સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતને નવા ચહેરા તરીકે મળ્યું કેબિનેટમાં સ્થાન, જાણો તેમની રાજકીય સફર

ભૂપેન્દ્ર પટેલ સાથે 16 પ્રધાનો પણ શપથગ્રહણ કર્યા છે. આ સાથે જ મંત્રીમંડળની 17 જણની ટીમ બની છે. જેમાં કેટલાક નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યુ છે. ભુપેન્દ્ર પટેલની આગેવાનીની સરકારમાં 8 ચહેરા નવા સામેલા કરવામાં આવ્યા છે.

સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતને નવા ચહેરા તરીકે મળ્યું કેબિનેટમાં સ્થાન, જાણો તેમની રાજકીય સફર
Siddhpur MLA Balwantsinh RajputImage Credit source: Tv9 Digital
Follow Us:
| Updated on: Dec 12, 2022 | 3:46 PM

ગુજરાતમાં આજથી ભાજપના નેતૃત્વવાળી ભૂપેન્દ્ર પટેલની સરકાર સત્તારૂઢ થઈ છે. ભૂપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાન પદ તરીકેના શપથ લીધા છે. આ સાથે જ તેઓ સતત બીજી વાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા છે. ભૂપેન્દ્ર પટેલ સાથે 16 પ્રધાનો પણ શપથગ્રહણ કર્યા છે. આ સાથે જ મંત્રીમંડળની 17 જણની ટીમ બની છે. જેમાં કેટલાક નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યુ છે. ભુપેન્દ્ર પટેલની આગેવાનીની સરકારમાં 8 ચહેરા નવા સામેલા કરવામાં આવ્યા છે. બળવંતસિંહ રાજપૂત, મુળુ બેરા, પરષોત્તમ સોલંકી, બચુ ખાબડ, પ્રફુલ પાનસેરિયા, ભીખુ પરમાર, કુંવરજી હળપતિ, ભાનું બાબરિયા આ આઠ નવા ચહેરાઓ મંત્રીમંડળમાં સામેલ થયા છે. જેમાં એક માત્ર મહિલા ભાનુબેન બાબરિયા કેબિનેટમાં સામેલ થયા છે. તો ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, રાઘવજી પટેલ, જગદીશ પંચાલ, હર્ષ સંઘવી, કુબેર ડીંડોર, કુંવરજી બાવળીયાને રિપીટ કરવામાં આવ્યા છે.

સિદ્ધપુર વિધાનસભા બેઠક

બેઠક નંબર 19 સિદ્ધપુર ગુજરાત રાજ્યના ઉત્તર ગુજરાત વિસ્તારના પાટણ જિલ્લામાં આવેલી વિધાનસભા બેઠક છે. સિદ્ધપુર બેઠક પાટણ લોકસભા વિસ્તાર હેઠળ આવે છે. આ બેઠક જનરલ ગ્રામ્ય કેટેગરી હેઠળ આવે છે. ઉત્તર ગુજરાતની સિદ્ધપુર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર બલવંતસિંહ રાજપૂતનો ખુબજ પાતળી માર્જિનથી વિજય થયો છે. તેમને 91,187 મત મળ્યા છે, જ્યારે તેમના હરિફ અને કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને 88,373 વોટ મળ્યા છે. એટલે કે આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે હાર અને જીતનો અંતર 2814 મતોનું છે.

કોણ છે બળવંતસિંહ રાજપૂત

સિદ્ધપુર વિધાનસભા બેઠક પર ભાજપના બળવંતસિંહ રાજપૂતની જીત થઈ છે જેમણે કોંગ્રેસના ચંદનજી ઠાકોરને હરાવ્યા છે. બળવંતસિંહ રાજપૂત મૂળ સિદ્ધપુરના વતની છે. તેમનો જન્મ જૂન 1962 માં થયો હતો. તેમની પાસે રૂપિયા 1271095990ની જંગમ મિલકત છે. અભ્યાસની વાત કરીએ તો તેમને BA સુધીનું શિક્ષણ મેળવ્યું છે. બળવંતસિંહ રાજપૂતે ૨૦૧૫/૨૦૧૬માં કોંગ્રેસમાંથી પક્ષ પલટો કર્યો હતો અને ભાજપમાં જોડાયા હતા. જે બાદ બલવંતસિંહ રાજપૂતને ભાજપે રાજસભાના સાંસદના ઉમેદવાર ઘોષિત કર્યા હતા. સિદ્ધપુર વિધાનસભા બેઠક પર ભાજપના બળવંતસિંહ રાજપૂતની જીત થઈ છે.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

રાજકીય સફર

બળવંતસિંહ સૌપ્રથમ વર્ષ 1981 માં કોંગ્રેસમાં જોડાયા ત્યાર બાદ 1982માં શહેરના યુવા પ્રમુખ બન્યા હતા. તેમજ 34 વર્ષની ઉંમરમાં તેઓ સિદ્ધપુર નગરપાલિકામાં કોર્પોરેટર તરીકેની ચૂંટણી જીતીને 1995માં સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ બન્યા હતા. યુવાન અવસ્થામાં તેમને રાજકારણમાં પગ મુક્યો હતો. તેઓ કોંગ્રેસમાં વિધાનસભાના દંડક સુધી પદ મેળવી ચૂક્યા છે. તો ભાજપમાં તેઓ જીઆઇડીસીના ચેરમેન પણ રહ્યા હતા. આ વિધાનસભાની ચૂંટણી જીતી ત્રીજી વાર સિદ્ધપુરના ધારાસભ્ય બન્યા છે.

Latest News Updates

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
g clip-path="url(#clip0_868_265)">