Gujarat Election 2022: દાહોદમાં પીએમ મોદીની સભાને લઈને ટ્રાફિકને લઈને કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે, આ ફેરફાર અંતર્ગત હાઈવે બંધ રાખવાનો આદેશ કરાયો છે અને કેટલાક વૈક્લિપક રૂટ પરથી જવાનો કલેક્ટર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે.
PM Narendra Modi
Follow us on
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે હાલ પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે. તમામ પાર્ટીઓ પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહી છે. જેમા ભાજપના દિગ્ગજો પણ આ ચૂંટણી રણમાં પ્રચાર માટે ઉતર્યા છે. જેમા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે બપોરમાં દાહોદમાં ચૂંટણી સભા ગજવશે. પીએમના કાર્યક્રમને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેને ધ્યાનમાં રાખી કલેક્ટર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે. જેમા કલેક્ટર ડૉ હર્ષિત ગોસાવીએ ટ્રાફિક નિયમન માટે હાઈવે બંધ રાખવાનો આદેશ કર્યો છે. 23 નવેમ્બરે સવારના 6 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી આ મુજબનું ટ્રાફિક નિયમન રહેશે.
ટ્રાફિક નિયમનનું સંચાલન આ મુજબનું રહેશે
ઈન્દોરથી અમદાવાદ જતા હાઈવે ઉપર બાંસવાડા તરફ જવાના નિર્દેશ કરતા બોર્ડથી આગળ સતી તોરલથી જમણી તરફ જતા ઝાલોદ બાંસવાડા હાઈવેને કાર્યક્રમમાં ભાગ લેવા જનારા વાહનો સિવાયના તમામ વાહનોએ લીમડીથી લીમખેડા થઈને ગોધરા-ઈન્દોર હાઈવે (NH 47)ને મળતા રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.