Gujarat Election 2022 : પાટીદારના એપી સેન્ટરમાં ભાજપનો ભવ્ય પ્રચાર, જાણો જામકંડોરાણા બેઠકનું રાજકીય મહત્વ

વડાપ્રધાન મોદી (PM Modi)  આજે સૌરાષ્ટ્રમાં પાટીદારોના ગઢમાં ગર્જના કરશે. PM મોદીના કાર્યક્રમને લઈ જામકંડોરણામાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે અને ભાજપના નેતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પણ પ્રશ્ન થાય કે જામકંડોરાણાની પસંદગી શા માટે ?

Gujarat Election 2022 : પાટીદારના એપી સેન્ટરમાં ભાજપનો ભવ્ય પ્રચાર, જાણો જામકંડોરાણા બેઠકનું રાજકીય મહત્વ
Jamkandorana assembly seat
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2022 | 9:50 AM

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મિશન 182 સાથે 27 વર્ષથી શાશન કરી રહેલી ભાજપ પણ ચૂંટણી પ્રચારના મેદાનમાં ઉતરી છે. વડાપ્રધાન મોદી (PM Modi)  આજે સૌરાષ્ટ્રમાં (Saurashtra) પાટીદારોના ગઢમાં ગર્જના કરશે. રાજકોટના જામકંડોરણામાં વડાપ્રધાન મોદી ચૂંટણી પ્રચારની જંગી સભા ગજવશે. PM મોદીના કાર્યક્રમને લઈ જામકંડોરણામાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે અને ભાજપના નેતાઓમાં  (BJP Leaders)  ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે ચૂંટણી પ્રચાર (Gujarat Assembly election) માટે જામકંડોરણાની પસંદગી શા માટે ?

આ વિધાનસભા બેઠક પર રાદડિયા પરિવારનો દબદબો

આ વિસ્તારમાં રાદડિયા પરિવારનું ભારે વર્ચસ્વ છે. જેતપુર-જામકંડોરણા વિધાનસભા બેઠકને રાદડિયા પરિવારનો (Radadiya family) ગઢ માનવામાં આવે છે. દિવંગત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાના સમયથી જ આ વિસ્તારમાં રાદડિયા પરિવારનું ભારે વર્ચસ્વ છે. આ વિસ્તારમાં વિઠ્ઠલભાઈ જેવો જ જયેશ રાદડિયાનો દબદબો છે. આ બેઠક પર જાતિવાદી સમીકરણો વિશે વાત કરીએ તે જેતપુરમાં લેઉવા-કડવા પટેલ, ક્ષત્રિય, આહીર, કોળી, બ્રાહ્મણ, માલધારી, ખાંટ, દલિત અને લઘુમતી સમાજનું પ્રભુત્વ છે.

ભાજપનું એક તીરે અનેક નિશાન સાધવાનો પ્રયાસ

મહત્વપૂર્ણ છે કે, જેતપુર અને જામકંડોરણામાં લેઉવા પટેલનું પ્રભુત્વ સૌથી વધુ છે. અહીંની બેઠક પર જાતિવાદી સમીકરણોની વાત કરીએ તો જેતપુરમાં (jetpur) લેઉવા પટેલ, કોળી, કડવા પટેલ, આહીર, ક્ષત્રિય, માલધારી, બ્રાહ્મણ, ખાંટ, દલિત અને લઘુમતી સમાજનું પ્રભુત્વ છે. 100 ટકામાંથી 7 ટકા કોળી, 45 ટકા લેઉવા પટેલ, 13 ટકા દલિત, 7 ટકા લઘુમતી, 5 ટકા કડવા પટેલ, 5 ટકા ક્ષત્રિય અને અન્ય 18 ટકા મતદારો સમાવેશ થાય છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

ગ્રામ્ય સ્તરે લેઉવા પાટીદાર સમાજને રીઝવવા મથામણ

ગુજરાતમાં પાટીદાર સમાજની વસ્તી 15 ટકા છે. એકલો લેઉવા પાટીદાર સમાજ (Patidar community) સૌરાષ્ટ્ર, સુરત અને મધ્ય ગુજરાતમાં કુલ 50 સીટો પર સીધી રીતે અસર કરી શકે છે, ત્યારે લેઉવા પાટીદાર સમાજના એપી સેન્ટર સમાન જામકંડોરણામાં આ મોદીની સભાનું આયોજન કરીને ભાજપે એક તીરે અનેક નિશાન સાધ્યા છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનની સૌથી વધારે અસર થઇ હતી અને તેમાં પણ ગ્રામ્ય સ્તરે લેઉવા પાટીદાર સમાજના મતો ભાજપ (BJP) વિરુદ્ધ જોવા મળ્યા હતા ત્યારે આ વખતે આ મતનો લાભ ભાજપને મળે અને લેઉવા પાટીદાર સમાજ ભાજપ તરફ આકર્ષાય તેવા ભાજપ પ્રયત્ન કરી રહ્યું છે. એટલા માટે જામકંડોરણાની આ સભા ખૂબ જ મહત્વની છે

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">