AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election: ભાજપના નિરીક્ષકોએ વડોદરામાં ઉમેદવારો માટે લીધી સેન્સ, ધારાસભ્ય જીતુ સુખડીયાએ ચૂંટણી ન લડવાની કરી જાહેરાત

વિધાનસભાની ચૂંટણી (Assembly election) નજીક આવતા જ ભાજપે દાવેદારોની સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરી છે. જે અંતર્ગત વડોદરા શહેર અને જિલ્લા ભાજપના નિરીક્ષક શંકર ચૌધરી અને અન્યોએ દાવેદારોની સેન્સ લીધી હતી. ગઈકાલે 27 ઓક્ટોબરે રાત્રે 12 વાગ્યા સુધી સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી હતી.

Gujarat Election: ભાજપના નિરીક્ષકોએ વડોદરામાં ઉમેદવારો માટે લીધી સેન્સ, ધારાસભ્ય જીતુ સુખડીયાએ ચૂંટણી ન લડવાની કરી જાહેરાત
વડોદરામાં ભાજપ દ્વારા સેન્સ લેવાની કામગીરી કરાઇ
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 28, 2022 | 9:54 AM
Share

ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી મુદ્દે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે, રાજકોટ, વડોદરા, અમદાવાદ, સુરતમાં ઉમેદવારો માટે સેન્સ લેવાની પ્રક્રિયા પૂરજોશમાં ચાલશે. આજે સેન્સ લેવાની પ્રક્રિયાનો બીજો દિવસ છે. ત્યારે આજે પણ રાજ્યભરમાં ભાજપના પ્રદેશ નિરીક્ષકો દ્વારા ચૂંટણી લડવા ઇચ્છુક દાવેદારોની સેન્સ લેવાઈ રહી છે. આ અંતર્ગત વડોદરામાં પણ ગઇકાલે સેન્સ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મહત્વનું છે કે તારીખ 27 ઓક્ટોબર 2022થી ત્રણ દિવસ માટે નિરીક્ષકો દ્વારા તમામ મહાનગરો અને જિલ્લાઓમાં સેન્સ લેવાની પ્રક્રિય શરૂ કરવામાં આવી છે.

વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ ભાજપે દાવેદારોની સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરી છે. જે અંતર્ગત વડોદરા શહેર અને જિલ્લા ભાજપના નિરીક્ષક શંકર ચૌધરીએ દાવેદારોની સેન્સ લીધી હતી. ગઈકાલે 27 ઓક્ટોબરે રાત્રે 12 વાગ્યા સુધી સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી હતી. વડોદરા શહેરની વાત કરીએ તો, શહેર ભાજપ કાર્યાલયમાં સયાજીગંજ, અકોટા અને રાવપુરા વિધાનસભા બેઠક માટે સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. જ્યારે વરણામાં ત્રી મંદિર ખાતે ડભોઈ અને વાઘોડિયા વિધાનસભા બેઠક માટે સેન્સ લેવામાં આવી.. જેમાં સયાજીગંજ બેઠક પર સૌથી વધુ 51 દાવેદારો છે.. હાલના ધારાસભ્ય જીતુ સુખડિયા ચૂંટણી ન લડવાની જાહેરાત કરી ચૂક્યા છે.. તો બીજીતરફ શંકર ચૌધરીએ પણ ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી છે.. તેમણે કહ્યું કે પાર્ટી પસંદગી ઉતારશે તો તેઓ ચૂંટણી લડશે.

કઈ બેઠક માટે કેટલા દાવેદારો?

સયાજીગંજ બેઠક માટે 51 દાવેદારો અકોટા બેઠક માટે 35 દાવેદારો રાવપુરા બેઠક માટે 36 દાવેદારો ડભોઇ બેઠક માટે 10 દાવેદારો વાઘોડિયા બેઠક માટે 27 દાવેદારો

ગઇકાલે ગીર સોમનાથમાં પણ મૂરતિયાઓની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ગીર સોમનાથ જિલ્લાની ઉના અને તાલાલા બેઠક માટે નિરીક્ષકો દ્વારા સેન્સ લેવામાં આવી હતી. જેમાં આજે કોડિનાર બેઠક માટે સેન્સ લેવામાં આવશે. શહેરી વિકાસ મંત્રી વિનોદ મોરડિયા ઉમેદવારોને સાંભળશે. ઉના ભાજપના યુવા મહિલા અગ્રણી દીપા બાંભણિયાનું નામ પણ રેસમાં છે. તમામ દાવેદારો પોતાના ટેકેદારોને લઈ સેન્સ આપવા માટે પહોંચ્યા હતા.

Follow Us
Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video
Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video
Breaking News: પેટ્રોલ-ડિઝલ બચાવવા રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Breaking News: પેટ્રોલ-ડિઝલ બચાવવા રાજ્ય સરકારનો મોટો નિર્ણય
પરિવારમાં બધાને ધ્યાનથી સાંભળો, યોગ ફાયદાકારક સાબિત થશે
પરિવારમાં બધાને ધ્યાનથી સાંભળો, યોગ ફાયદાકારક સાબિત થશે
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
g clip-path="url(#clip0_868_265)">