AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022 : ચૂંટણી પહેલા PM મોદીનો ઝંઝાવાતી પ્રચાર, ત્રણેય ઝોનમાં પક્ષને મજબુત કરવા પર ફોકસ

ચૂંટણી નજીક આવતા વડાપ્રધાન મોદી (PM Modi) અને અમિત શાહ સહિતના નેતાઓના ગુજરાત પ્રવાસ (PM Modi gujarat visit) વધી રહ્યા છે, ત્યારે PM મોદીનો આ ગુજરાત પ્રવાસ રાજકીય રીતે ઘણુ મહત્વ ધરાવે છે.

Gujarat Election 2022 : ચૂંટણી પહેલા PM મોદીનો ઝંઝાવાતી પ્રચાર, ત્રણેય ઝોનમાં પક્ષને મજબુત કરવા પર ફોકસ
PM Modi Gujarat Mission
| Updated on: Oct 11, 2022 | 8:10 AM
Share

ગુજરાત વિધાનસભા ચૂંટણીના (Gujarat Assembly Election) પડધમ વાગી ચૂક્યા છે, ત્યારે દરેક રાજકીય પાર્ટીઓ પ્રચાર અને પ્રસાર થકી મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહી છે. આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી આ વખતે ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ જામશે. આ બધાની વચ્ચે 27 વર્ષથી શાસન કરી રહેલી ભાજપ પાર્ટી (BJP Party) પણ પૂરજોશમાં પ્રચાર કરી રહી છે. વડાપ્રધાન મોદી અને અમિત શાહ સહિતના નેતાઓના ગુજરાત પ્રવાસ (PM Modi gujarat visit) વધી રહ્યા છે. PM મોદી હાલ ગુજરાત પ્રવાસે છે. ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવેલા PM મોદીનો આજે બીજો દિવસ છે.

PM મોદીના પ્રવાસનું રાજકીય મહત્વ

તમને જણાવી દઈએ કે, વિધાનસભા ચૂંટણી પહેલા PMના પ્રવાસનું રાજકીય મહત્વ ઘણુ છે. ભાજપના દિગ્ગજ નેતાના (BJP Leaders) પ્રચંડ પ્રચારની ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રની બેઠકો પર અસર થઈ શકે છે. જો રાજકીય ઈતિહાસ પર એક નજર કરીએ તો વર્ષ 2017ની ચૂંટણીમાં ઉત્તર અને સૌરાષ્ટ્રમાં ભાજપને નુકસાન થયુ હતુ. સૌરાષ્ટ્રમાં ભાજપને કોંગ્રેસ (Congress) કરતા ઓછી બેઠકો મળી હતી. 2017 વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્રની કુલ 48 બેઠકમાંથી ભાજપને 40% અને કોંગ્રેસને 58 % બેઠક મળી હતી. જ્યારે 2012 માં 69 % બેઠકો ભાજપને અને 27 % બેઠકો કોંગ્રેસે મેળવી હતી. જેથી વડાપ્રધાન મોદી આ વખતે જામનગર, રાજકોટ (Rajkot) સહિત જયેશ રાદડિયાના ગઢ જામકંડોરાણામાં તેઓ જનસંબોધન કરશે. આથી વડાપ્રધાન મોદીનું આ મુલાકાત દરમિયાન સૌરાષ્ટ્ર પર ફોકસ છે તેમ કહી શકાય.

આ બેઠકો મજબુત કરવા ભાજપની મથામણ

તો બીજી તરફ ઉત્તર ગુજરાતમાં પણ વર્ષ 2017માં ભાજપનું (Gujarat BJP) નબળુ પ્રદર્શન રહ્યું હતુ. તો મહેસાણા અને અમદાવાદનો પ્રવાસ પણ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. આજે ભરૂચના આમોદ ખાતે વડાપ્રધાન મોદી કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. જો કે ચૂંટણીલક્ષી આ મુલાકાતનો બીજો હેતુ પ્રચાર થકી મતદાતાઓને રીઝવવાનો પણ છે. કારણ કે ભરૂચમાં BTP નો દબદબો રહ્યો છે. અહીંના રોબિનવુડ ગણાતા BTP વડા છોટુ વસાવાએ અહીંના વોટબેંક પર વર્ચસ્વ જાળવી રાખ્યું છે. આથી આમોદ અને ભરૂચની મુલાકાત પણ મહત્વની માનવામાં આવી રહી છે.આથી ત્રણેય ઝોનમાં પક્ષને મજબુત કરતા PM મોદીનું ફોકસ છે.

નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">