Gujarat Election 2022: વિરમગામમાં ફરીથી કોંગ્રેસ અને AAP ને ફટકો, 40થી વધુ હોદ્દેદારો જોડાયા ભાજપમાં

વિરમગામમાં ફરીથી  કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓ પાટલી બદલી  છે અને કોંગ્રેસ અને AAPના 40થી વધુ હોદ્દેદારો ભાજપમાં (BJP) જોડાયા છે. કુમારખાણ ગામમાં યોજાયેલા ભાજપના કાર્યકર્તા સંમેલનમાં કોંગ્રેસ અને AAPના કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો.

Gujarat Election 2022: વિરમગામમાં ફરીથી કોંગ્રેસ અને AAP ને ફટકો, 40થી વધુ હોદ્દેદારો જોડાયા ભાજપમાં
વિરમગામ AAP અને કોંગ્રેસના કાર્યકર્તા ભાજપમાં જોડાયા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2022 | 9:20 AM

ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ પક્ષપલટાની મોસમ પણ પૂર બહારમાં ખીલી રહી છે. ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે તેમ તેમ પક્ષપલટાનું પ્રમાણ પણ વધી રહ્યું છે  હવા જોઈને સઢ બદલાતું હોય છે તેમ અત્યારે વિવિધ પક્ષના કાર્યકર્તાઓ ભાજપની હવા જોઈને ભાજપમાં જોડાઈ રહ્યા છે. ત્યારે  વિરમગામમાં ફરીથી  કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓ પાટલી બદલી  છે અને કોંગ્રેસ અને AAPના 40થી વધુ હોદ્દેદારો ભાજપમાં જોડાયા છે. કુમારખાણ ગામમાં યોજાયેલા ભાજપના કાર્યકર્તા સંમેલનમાં કોંગ્રેસ અને AAPના કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો. આ તમામ લોકોને સાંસદ ભારતી શિયાળે ભાજપનો ખેસ પહેરાવી  પક્ષમાં આવકાર્યા હતા.

ગુજરાત ચૂંટણી 2022: વિરમગામમાં  કોંગ્રેસ અને આપમાં આંતરિક અસંતોષથી નારાજ કાર્યકર્તાઓ ભાજપના ખોળે

થોડા દિવસ અગાઉ હાર્દિક પટેલની હાજરીમાં AAPના પૂર્વ હોદ્દેદારો ભાજપમાં જોડાઆ હતા. વિરમગામ બેઠક પર  આપના ઉમેદવાર  બદલાતા આપના  પૂર્વ હોદ્દેદારો નારાજ હતા અને  હાસંલપુર ખાતે આયોજિત કરવામાં આવેલા  માલધારી સંમેલનમાં જ 5થી વધુ હોદ્દેદારો ભાજપમાં જોડઈ ગયા હતા તો  ચૂંટણી પહેલા વિરમગામ આમ આદમી પાર્ટીએ  કોંગ્રેસમાંથી આવેલા અમરીશ ઠાકોરને વિરમગામથી ટિકિટ આપતા સ્થાનિક હોદ્દેદારો અને સક્રિય કાર્યકર વેપારીઓએ રાજીનામાં આપ્યા હતા. વિરમગામ બેઠક પર આમ આદમી પાર્ટીએ કુંવરજી ઠાકોરની જગ્યાએ અમરીશ ઠાકોરને ટિકિટ આપતા સ્થાનિક હોદ્દેદારો નારાજ થયાહતા અને છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલવામાં આવતા પક્ષથી નારાજ થઈ સ્થાનિક હોદ્દેદારો અને કાર્યકરોએ રાજીનામા આપી દીધા હતા અને ભાજપમાં જોડાઈ  ગયા હતા.

ગુજરાત ઇલેક્શન 2022: અહીં  5 વખત મળી હતી કોંગ્રેસને સત્તા

વિરમગામ બેઠકના રાજકીય વિગતો જોઈએ તો અત્યાર સુધી 12 વખત વિધાનસભા ચૂંટણી યોજાઇ છે. અને અહીં 5 વખત કોંગ્રેસ અને 5 વખત ભાજપ જીત્યું છે. કોંગ્રેસના દબદબા વચ્ચે 2002 અને 2007માં ભાજપે મેદાન માર્યું હતું. જોકે 2012માં સત્તા પરિવર્તન થયું અને કોંગ્રેસમાંથી તેજશ્રીબેન  પટેલ જીત્યા હતા. જોકે પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયેલા તેજશ્રીબેન પટેલની 2017માં હાર થઇ અને કોંગ્રેસના લાખા ભરવાડ જીત્યા હતા. એટલે કે પાછલી 2 ટર્મથી અહીં કોંગ્રેસની સત્તા છે. 2022માં સત્તાના સમીકરણો બદલાયા છે પાટીદાર નેતા હાર્દિક પટેલ ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા છે. અને તેઓએ વિકાસને પોતાનું હથિયાર બનાવ્યું છે.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

ગુજરાત ઇલેક્શન 2022:  ક્યારે કોણ જીત્યું ?

  1.  1998 વિધાનસભા – કોંગ્રેસના પ્રમેજી વદલાણી જીત્યા
  2. 2002 વિધાનસભા – ભાજપના વજુ ડોડિયા જીત્યા
  3.  2007 વિધાનસભા – ભાજપના કમા રાઠોડ જીત્યા
  4. 2012 વિધાનસભા – કોંગ્રેસના ડૉ. તેજશ્રી પટેલ જીત્યા
  5. 2017 વિધાનસભા – કોંગ્રેસના લાખા ભરવાડ જીત્યા

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">