LIVE Updates: Gujarat Election  મહુવા (એસટી) બેઠક પર ભાજપના મોહન ડોડીયાની જીત થઈ છે. આ વખતની ટર્મમાં કોંગ્રેસે હેમાંગીની ગરાસિયાને ટિકિટ આપીને મહુવા ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા.  તેમને LLM Part-1 સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની પાસે જંગમ મિલકત 140750000 છે જ્યારે ભાજપે મોહન ઢોડિયાને ટિકિટ આપી છે. તેમની પાસે રૂપિયા 5411200 ની જંગમ મિલકત છે. અભ્યાસની વાત કરીએ તો તેમને 9 ધોરણ સુધીનું શિક્ષણ મેળવ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે રાજેન્દ્ર પ્રસાદ મોરથાનાને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 2725162ની જંગમ મિલકત છે. અભ્યાસની વાત કરીએ તો તેમણે MBA-DBIM કર્યુ છે.

2017માં ભાજપ તરફે રહ્યા હતા મતદારો

2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઢોડિયા મોહનભાઈ ધનજીભાઈ 82607 મતથી જીત્યા હતા. તેમના નજીકના હરીફ કોંગ્રેસના ઉમેદવાર ચૌધરી ડો.તુષારભાઈ અમરસિંહભાઈ હતા. જીતનું માર્જિન 6433 મતનું હતું. 2017ની ચૂંટણીમાં મહુવા બેઠક પર 76.62 ટકા મતદાન નોંધાયું હતું અને આ બેઠક માટે 9 ડિસેમ્બર, 2017ના રોજ ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન થયું હતું. જ્યારે 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઢોડિયા મોહનભાઈ ધનજીભાઈ 74161 મતથી જીત્યા હતા.

સુરતની મહુવા-ST બેઠક પર ઢોડિયા અને ચૌધરી સમાજનું પ્રભુત્વ

મહુવા (એસટી) બેઠક અનુસુચિત જનજાતિ માટે અનામત છે. આ બેઠક ઢોડિયા અને ચૌધરી સમાજનું પ્રભુત્વ છે. તેમ છતાં પરંપરા મુજબ આ બેઠક પર ઢોડિયા ઉમેદવારો વચ્ચે જ ચૂંટણી જંગ ખેલાતા હોય છે. તેને કારણે ઢોડિયા મતોનું વિભાજન થવાથી ચૌધરી અને હળપતિના મતો મહત્વના સાબિત થાય છે. તાપી જિલ્લામાં વાલોડ, બારડોલીના કેટલાક ગામો અને મહુવા તાલુકો સંપૂર્ણ આદિવાસી વિસ્તાર છે. જેથી આ બેઠક પર આદિવાસી મતદારો મહત્વ વધુ રહેલું છે. નવા સીમાંકન બાદ ચીખલી તાલુકાના ગામો નીકળી જતાં ઢોડિયા સમાજનું પ્રભુત્વ ઓછું થયું છે. જ્યારે બારડોલી અને વાલોડ તાલુકામાં ચૌધરી સમાજની વસ્તી વધુ હોય ચૌધરી સમાજ આ બેઠક માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આ પણ વાંચો:

ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ

ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ

 

Next Article