AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM નરેન્દ્ર મોદી 9થી 11 ઓક્ટોબર દરમિયાન ઉત્તર ગુજરાતના પ્રવાસે આવી શકે, બહુચરાજી મંદિરના 200 કરોડના વિકાસકામોનું કરશે લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આગામી 9થી 11 ઓક્ટોબર દરમિયાન ઉત્તર ગુજરાત આવે તેવી સંભાવના છે. વડાપ્રધાન આ પ્રવાસ દરમિયાન મહેસાણા જિલ્લાના બહુચરાજીની મુલાકાત લેશે.

PM નરેન્દ્ર મોદી 9થી 11 ઓક્ટોબર દરમિયાન ઉત્તર ગુજરાતના પ્રવાસે આવી શકે, બહુચરાજી મંદિરના 200 કરોડના વિકાસકામોનું કરશે લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2022 | 9:53 AM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) હાલમાં ગુજરાત પ્રવાસે છે. જો કે આ વચ્ચે પણ વડાપ્રધાન મોદીનો ફરીથી ગુજરાત આવવાનો કાર્યક્રમ બની ગયો છે. વડાપ્રધાન મોદી આગામી 9થી 11 ઓક્ટોબર દરમિયાન ગુજરાત પ્રવાસે આવવાના છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની (Gujarat Assembly Elections) તારીખો એકાદ મહિનામાં જ જાહેર થવાની શક્યતા છે. ત્યારે તે પહેલા વડાપ્રધાન મોદીએ ગુજરાતના પ્રવાસો (PM Gujarat Visit) વધારી દીધા છે. વડાપ્રધાન મોદી ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો કરવાના છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 9થી 11 ઓક્ટોબર દરમિયાન ઉત્તર ગુજરાત આવે તેવી સંભાવના છે. વડાપ્રધાન આ પ્રવાસ દરમિયાન મહેસાણા જિલ્લાના બહુચરાજીની મુલાકાત લેશે. તેઓ બહુચરાજી મંદિરનો 200 કરોડના વિકાસકામો, દૂધસાગર ડેરી પાવડર પ્લાન્ટનું લોકાર્પણ કરી શકે છે. બહુચરાજીના નવા રેલવે સ્ટેશન, મોઢેરા સોલર પ્લાન્ટનું પણ લોકાર્પણ કરી શકે છે. વડાપ્રધાન મોદી અહીં જાહેર સભાને સંબોધન કરી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બહુચરાજીના પ્રવાસના પગલે તંત્ર તૈયારીઓમાં લાગી ગયુ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિધાનસભા ચૂંટણીના પગલે વારંવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 29 સપ્ટેમ્બરથી વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસે છે. તેમણે ગઇકાલે એટલે કે 29 સપ્ટેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 36મા નેશનલ ગેમ્સના ઉદઘાટન કર્યુ હતુ. જે બાદ પીએમ નરેન્દ્ર મોદી GMDC ગરબા ગ્રાઉન્ડ પહોંચ્યા હતા. તેઓ જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાયેલા ગરબા-મહોત્સવમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. પીએમ નરેન્દ્ર મોદીએ માતાજીની આરતી ઉતારી અને માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. વડાપ્રધાનની સાથે ખેલૈયાઓએ હાથમાં દીવા રાખી આરતીમાં જોડાયા હતા. ત્યારબાદ પીએમ મોદીએ સ્ટેજ પરથી ગરબા નિહાળ્યા હતા. પીએમ મોદી સાથે સીએમ ભુપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, સીઆર પાટીલ, પૂર્ણેશ મોદી અને અરવિંદ રૈયાણી ગરબા સ્થળ હાજર રહ્યાં હતાં.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવરાત્રીના પાવન પર્વમાં યાત્રાધામ અંબાજીમાં દર્શન કરશે. PM મોદી મા અંબાના દર્શન, પૂજા કરીને આરતી ઉતારશે. PM નરેન્દ્ર મોદી સાંજે 5-45 કલાકે અંબાજી પહોંચશે. અંબાજીથી બનાસકાંઠા જિલ્લાની અલગ-અલગ 7200 કરોડની વિકાસ યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. જે બાદ સાંજે 7 કલાકે અંબાજી મંદિરમાં દર્શન અને પૂજા કરશે. તો 7-45 કલાકે ગબ્બર તીર્થ ખાતે મહા આરતીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે. PM નરેન્દ્ર મોદી અંબાજીથી ‘મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના’નો પ્રારંભ કરાવશે. પીએમ નરેન્દ્ર મોદી શક્તિપીઠ અંબાજીથી ગુજરાતમાં 60 હજારથી વધુ આવાસોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. PM 1967 કરોડથી વધુના ખર્ચે 8633 આવાસોના ખાતમુહૂર્ત અને 53,172 આવાસોના લોકાર્પણ કરશે.

Follow Us
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી
ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા
ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા
NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ
NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ
Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ
Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ
અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી
અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી
અમદાવાદમા કફ સિરપથી નશાનો નવો ટ્રેન્ડ અટલ બ્રિજ પાસે ખાલી બોટલોના ઢગલા
અમદાવાદમા કફ સિરપથી નશાનો નવો ટ્રેન્ડ અટલ બ્રિજ પાસે ખાલી બોટલોના ઢગલા
ફાયર NOC વગર ચાલતી 37 હોટલ પર તૂટી પડ્યું 'તંત્ર', 4 ને લાગ્યા 'તાળાં'
ફાયર NOC વગર ચાલતી 37 હોટલ પર તૂટી પડ્યું 'તંત્ર', 4 ને લાગ્યા 'તાળાં'
હજારો લોકો દૂષિત પાણી પીવા મજબૂર, મહિલાઓએ ઉપાડ્યો મોરચો
હજારો લોકો દૂષિત પાણી પીવા મજબૂર, મહિલાઓએ ઉપાડ્યો મોરચો
ઉદ્ઘાટન નથી થયું ને રોડ બિસમાર થયો, જવાબદારો સામે કાર્યવાહી ક્યારે?
ઉદ્ઘાટન નથી થયું ને રોડ બિસમાર થયો, જવાબદારો સામે કાર્યવાહી ક્યારે?
g clip-path="url(#clip0_868_265)">