AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022 : પાટીદારના એપી સેન્ટરમાં ભાજપનો ભવ્ય પ્રચાર, જાણો જામકંડોરાણા બેઠકનું રાજકીય મહત્વ

વડાપ્રધાન મોદી (PM Modi)  આજે સૌરાષ્ટ્રમાં પાટીદારોના ગઢમાં ગર્જના કરશે. PM મોદીના કાર્યક્રમને લઈ જામકંડોરણામાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે અને ભાજપના નેતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પણ પ્રશ્ન થાય કે જામકંડોરાણાની પસંદગી શા માટે ?

Gujarat Election 2022 : પાટીદારના એપી સેન્ટરમાં ભાજપનો ભવ્ય પ્રચાર, જાણો જામકંડોરાણા બેઠકનું રાજકીય મહત્વ
Jamkandorana assembly seat
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2022 | 9:50 AM
Share

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મિશન 182 સાથે 27 વર્ષથી શાશન કરી રહેલી ભાજપ પણ ચૂંટણી પ્રચારના મેદાનમાં ઉતરી છે. વડાપ્રધાન મોદી (PM Modi)  આજે સૌરાષ્ટ્રમાં (Saurashtra) પાટીદારોના ગઢમાં ગર્જના કરશે. રાજકોટના જામકંડોરણામાં વડાપ્રધાન મોદી ચૂંટણી પ્રચારની જંગી સભા ગજવશે. PM મોદીના કાર્યક્રમને લઈ જામકંડોરણામાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે અને ભાજપના નેતાઓમાં  (BJP Leaders)  ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે ચૂંટણી પ્રચાર (Gujarat Assembly election) માટે જામકંડોરણાની પસંદગી શા માટે ?

આ વિધાનસભા બેઠક પર રાદડિયા પરિવારનો દબદબો

આ વિસ્તારમાં રાદડિયા પરિવારનું ભારે વર્ચસ્વ છે. જેતપુર-જામકંડોરણા વિધાનસભા બેઠકને રાદડિયા પરિવારનો (Radadiya family) ગઢ માનવામાં આવે છે. દિવંગત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાના સમયથી જ આ વિસ્તારમાં રાદડિયા પરિવારનું ભારે વર્ચસ્વ છે. આ વિસ્તારમાં વિઠ્ઠલભાઈ જેવો જ જયેશ રાદડિયાનો દબદબો છે. આ બેઠક પર જાતિવાદી સમીકરણો વિશે વાત કરીએ તે જેતપુરમાં લેઉવા-કડવા પટેલ, ક્ષત્રિય, આહીર, કોળી, બ્રાહ્મણ, માલધારી, ખાંટ, દલિત અને લઘુમતી સમાજનું પ્રભુત્વ છે.

ભાજપનું એક તીરે અનેક નિશાન સાધવાનો પ્રયાસ

મહત્વપૂર્ણ છે કે, જેતપુર અને જામકંડોરણામાં લેઉવા પટેલનું પ્રભુત્વ સૌથી વધુ છે. અહીંની બેઠક પર જાતિવાદી સમીકરણોની વાત કરીએ તો જેતપુરમાં (jetpur) લેઉવા પટેલ, કોળી, કડવા પટેલ, આહીર, ક્ષત્રિય, માલધારી, બ્રાહ્મણ, ખાંટ, દલિત અને લઘુમતી સમાજનું પ્રભુત્વ છે. 100 ટકામાંથી 7 ટકા કોળી, 45 ટકા લેઉવા પટેલ, 13 ટકા દલિત, 7 ટકા લઘુમતી, 5 ટકા કડવા પટેલ, 5 ટકા ક્ષત્રિય અને અન્ય 18 ટકા મતદારો સમાવેશ થાય છે.

ગ્રામ્ય સ્તરે લેઉવા પાટીદાર સમાજને રીઝવવા મથામણ

ગુજરાતમાં પાટીદાર સમાજની વસ્તી 15 ટકા છે. એકલો લેઉવા પાટીદાર સમાજ (Patidar community) સૌરાષ્ટ્ર, સુરત અને મધ્ય ગુજરાતમાં કુલ 50 સીટો પર સીધી રીતે અસર કરી શકે છે, ત્યારે લેઉવા પાટીદાર સમાજના એપી સેન્ટર સમાન જામકંડોરણામાં આ મોદીની સભાનું આયોજન કરીને ભાજપે એક તીરે અનેક નિશાન સાધ્યા છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનની સૌથી વધારે અસર થઇ હતી અને તેમાં પણ ગ્રામ્ય સ્તરે લેઉવા પાટીદાર સમાજના મતો ભાજપ (BJP) વિરુદ્ધ જોવા મળ્યા હતા ત્યારે આ વખતે આ મતનો લાભ ભાજપને મળે અને લેઉવા પાટીદાર સમાજ ભાજપ તરફ આકર્ષાય તેવા ભાજપ પ્રયત્ન કરી રહ્યું છે. એટલા માટે જામકંડોરણાની આ સભા ખૂબ જ મહત્વની છે

સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
g clip-path="url(#clip0_868_265)">