AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election: ભાજપના નિરીક્ષકોએ વડોદરામાં ઉમેદવારો માટે લીધી સેન્સ, ધારાસભ્ય જીતુ સુખડીયાએ ચૂંટણી ન લડવાની કરી જાહેરાત

વિધાનસભાની ચૂંટણી (Assembly election) નજીક આવતા જ ભાજપે દાવેદારોની સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરી છે. જે અંતર્ગત વડોદરા શહેર અને જિલ્લા ભાજપના નિરીક્ષક શંકર ચૌધરી અને અન્યોએ દાવેદારોની સેન્સ લીધી હતી. ગઈકાલે 27 ઓક્ટોબરે રાત્રે 12 વાગ્યા સુધી સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી હતી.

Gujarat Election: ભાજપના નિરીક્ષકોએ વડોદરામાં ઉમેદવારો માટે લીધી સેન્સ, ધારાસભ્ય જીતુ સુખડીયાએ ચૂંટણી ન લડવાની કરી જાહેરાત
વડોદરામાં ભાજપ દ્વારા સેન્સ લેવાની કામગીરી કરાઇ
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 28, 2022 | 9:54 AM
Share

ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી મુદ્દે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે, રાજકોટ, વડોદરા, અમદાવાદ, સુરતમાં ઉમેદવારો માટે સેન્સ લેવાની પ્રક્રિયા પૂરજોશમાં ચાલશે. આજે સેન્સ લેવાની પ્રક્રિયાનો બીજો દિવસ છે. ત્યારે આજે પણ રાજ્યભરમાં ભાજપના પ્રદેશ નિરીક્ષકો દ્વારા ચૂંટણી લડવા ઇચ્છુક દાવેદારોની સેન્સ લેવાઈ રહી છે. આ અંતર્ગત વડોદરામાં પણ ગઇકાલે સેન્સ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મહત્વનું છે કે તારીખ 27 ઓક્ટોબર 2022થી ત્રણ દિવસ માટે નિરીક્ષકો દ્વારા તમામ મહાનગરો અને જિલ્લાઓમાં સેન્સ લેવાની પ્રક્રિય શરૂ કરવામાં આવી છે.

વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ ભાજપે દાવેદારોની સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરી છે. જે અંતર્ગત વડોદરા શહેર અને જિલ્લા ભાજપના નિરીક્ષક શંકર ચૌધરીએ દાવેદારોની સેન્સ લીધી હતી. ગઈકાલે 27 ઓક્ટોબરે રાત્રે 12 વાગ્યા સુધી સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી હતી. વડોદરા શહેરની વાત કરીએ તો, શહેર ભાજપ કાર્યાલયમાં સયાજીગંજ, અકોટા અને રાવપુરા વિધાનસભા બેઠક માટે સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. જ્યારે વરણામાં ત્રી મંદિર ખાતે ડભોઈ અને વાઘોડિયા વિધાનસભા બેઠક માટે સેન્સ લેવામાં આવી.. જેમાં સયાજીગંજ બેઠક પર સૌથી વધુ 51 દાવેદારો છે.. હાલના ધારાસભ્ય જીતુ સુખડિયા ચૂંટણી ન લડવાની જાહેરાત કરી ચૂક્યા છે.. તો બીજીતરફ શંકર ચૌધરીએ પણ ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી છે.. તેમણે કહ્યું કે પાર્ટી પસંદગી ઉતારશે તો તેઓ ચૂંટણી લડશે.

કઈ બેઠક માટે કેટલા દાવેદારો?

સયાજીગંજ બેઠક માટે 51 દાવેદારો અકોટા બેઠક માટે 35 દાવેદારો રાવપુરા બેઠક માટે 36 દાવેદારો ડભોઇ બેઠક માટે 10 દાવેદારો વાઘોડિયા બેઠક માટે 27 દાવેદારો

ગઇકાલે ગીર સોમનાથમાં પણ મૂરતિયાઓની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ગીર સોમનાથ જિલ્લાની ઉના અને તાલાલા બેઠક માટે નિરીક્ષકો દ્વારા સેન્સ લેવામાં આવી હતી. જેમાં આજે કોડિનાર બેઠક માટે સેન્સ લેવામાં આવશે. શહેરી વિકાસ મંત્રી વિનોદ મોરડિયા ઉમેદવારોને સાંભળશે. ઉના ભાજપના યુવા મહિલા અગ્રણી દીપા બાંભણિયાનું નામ પણ રેસમાં છે. તમામ દાવેદારો પોતાના ટેકેદારોને લઈ સેન્સ આપવા માટે પહોંચ્યા હતા.

મહેસાણાના ઉનાવા પાસે ભયાનક અકસ્માત, એક જ પરિવારના 5 સભ્યોના મોત
મહેસાણાના ઉનાવા પાસે ભયાનક અકસ્માત, એક જ પરિવારના 5 સભ્યોના મોત
ભાવનગર મનપા સંચાલિત શાળાઓની દુર્દશાનો જુઓ Video
ભાવનગર મનપા સંચાલિત શાળાઓની દુર્દશાનો જુઓ Video
મેયરના પતિના ગેરકાયદે બાંધકામ પર ક્યારે ચાલશે 'બુલડોઝર'?
મેયરના પતિના ગેરકાયદે બાંધકામ પર ક્યારે ચાલશે 'બુલડોઝર'?
ગુજરાતમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદની આગાહી, 2 દિવસ બાદ તાપમાન ઘટશે
ગુજરાતમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદની આગાહી, 2 દિવસ બાદ તાપમાન ઘટશે
વિશ્વ ઉમિયાધામના આર.પી. પટેલે લગ્ન નોંધણી સુધારાને આવકારતા કરી આ ટકોર
વિશ્વ ઉમિયાધામના આર.પી. પટેલે લગ્ન નોંધણી સુધારાને આવકારતા કરી આ ટકોર
Surat : બોર્ડની પરીક્ષા અંગે શિક્ષણ વિભાગનો એક્શન પ્લાન
Surat : બોર્ડની પરીક્ષા અંગે શિક્ષણ વિભાગનો એક્શન પ્લાન
Marriage Registration Rules નવા નિયમો: માતા-પિતાની સંમતિ ફરજિયાત?
Marriage Registration Rules નવા નિયમો: માતા-પિતાની સંમતિ ફરજિયાત?
Breaking News : કીર્તિ પટેલના સ્નાન પછી ભવનાથમાં સાધુ સંતો આમને સામને
Breaking News : કીર્તિ પટેલના સ્નાન પછી ભવનાથમાં સાધુ સંતો આમને સામને
વરિષ્ઠ અધિકારીઓના સહયોગથી અટકેલા કામો ઝડપ પકડશે, પરિણામ આજે જોવા મળશે
વરિષ્ઠ અધિકારીઓના સહયોગથી અટકેલા કામો ઝડપ પકડશે, પરિણામ આજે જોવા મળશે
મનપા સંચાલિત શાળામાં કેટલા કોર્પોરેટર્સના બાળકો અભ્યાસ કરે છે?
મનપા સંચાલિત શાળામાં કેટલા કોર્પોરેટર્સના બાળકો અભ્યાસ કરે છે?
g clip-path="url(#clip0_868_265)">