Gujarat Election 2022 : નવસારીની કોંગ્રેસનો ગઢ ગણાતી આ બેઠક ભાજપ માટે જીતવી કપરી, જાણો શું છે અહીંના મતદારોનો મિજાજ

ગુજરાત રાજ્યમાં આવેલી 182 વિધાનસભા બેઠકો પૈકીની 177 નંબરની બેઠક વાંસદા છે. આ બેઠક અનુસૂચિત જનજાતિના સભ્ય માટે અનામત રાખવામાં આવી છે.

Gujarat Election 2022 : નવસારીની કોંગ્રેસનો ગઢ ગણાતી આ બેઠક ભાજપ માટે જીતવી કપરી, જાણો શું છે અહીંના મતદારોનો મિજાજ
Vasanda assembly seat
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 29, 2022 | 1:31 PM

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ જીતવા દરેક રાજકીય પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે.પ્રચાર અને પ્રસાર થકી રાષ્ટ્રીય નેતાઓ પણ મતદારોની નજીક પહોંચી રહ્યા છે. ત્યારે TV9 ની વિશેષ રજૂઆતમાં આજે વાત એક એવી બેઠકની કે જ્યાં ભાજપને જીત મેળવવા ભારે જહેમત માગી લે તેવું કામ છે.  નવસારી જીલ્લાનો એક માત્ર તાલુકો કે જ્યાં 1962થી અત્યાર સુધીમાં ભાજપ માત્ર એકવાર જ ચૂંટણી જીતી શક્યું છે. આ બેઠક છે આદિવાસી વિસ્તારની વાંસદા બેઠક. ગુજરાત રાજ્યમાં આવેલી 182 વિધાનસભા બેઠકો પૈકીની 177 નંબરની બેઠક વાંસદા છે. આ બેઠક અનુસૂચિત જનજાતિના સભ્ય માટે અનામત રાખવામાં આવી છે.

આ બેઠક અનુસૂચિત જનજાતિના સભ્ય માટે અનામત

વાંસદા બેઠક 1962ની પહેલી વિધાનસભા ચૂંટણી વખતથી જ અસ્તિત્વમાં આવી હતી. જો રાજકીય સમીકરણોની વાત કરીએ તો  2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના અનંત પટેલ ભાજપના ગણપત મહલા સામે 18,393 મતોની સરસાઈથી વિજેતા થયા હતાં. વાંસદામાં સૌથી મોટો વિજય 2012ની ચૂંટણીમાં કોંગ્રેસના છનાભાઈ ચૌધરીએ 25,616 મતોથી મેળવ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓ માટે અહીંના ધારાસભ્ય અનંત પટેલે સરકાર વિરુદ્ધ અનેક આંદોલનો છેડીને આદિવાસીઓની જમીન બચાવવા સતત મહેનત કરી છે.

કપરા ચઢાણ જીતવા ભાજપની મથામણ

તો વર્ષોથી કોંગ્રેસનો ગઢ એવી વાંસદા બેઠક માટે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે પણ અંગત રસ દાખવ્યો છે અને વાંસદા વિધાનસભા જીતાડવાની વાત સાથે રાજકીય દત્તક લીધાની જાહેરાત કરી છે. એવામાં કોંગ્રેસના ધારાસભ્યએ વિકાસના કામથી લોકો શું ખુશ છે કે કેમ, શું મતદારોને પાયાની સુવિધાઓ મળી છે ? શિક્ષણ, રોજગારી અને આરોગ્યની શું સ્થિતિ છે ? જાણીએ વાંસદાના મતદારો પાસેથી.

તમે 30 વર્ષના છો અને 40 વર્ષની ઉંમરે કરોડપતિ બનવા માગો છો, બસ કરો આ એક કામ
કાવ્યા મારનને લાગ્યો સૌથી મોટો ઝટકો, એક જ ઝાટકે 4000 કરોડ સ્વાહા
જે કામ સુનીલ ગાવસ્કર 30 વર્ષ સુધી ન કરી શક્યા તે હવે અજિંક્ય રહાણે કરશે
અમદાવાદના 3 સૌથી પોશ વિસ્તારો કયા છે?
દક્ષિણ દિશા તરફ પગ રાખીને સૂવુ જોઈએ કે નહીં? જાણો વૈજ્ઞાનિક તથ્ય
લગ્ન માટે જીવનસાથીની પસંદગી કરતી વખતે આ 3 બાબતોનું રાખો ધ્યાન

જાણો આ બેઠકનો રાજકીય ઈતિહાસ

જો આ બેઠકના રાજકીય ઈતિહાસની વાત કરીએ તો વર્ષ 1962થી 2017 સુધી 13 વખત ચૂંટણી યોજાઇ છે. 13 ચૂંટણી પૈકી 10 ચૂંટણીમાં કોંગ્રેસનો અહીં વિજય થયો છે. એટલે કે 1962થી 2002 સુધી કોંગ્રેસનો દબદબો રહ્યો છે. અત્યાર સુધી માત્ર 1 વખત ભાજપ જીત્યું છે. 2007માં કોંગ્રેસના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું. જો કે 2012માં કોંગ્રેસે ફરી ભાજપ પાસેથી બેઠક આંચકી. ગત વિધાનસભા ચૂંટણીમાં 2017ની ચૂંટણીમાં અનંત પટેલ કોંગ્રેસમાંથી જીત્યા હતા.

રાજ્યમાં વરસાદને લઇને હવામાન વિભાગની આગાહી, આ વિસ્તારોમાં પડશે વરસાદ
રાજ્યમાં વરસાદને લઇને હવામાન વિભાગની આગાહી, આ વિસ્તારોમાં પડશે વરસાદ
250 કરોડનુ મૂુલ્ય ધરાવતી સુગર મિલને 37 કરોડમાં વેચી દેવાતા રોષ
250 કરોડનુ મૂુલ્ય ધરાવતી સુગર મિલને 37 કરોડમાં વેચી દેવાતા રોષ
રાજકોટમાં બે વર્ષથી ધૂળ ખાઈ રહ્યા છે આવાસ યોજનામાં બનાવાયેલા મકાનો
રાજકોટમાં બે વર્ષથી ધૂળ ખાઈ રહ્યા છે આવાસ યોજનામાં બનાવાયેલા મકાનો
પ્રિ પ્રાયમરી માટેની નવી પોલિસી સ્કૂલ સંચાલકો માટે બની માથાનો દુખાવો
પ્રિ પ્રાયમરી માટેની નવી પોલિસી સ્કૂલ સંચાલકો માટે બની માથાનો દુખાવો
પાંજરાપોળમાં 756 પશુના મોત, ગાયોના નામે માગતા લોકો મોત મામલે મૌન
પાંજરાપોળમાં 756 પશુના મોત, ગાયોના નામે માગતા લોકો મોત મામલે મૌન
મારવાડી કોલેજમાં વિધાર્થીનીને અન્ય વિદ્યાર્થીનીઓએ માર્યો માર
મારવાડી કોલેજમાં વિધાર્થીનીને અન્ય વિદ્યાર્થીનીઓએ માર્યો માર
Surat : કીમમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્ર અંગે સૂત્રોનો મોટો ખુલાસો, રેલવ
Surat : કીમમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્ર અંગે સૂત્રોનો મોટો ખુલાસો, રેલવ
નહેરૂનગર ચાર રસ્તા નજીક પડ્યો વધુ એક ભ્રષ્ટાચારનો ભૂવો,સ્થાનિકો પરેશાન
નહેરૂનગર ચાર રસ્તા નજીક પડ્યો વધુ એક ભ્રષ્ટાચારનો ભૂવો,સ્થાનિકો પરેશાન
Surat News : અડાજણની રેસ્ટોરેન્ટમાં લિફ્ટમાં ફસાયા 16 લોકો
Surat News : અડાજણની રેસ્ટોરેન્ટમાં લિફ્ટમાં ફસાયા 16 લોકો
દાહોદમાં દુષ્કર્મના ઇરાદે 6 વર્ષીય બાળકીની આચાર્યએ કરી હત્યા
દાહોદમાં દુષ્કર્મના ઇરાદે 6 વર્ષીય બાળકીની આચાર્યએ કરી હત્યા
g clip-path="url(#clip0_868_265)">